AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલબાગચા રાજા વિસર્જન માટે 20 કલાકમાં માત્ર 8 કિમીનું અંતર કેમ કાપે છે ?

મુંબઈના સૌથી વધુ ખ્યાતિ ધરાવતા સાર્વજનિક ગણપતિ, લાલબાગચા રાજાને તેમના મંડપથી ગિરગાંવ ચોપાટી સુધીની યાત્રા પૂર્ણ કરવામાં 20 કલાક લાગે છે. જોકે આ અંતર ફક્ત આઠ કિલોમીટરનું જ છે. 8 કિલોમીટરનું અંતર કાપતા 20 કલાક લાગવા પાછળ કેટલીક પરંપરાઓ પણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2025 | 12:32 PM
Share
જ્યારે લાલબાગચા રાજાની ભવ્ય મૂર્તિ તેમના મંડપમાંથી બહાર આવે છે, ત્યારે તેને રસ્તાની બાજુમાં આવેલા મુખ્ય દરવાજા પર લોકનૃત્ય, ગીતો અને લગભગ 2 કલાક સુધી ગુલાલની વર્ષા વચ્ચે વિદાય આપવામાં આવે છે.

જ્યારે લાલબાગચા રાજાની ભવ્ય મૂર્તિ તેમના મંડપમાંથી બહાર આવે છે, ત્યારે તેને રસ્તાની બાજુમાં આવેલા મુખ્ય દરવાજા પર લોકનૃત્ય, ગીતો અને લગભગ 2 કલાક સુધી ગુલાલની વર્ષા વચ્ચે વિદાય આપવામાં આવે છે.

1 / 6
 વિસર્જનની પરંપરા અનુસાર, લાલબાગચા રાજાને પંડાલમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલાં, તેની બાજૂના મંડપના ગણેશ, જેને ગણેશ ગલીના ગણપતિ કહેવામાં આવે છે, તે પહેલા બહાર આવે છે. એવું માનવામાં આવે છે કે, ગણેશ ગલીના ગણપતિએ લાલબાગચા રાજાના માછીમારોની એક ઇચ્છા પૂર્ણ કરી હતી અને આ પછી લાલબાગચા રાજાનો ગણેશ ઉત્સવ શરૂ થયો. તેથી, આ બંને પંડાલો વચ્ચે એક ખાસ સંબંધ છે.

વિસર્જનની પરંપરા અનુસાર, લાલબાગચા રાજાને પંડાલમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલાં, તેની બાજૂના મંડપના ગણેશ, જેને ગણેશ ગલીના ગણપતિ કહેવામાં આવે છે, તે પહેલા બહાર આવે છે. એવું માનવામાં આવે છે કે, ગણેશ ગલીના ગણપતિએ લાલબાગચા રાજાના માછીમારોની એક ઇચ્છા પૂર્ણ કરી હતી અને આ પછી લાલબાગચા રાજાનો ગણેશ ઉત્સવ શરૂ થયો. તેથી, આ બંને પંડાલો વચ્ચે એક ખાસ સંબંધ છે.

2 / 6
વિશાળ પંડાલમાંથી બહાર આવ્યા પછી, લાલબાગચા રાજા  ત્રણથી ચાર કલાક સુધી એના એ જ વિસ્તારમાં ફરતા રહે છે. આ પછી, તેઓ ભાયખલા થઈને ગિરગાંવ ચોપાટી તરફ આગળ વધે છે. ગણેશ ભક્તો આખી રાત વિવિધ સ્થળોએ લાલબાગચા રાજાના આગમનની રાહ જુએ છે. ઘણી જગ્યાએ, લાલબાગના રાજાનું ફૂલોની મોટી માળાથી સ્વાગત કરવામાં આવે છે.

વિશાળ પંડાલમાંથી બહાર આવ્યા પછી, લાલબાગચા રાજા ત્રણથી ચાર કલાક સુધી એના એ જ વિસ્તારમાં ફરતા રહે છે. આ પછી, તેઓ ભાયખલા થઈને ગિરગાંવ ચોપાટી તરફ આગળ વધે છે. ગણેશ ભક્તો આખી રાત વિવિધ સ્થળોએ લાલબાગચા રાજાના આગમનની રાહ જુએ છે. ઘણી જગ્યાએ, લાલબાગના રાજાનું ફૂલોની મોટી માળાથી સ્વાગત કરવામાં આવે છે.

3 / 6
લાલબાગચા રાજા સાથે સંબંધિત એક રસપ્રદ પરંપરા એ છે કે, તેમનું અને તેમના ભક્તોનું વિસર્જન માર્ગ ઉપર બે જગ્યાએ મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત પણ કરવામાં આવે છે. જ્યારે લાલબાગચા રાજા ભાયખલા સ્ટેશન નજીક હિન્દુસ્તાની મસ્જિદ પાસે પહોંચે છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા મીઠાઈ વહેંચવામાં આવે છે. આ પછી, જ્યારે લાલબાગચા રાજાની સવારી મુસ્લિમ બહુમતી ધરાવતા દો ટાંકી વિસ્તારમાં પહોંચે છે, ત્યારે મુસ્લિમ સમુદાય ગણેશ ભક્તોને શાહી શરબત પીરસે છે.

લાલબાગચા રાજા સાથે સંબંધિત એક રસપ્રદ પરંપરા એ છે કે, તેમનું અને તેમના ભક્તોનું વિસર્જન માર્ગ ઉપર બે જગ્યાએ મુસ્લિમ સમુદાય દ્વારા સ્વાગત પણ કરવામાં આવે છે. જ્યારે લાલબાગચા રાજા ભાયખલા સ્ટેશન નજીક હિન્દુસ્તાની મસ્જિદ પાસે પહોંચે છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા મીઠાઈ વહેંચવામાં આવે છે. આ પછી, જ્યારે લાલબાગચા રાજાની સવારી મુસ્લિમ બહુમતી ધરાવતા દો ટાંકી વિસ્તારમાં પહોંચે છે, ત્યારે મુસ્લિમ સમુદાય ગણેશ ભક્તોને શાહી શરબત પીરસે છે.

4 / 6
જ્યારે લાલબાગના રાજા હિન્દુસ્તાની મસ્જિદથી આગળ વિસર્જન માર્ગ પર વધે છે, ત્યારે બીજી એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. જ્યારે લાલબાગચા રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી પસાર થાય છે, ત્યારે ત્યાં ઉભેલા તમામ ફાયર એન્જિનની સાયરન વાગવા લાગે છે અને લાલબાગચા રાજાને સલામી આપવા માટે ફાયર ફાઈટરની લાઇટ પ્રગટાવવામાં આવે છે. લાલબાગના રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી જ્યા સુધી પસાર ના થાય ત્યાં સુધી આ સાયરન વગાડવામાં આવે છે અને ફાયર ફાઈટરના વાહનોની લાઇટ ચાલુ રહે છે.

જ્યારે લાલબાગના રાજા હિન્દુસ્તાની મસ્જિદથી આગળ વિસર્જન માર્ગ પર વધે છે, ત્યારે બીજી એક અનોખી પરંપરા પણ જોવા મળે છે. જ્યારે લાલબાગચા રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી પસાર થાય છે, ત્યારે ત્યાં ઉભેલા તમામ ફાયર એન્જિનની સાયરન વાગવા લાગે છે અને લાલબાગચા રાજાને સલામી આપવા માટે ફાયર ફાઈટરની લાઇટ પ્રગટાવવામાં આવે છે. લાલબાગના રાજાની શોભાયાત્રા મુંબઈ ફાયર બ્રિગેડના મુખ્યાલયની સામેથી જ્યા સુધી પસાર ના થાય ત્યાં સુધી આ સાયરન વગાડવામાં આવે છે અને ફાયર ફાઈટરના વાહનોની લાઇટ ચાલુ રહે છે.

5 / 6
લાલબાગચા રાજાની શોભાયાત્રા જૂના મુંબઈના રસ્તાઓમાંથી પસાર થતી થતી, આખી રાત ધીમી ગતિએ આગળ વધે છે. સવારે 6 વાગ્યે ગિરગાંવ ચોપાટી ખાતે પહોંચ્યા પછી, ત્યાં કોળી સમુદાયના લોકો તેમની બોટ પર રંગબેરંગી ધ્વજ લગાવીને લાલબાગચા રાજાને ભવ્ય સલામી આપે છે. આ પછી, લાગબાગચા રાજાની મૂર્તિને ઊંડા પાણીમાં લઈ જવામાં આવે છે અને વિસર્જન કરવામાં આવે છે.

લાલબાગચા રાજાની શોભાયાત્રા જૂના મુંબઈના રસ્તાઓમાંથી પસાર થતી થતી, આખી રાત ધીમી ગતિએ આગળ વધે છે. સવારે 6 વાગ્યે ગિરગાંવ ચોપાટી ખાતે પહોંચ્યા પછી, ત્યાં કોળી સમુદાયના લોકો તેમની બોટ પર રંગબેરંગી ધ્વજ લગાવીને લાલબાગચા રાજાને ભવ્ય સલામી આપે છે. આ પછી, લાગબાગચા રાજાની મૂર્તિને ઊંડા પાણીમાં લઈ જવામાં આવે છે અને વિસર્જન કરવામાં આવે છે.

6 / 6

ગણેશ ચતુર્થીને લગતા તમામ નાના મોટા સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">