AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરનાર પર્વત પર મહાશિવરાત્રી પહેલા જ જૈન સંપ્રદાયની ધજા ફરકાવતા વિવાદ ફરી વકર્યો, સંતોમાં ભારે રોષ

જુનાગઢમાં છેલ્લા ઘણા સમયથી શિખરની માલિકીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ધજા ફરકાવનારા 2 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથગીરી બાપુએ ફરિયાદ નોંધાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2026 | 8:03 PM
Share

જુનાગઢમાં ભવનાથમાં હાલ મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી ચાલી રહી છે. મહાશિવરાત્રીના મહામેળાને આડે બસ હવે ગણતરીના દિવસો રહ્યા છે એ પહેલા જ ગિરનાર પર્વત પરના શિખરોની માલિકીનો વિવાદ ફરી સામે આવ્યો છે. ગિરનાર પર્વત પર જૈન સંપ્રદાયની ધજા ફરકાવતા સાધુ સંતોમાં રોષ ફેલાયો છે અને ધજા ફરકાવનારા બે લોકો વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે ગોરખનાથ ટૂંકના મહંત સોમનાથગીરી બાપુએ ફરિયાદ નોંધાવી છે. જેમા જૈન અનુયાયીઓ દ્વારા ઓઘડ શિખર પર અનઅધિકૃત હક સ્થાપિત કરવાનો આરોપ લગાવ્યો છે.

થોડા દિવસ પહેલા ગોરખનાથ અને દત્તાત્રેય ટૂંક વચ્ચે આવેલા ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવાઈ હતી અને સૂત્રોચ્ચાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ઓઘડ શિખર પ્રત્યે નાથ સંપ્રદાયની વિશેષ આસ્થા જોડાયેલી છે. આ જગ્યા ગોરખનાથજીના દલિચાની જગ્યા હેઠળ રજીસ્ટર છે. ત્યારે નાથ સંપ્રદાયના સંતોમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળ્યો. અને તેમણે આ કૃત્યને સનાતન પરંપરા પર તરાપ ગણાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. સમગ્ર મામલે હવે ધજા ફરકાવનારા બે લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે સો. મીડિયા ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

એક તરફ જૂનાગઢમાં ભવનાથનો મેળો નજીક છે ત્યારે આ ઘટનાને પગલે તંગદિલીનો માહોલ સર્જાયો છે. ત્યારે મેળા વખતે જૈન અને હિન્દુ સંપ્રદાયમાં કોઈપણ પ્રકારનું વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસ એક્શનમાં છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

ભારતના 100 રૂપિયા બરાબર સિંગાપોરમાં કેટલા થાય? શું ભારતીય રૂપિયા કરતા સિંગાપોર ડૉલર વધુ મજબૂત છે?

g clip-path="url(#clip0_868_265)">