Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ 14મી કે 15મી જાન્યુઆરીએ ? તારીખ વિશે જો હોય શંકા, તો જાણી લો સાચી તારીખ !

કેટલાક લોકો મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીએ ઉજવવાની વાત કરી રહ્યા છે તો કેટલાક 15 જાન્યુઆરીને દાન માટે શુભ માની રહ્યા છે. જો તમને પણ સંક્રાંતિની તારીખને લઈને કોઈ મૂંઝવણ હોય, તો ચાલો અહીં જાણીએ ચોક્કસ તારીખ (Real Date of Makar Sankranti 2022) વિશે...

Makar Sankranti 2022 : મકરસંક્રાંતિ 14મી કે 15મી જાન્યુઆરીએ ? તારીખ વિશે જો હોય શંકા, તો જાણી લો સાચી તારીખ !
Makar Sankranti 2022 (Symbolic Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 7:07 PM

Makar Sankranti 2022: મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે (Sun Transit in Capricorn) અને ખરમાસનો મહિનો પૂરો થાય છે તે પછી મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ સાથે બધા શુભ કાર્ય પણ શરૂ થાય છે. પરંતુ આ વખતે સૂર્ય 14 જાન્યુઆરી, શુક્રવારે બપોરે 02:40 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિ પર નદીએ સ્નાન કરવુ, દાન અને પુણ્યનું વિશેષ મહત્વ હોવાથી લોકોમાં શંકા છે કે સૂર્ય ક્યારે બપોરના સમયે મકર રાશિમાં પ્રવેશ કરે છે, કયા દિવસે આ તહેવાર ઉજવવો. કેટલાક લોકો તેને 14 જાન્યુઆરીએ ઉજવવાની વાત કરી રહ્યા છે તો કેટલાક 15 જાન્યુઆરીને દાન માટે શુભ માની રહ્યા છે. જો તમને પણ સંક્રાંતિની તારીખને લઈને કોઈ મૂંઝવણ હોય, તો ચાલો અહીં જાણીએ ચોક્કસ તારીખ (Real Date of Makar Sankranti 2022) વિશે…

શું કહે છે જ્યોતિષીઓ

જ્યોતિષશાસ્ત્રી ડૉ. અરવિંદ મિશ્રા ના મતે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી કરવી શ્રેષ્ઠ છે કારણ કે સૂર્યાસ્ત પહેલા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશના 16 કલાક પહેલા અને 16 કલાક પછીનો સમય પુણ્યકાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કોઈ શંકા વિના, 14 જાન્યુઆરી, શુક્રવારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવો અને નદી સ્નાન, દાન અને પુણ્ય કરો.

ભગવાન વિષ્ણુના વિજયની યાદમાં સંક્રાંતિ ઉજવવામાં આવે છે

કહેવાય છે કે મકરસંક્રાંતિનો તહેવાર મહાભારતના સમયથી ઉજવવામાં આવે છે. તે જ સમયે, કેટલીક વાર્તાઓમાં, તેને ભગવાન વિષ્ણુના વિજયના દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરના રાક્ષસોનો સંહાર કરીને દેવતાઓને તેમના આતંકમાંથી મુક્ત કર્યા હતા. મકરસંક્રાંતિના દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે અને દિવસો લાંબા અને રાત ટૂંકી થાય છે. શાસ્ત્રોમાં ઉત્તરાયણ (Uttrayan) ને દેવતાઓનો સમય કહેવામાં આવે છે.

Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ

સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ

સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. સૂર્ય ભગવાનને કળિયુગના વાસ્તવિક દેવતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સંક્રાંતિના દિવસે સૂર્યની ઉપાસના કરવાથી સૂર્ય ભગવાન (Lord Surya) ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી વ્યક્તિનું પદ અને પ્રતિષ્ઠા વધે છે, શારીરિક અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઉપાસકને સૂર્યની સાથે શનિ સંબંધિત તમામ પરેશાનીઓથી પણ મુક્તિ મળે છે.

મકરસંક્રાંતિના દિવસે નદી સ્નાન અને દાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ (Pongal), ઉત્તરાયણ (Uttrayan), ખીચડી અને માત્ર સંક્રાંતિ જેવા નામોથી ઓળખવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !

આ પણ વાંચો: Makar Sankranti Surya Rashi Parivartan: મકરસંક્રાંતિ પર સૂર્ય બદલશે રાશી, આ 5 રાશીને થશે ધન લાભ

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">