પાવાગઢ ડુંગરોમાં લાગતી આગને અટકાવવા વન વિભાગનો નવતર પ્રયોગ

પાવાગઢ મુખ્ય મદિરની નીચેના ભાગે શ્રીફળના છોતરાં-કુચા ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે જેને વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચા માંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે. આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જીલ્લામાં આવેલી પોતાની નર્સરીઓમાં કરે છે.

પાવાગઢ ડુંગરોમાં લાગતી આગને અટકાવવા વન વિભાગનો નવતર પ્રયોગ
Pavagadh Cocopit
Follow Us:
Nikunj Patel
| Edited By: | Updated on: Dec 18, 2022 | 4:58 PM

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર વિસ્તારમાં આવેલા જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓને અટકાવવા તેમજ નિજ મંદિરની નીચેના ભાગમાં થતી ગંદકીને અટકાવવા માટે પંચમહાલ જીલ્લા વન વિભાગ દ્વારા એક નવતર  અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે હાલમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે અને આ દર્શનાર્થીઓ દ્વારા માં મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે. ત્યારે આ શ્રીફળના છોતરાં-કુચા ગમે ત્યાં ખુલ્લામાં નાખી દેતા હોય છે અને આ છોતરાં-કુચાની સફાઈ દરમિયાન તેને સળગાવી દેવામાં આવતા હોઈ છે ત્યારે આ છોતરાં-કુચાના ઢગલાની આગ ધીમે ધીમે પ્રસરીને પ્રથમ તો ડુંગરના સુકા ઘાસમાં અને બાદમાં પવનની દિશામાં સમગ્ર ડુંગર વિસ્તારમાં પ્રસરે છે અને અહીં આવેલ ડુંગરોની હારમાળાના જંગલ વિસ્તારમાં આગ લાગે છે. જયારે જયારે પણ આવી સ્થિતિ બનવા પામે છે ત્યારે આ આગને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે અને જંગલ તેમજ તેમાં વસતા પશુ પંખીઓ માટે પોતાનું અસ્તિત્વ બચાવવું પણ એક પડકાર બનતું હોય છે ત્યારે આ ગંભીર સમસ્યાના નિવારણ માટે જીલ્લાના વન સંરક્ષક દ્વારા સમગ્ર બાબતનું ઘનિષ્ટ અધ્યયન કરવામાં આવ્યા બાદ એક નવતર અભિગમ શરુ કરવામાં આવ્યો છે.

જેમા જીલ્લા વન વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સાથે સાથે ડુંગર પર લાગતી આગની ઘટનાઓ પર મહદઅંશે કાબુ મેળવી શકાય તે પ્રકારનો પ્રોજેક્ટ અમલમાં મૂકી તેને કાર્યરત કરવામાં આવ્યો છે. પાવાગઢ મુખ્ય મદિરની નીચેના ભાગે શ્રીફળના છોતરાં-કુચા ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે જેને વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને પાવાગઢ માંચી ખાતે બનાવવામાં આવેલા કોકોપીટ યુનિટ ખાતે લાવવામાં આવે છે અને અહીં આધુનિક મશીનો દ્વારા આ શ્રીફળના છોતરાં-કુચા માંથી કોકોપીટ (નારિયેળના કુચાનો ભૂકો) બનાવવામાં આવે છે. આ કોકોપીટનો ઉપયોગ વન વિભાગ જાતે જ જીલ્લામાં આવેલી પોતાની નર્સરીઓમાં કરે છે.

પાવાગઢ ડુંગર પરથી દૈનિક 40 મોટી બેગ શ્રીફળના છોતરાં-કુચા વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવે છે અને માંચી ખાતે આવેલા કોકોપીટ યુનિટમાં લાવીને પ્રોસેસિંગ કરી તેમાંથી દૈનિક કિલો કોકોપીટનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ૧ કિલો કોકોપીટનો બજાર ભાવ ૧૦૦ થી ૧૫૦ છે. જેનો ઉપયોગ ખાસ કરીને ફૂલ-છોડની નર્સરીઓમાં કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં આવેલી વન વિભાગ હસ્તકની નર્સરીઓમાં પાવાગઢ ખાતે બનાવવામાં આવેલા કોકોપીટનો ઉપયોગ કરવામાં આવે છે જેને લઈને વન વિભાગને દૈનિક અંદાજે રૂ.૨૦૦૦૦નું ભારણ ઓછું થવા પામ્યું છે તો બીજી તરફ પાવાગઢ ડુંગર ખાતે ગંદકી પણ ઓછી થવા પાણી છે જયારે આગ લાગવાના ભયથી પણ છુટકારો મળ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાવાગઢ ખાતે નારિયેળના છોતરાં-કુચા જે એકત્ર થતા હતા તેમાં કોઈ દ્વારા સળગાવવામાં આવતા હતા અને જેને લઈને ડુંગરના જંગલમાં આગ લાગતી હતી, ત્યારે અમે આ સમસ્યાના નિવારણ માટે કોકોપીટ યુનિટ શરુ કરવામાં આવ્યું છે, જેમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. : એમ.એલ.મીણા,વન સંરક્ષક, પંચમહાલ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">