Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે. કહે છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઇપણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે.

Ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા
Lord Ganesh
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:05 AM

કોઇપણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં શ્રીગણેશજીની (ganesha) પૂજા કરવામાં આવે છે. સૌપ્રથમ તેમનું આહ્વાન કરવામાં આવે છે. એનું એક જ કારણ છે કે આગળ જઇને કોઇપણ પ્રકારનું વિઘ્ન, સંકટ કે મુસીબત આવે તો ગણેશજીના પ્રભાવથી તે સમાપ્ત થઇ જાય. વિઘ્ન નિવારણ કરવાની સાથે ગણેશજીને વિદ્યા, બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ, શક્તિ અને સન્માન આપનાર પણ ગણવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી જ એકમાત્ર એવા દેવતા છે, કે જેમને સર્વપ્રથમ પૂજવામાં આવે છે. તેમને ગણપતિ (ganpati), ગણનાયકની (gannayak) પદવી પણ પ્રાપ્ત છે. અધ્યાત્મના વિવિધ ક્ષેત્રોમાં, હિન્દુ ધર્મની અનેક શાખાઓમાં ગણેશજી પૂજ્ય અને અતિશય પ્રભાવ-સંપન્ન દેવતા તરીકે સ્વીકૃત છે. તેમને ગણપતિ, આદિદેવ અને વિનાયક પણ કહેવામાં આવે છે. તે સિદ્ધિઓના સ્વામી અને રિદ્ધિઓના નિયંત્રક છે.

રિદ્ધ-સિદ્ધિ એ ગણેશજીની અનુચારીણી છે. વિદ્યા, વ્યવસાય, કૃષિ, ભવન નિર્માણ, પૂજા-પાઠ, પારિવારિક સમારંભો તથા અન્ય દરેક કાર્યોમાં સર્વપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે. આધ્યાત્મિક જગતના પ્રત્યેક ક્ષેત્રમાં ગણેશજીને સર્વાધિક આસ્થા પ્રાપ્ત થયેલ છે. કોઇપણ કાર્ય હોય ગણેશજીના સ્તવન વિના તેની શરૂઆત કરવામાં જ નથી આવતી.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

પૂજા-પાઠ, જપ-તપ, યજ્ઞ-હવન, તંત્ર-મંત્ર વગેરે જેવાં બધા પ્રસંગોમાં ગણેશજી સર્વપ્રથમ પૂજીત હોય છે. તેમનું રૂપ થોડું અલગ પ્રકારનું છે. પ્રસિદ્ધ કથા મુજબ એકવાર ભગવાન શિવને ગણેશજીએ તેમના જ ઘરમાં પ્રવેશતા રોક્યા હતા અને તેના કારણે ક્રોધમાં ભરાયેલ શિવજીએ ત્રિશૂળ વડે ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યારબાદ પાર્વતીજીની વિહવળતા જોઇને એક હાથીના બાળકનું મસ્તક ગણેશજીને લગાવીને ગણેશજીને જીવંત કર્યા. ત્યારથી ગણેશજીને ગજાનનના (gajanan) નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપાસના જેવા કાર્યોમાં ગણેશજીના ગજાનન સ્વરૂપની પૂજા વિધિ પ્રચલિત છે.

આમ ગણેશજી દરેક વર્ગના લોકો માટે સમાન રૂપથી પૂજય છે. તેમજ તે પોતાના ભક્તો પર કૃપા કરતા રહ્યા છે. હિન્દુ ધર્મના દરેક કાર્યોમાં ગણેશજીની પૂજા સર્વપ્રથમ કરવામાં આવે છે. વિઘ્નોને દૂર કરી કાર્યોમાં સફળતા અને કલ્યાણ પ્રદાન કરવામાં ગણેશજીનું સ્થાન મોખરે છે. કહે છે કે આસ્થા અને ભક્તિપૂર્વક મંત્ર, યંત્ર, તંત્ર આ ત્રણમાંથી કોઇપણ પ્રકારે કરવામાં આવતી ગણેશ સાધના તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે.

દરેક શુભ કાર્યોના આરંભમાં આસ્તિક હિન્દુ સમાન ગણેશજીનું પૂજન, વંદન અને ધ્યાન કરવું એ પોતાનો ધર્મ અને કર્તવ્ય સમજે છે. આના કારણે દરેક કાર્યોમાં સારા ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ લક્ષ્મીજીની પ્રાપ્તિ પણ થાય છે. (નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સુખી અને સમૃદ્ધ દામ્પત્ય જીવન માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો

આ પણ વાંચો : જો તમામ પ્રયત્નો છતાં પણ ન થતું હોય નોકરીનું સપનું પૂરું, તો કરો આ લાભકારી જ્યોતિષી ઉપાય

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">