Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જયપુરના મોતી ડુંગરી ગણેશજી એટલે તો લડ્ડુપ્રિય ગણેશજી ! તમને ક્યાંય જોવા નહીં મળે લાડુનો આવો પ્રસાદ !

ઉત્સવના અવસરે મંદિરમાં નાનાથી લઈ મોટા કદ સુધીના એટલા લાડુ ગોઠવાઈ જાય છે કે એવું લાગે કે જાણે લાડુના જ શણગાર સજ્યા હોય ! કહે છે કે આવાં અને આટલાં લાડુ તો વિશ્વના બીજા કોઈ મંદિરમાં જોવા નથી મળતા. એટલે જ તો ભક્તો તેમને લડ્ડુ પ્રિય મોતી ડૂંગરી કહીને સંબોધે છે.

જયપુરના મોતી ડુંગરી ગણેશજી એટલે તો લડ્ડુપ્રિય ગણેશજી ! તમને ક્યાંય જોવા નહીં મળે લાડુનો આવો પ્રસાદ !
Moti dungari ganeshji
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 29, 2022 | 1:53 PM

ગણેશજીનું (ganesh) નામ બોલતાં જ આપણને સહજપણે જ લાડુનું કે મોદકનું સ્મરણ થઈ આવે. કારણ કે, ગજાનનને તો લાડુ ખૂબ જ ભાવે છે. પણ, અમારે આજે વાત કરવી છે એક એવાં ગણેશ મંદિરની કે જ્યાં વિઘ્નહર્તાને લાડુ એટલાં ભાવે છે કે આખા મંદિરમાં જ લાડુના ડુંગર ખડકાઈ જાય છે ! વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે, પણ, જયપુરનું મોતી ડૂંગરી ગણેશ મંદિર તેની આ જ વિશેષતા માટે તો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.રાજસ્થાનના જયપુરથી લગભગ 6 કિલોમીટરના અંતરે મોતી ડૂંગરી નામે એક વિસ્તાર આવેલો છે. મોતી ડુંગરી એ તેના પર આવેલા બીરલા મંદિર અને ભવ્ય કિલ્લા માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. અને આ કિલ્લાની તળેટીમાં જ આવેલું છે મંગલમૂર્તિનું ‘મંગલમય’ સ્થાનક. એટલે કે મોતી ડૂંગરી ગણેશજીનું મંદિર.

અહીં ઐતિહાસિક ધરોહર મધ્યે વિઘ્નહર્તાનું અત્યંત મહાકાય રૂપ સ્થાપિત થયું છે. સિંહાસન પર આરૂઢ સિંદૂરી ગણેશજીનું આ રૂપ માત્ર ભવ્ય જ નહીં, દિવ્ય પણ ભાસી રહ્યું છે. અને તેમની આ દિવ્યતાથી ખેંચાઈને જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટતા રહે છે.

અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો

પ્રાગટ્ય કથા

પ્રચલિત કથા કંઈક એવી છે કે મેવાડના માવલીના રાજા ઘણાં વર્ષો બાદ તેમના મહેલે પરત ફરી રહ્યા હતા. તે સમયે તેમણે ગુજરાતમાં એક ભવ્ય ગણેશ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તે મૂર્તિને ગાડામાં સ્થાપિત કરી તેમણે નક્કી કર્યું કે ગાડાના પૈડાં જ્યાં સૌથી પહેલાં થંભશે ત્યાં તે આ ભવ્ય ગણેશ પ્રતિમાનું સ્થાપન કરશે. કહે છે કે ગાડું સર્વ પ્રથમ જયપુરના આ જ ડુંગર પાસે આવીને અટકી ગયું. તેના મોતી જેવાં આકારને લીધે આ ડુંગર મોતી ડૂંગરીના નામે ઓળખાતો. અને પછી તો તેમની જ ઈચ્છાથી અહીં વિદ્યમાન થયેલાં ગજાનન પણ મોતી ડૂંગરી ગણેશના નામે જ ખ્યાત બન્યા.

લાડુ પ્રસાદનો મહિમા

મોટાભાગે ભક્તો ગણેશમંદિરમાં દર્શને પહોંચે ત્યારે તેમની સાથે લાડુ પ્રસાદ લઈને જ જતા હોય છે. પરંતુ, દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર મોતી ડૂંગરીના સાનિધ્યે મેળો લાગે છે. અને મોતી ડૂંગરીના આશિષથી જેમની કામના પૂર્ણ થઈ છે તેવાં ભક્તો વિઘ્નહર માટે લાડુ લઈને આવે છે ! આ અવસરે નાનાથી લઈ મોટા કદ સુધીના એટલા લાડુ મંદિરમાં ગોઠવાઈ જાય છે કે એવું લાગે કે જાણે લાડુના જ શણગાર સજ્યા હોય. કહે છે કે આવાં અને આટલાં લાડુ તો વિશ્વના બીજા કોઈ મંદિરમાં જોવા નથી મળતા. અને એટલે જ તો ભક્તો તેમને લડ્ડુ પ્રિય મોતી ડૂંગરી કહીને સંબોધે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

આ પણ વાંચો : હનુમાનજીથી લઈને ગણેશજી સુધી કયા દેવની કેટલી થાય છે પ્રદક્ષિણા ? ફટાફટ જાણી લો…

અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
Rajkot : દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા આપવાનું કહી પડાવ્યા 70 લાખ
Rajkot : દિવાલની આરપાર જોઈ શકાય તેવા ચશ્મા આપવાનું કહી પડાવ્યા 70 લાખ
ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર
ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર
કુડસદ GIDCમાં ઓઈલ ટેન્કમાં આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ
કુડસદ GIDCમાં ઓઈલ ટેન્કમાં આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ
Kutch : 7 લાખની લૂંટના કેસમાં ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ !
Kutch : 7 લાખની લૂંટના કેસમાં ફરિયાદી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ !
g clip-path="url(#clip0_868_265)">