Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meeting : RBI ગવર્નર સવારે 10 વાગ્યે MPC મીટિંગના નિર્ણયોની જાહેરાત કરશે, અહીં એક ક્લિકથી જોઈ શકાશે Live

RBI MPC Meeting :હાલમાં સામાન્ય માણસ મોંઘી લોન અને વધતી EMIથી પરેશાન છે. ઋણધારકોને આશા છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે જેથી લોન પરના વ્યાજદરમાં થોડો ઘટાડો રાહત આપી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકનો નિર્ણય આજે 8 જૂને સવારે 10 વાગે જાહેર થશે

RBI MPC Meeting : RBI ગવર્નર સવારે 10 વાગ્યે MPC મીટિંગના નિર્ણયોની જાહેરાત કરશે, અહીં એક ક્લિકથી જોઈ શકાશે Live
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 6:43 AM

RBI MPC Meeting :  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 6 જૂન 2023થી શરૂ થઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આ બેઠક આજે  8 જૂન, 2023 સુધી ચાલશે. MPCની આ 43મી બેઠકમાં લેવાયેલા નિર્ણયો પણ આજે ગુરુવારે એટલે કે 8 જૂને સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે. RBIની આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. હાલમાં સામાન્ય માણસ મોંઘી લોન અને વધતી EMIથી પરેશાન છે. ઋણધારકોને આશા છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરવો જોઈએ. તે જ સમયે, જેમણે શેરબજારમાં પૈસા રોક્યા છે તેઓ પણ આ બેઠકના નિર્ણયની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

RBI MPC Meetingના નિર્ણયનું જીવંત પ્રસારણ જોઈ શકાશે

વ્યાજદરમાં વધારાની શક્યતા ઓછી

એક મીડિયાના પોલ અનુસાર MPC આ વખતે પણ વ્યાજ દરો યથાવત રાખી શકે છે. કારણ કે તાજેતરના ભૂતકાળમાં ફુગાવાનો દર નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. 6 સભ્યોની રેટ સેટિંગ પેનલ રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખી શકે છે. પહેલી બેઠકમાં પણ MPCએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જણાવી દઈએ કે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. આ પછી એપ્રિલની બેઠકમાં આરબીઆઈએ મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.

રેપો રેટ શું છે?

રેપો રેટ એ દર છે કે જેના પર કોઈપણ દેશની સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. જ્યારે બેંકો પાસે ભંડોળની અછત હોય ત્યારે તેઓ કેન્દ્રીય બેંક પાસેથી નાણાં ઉછીના લઈ શકે છે. આ પૈસા પર રેપો રેટ લાદવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપો રેટ એ દર છે જે મધ્યસ્થ બેંક દ્વારા વ્યાપારી બેંકોને આપવામાં આવે છે. વાણિજ્યિક બેંકો તેમના વધારાના ભંડોળ મધ્યસ્થ બેંકમાં રોકાણ કરે છે જેના માટે રિવર્સ રેપો રેટ ચૂકવવામાં આવે છે. રિવર્સ રેપો રેટ એ પણ નાણાકીય નીતિ છે જેનો ઉપયોગ મધ્યસ્થ બેંક બજારમાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">