તમિલનાડુ
તમિલનાડુ ભારતના દક્ષિણ ભાગમાં આવેલું એક મહત્વપૂર્ણ રાજ્ય છે. તેની રાજધાની ચેન્નાઈ છે. રાજ્ય પૂર્વ અને દક્ષિણ બાજુએ હિંદ મહાસાગરથી ઘેરાયેલું છે, જ્યારે તેની સીમાઓ કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી છે. તમિલનાડુમાં કુલ 38 જિલ્લાઓ છે અને અહીં મુખ્યત્વે તમિલ ભાષા બોલાય છે. રાજ્યનો સંસ્કૃતિક વારસો અને પરંપરાઓ અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે.
આ રાજ્યમાં ટેક્સટાઇલ, કમર્શિયલ વાહનો, ઓટોમોબાઇલ, આઈટી, બેન્કિંગ, કૃષિ અને ખાદ્ય ઉદ્યોગ, તેમજ ફાર્માસ્યુટિકલ જેવા અનેક ક્ષેત્રોમાં વિકસેલી ઉદ્યોગ વ્યવસ્થાઓ છે, જે રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમિલનાડુ ખાસ કરીને તેની પ્રસિદ્ધ કાંચીપુરમ સિલ્ક સાડીઓ, તંજાવુર પેઇન્ટિંગ તેમજ પિત્તળ અને કાંસાના કળાત્મક કામ માટે ઓળખાય છે.
અહીંનું ભોજન પણ ખૂબ જ લોકપ્રિય છે. ઉત્તપમ, ડોસા અને રસમ જેવી વાનગીઓ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. રાજ્યમાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે, જેમાં મહાબલીપુરમના પ્રાચીન મંદિરો અને સ્મારકો ખાસ આકર્ષણ છે. ઉપરાંત, અહીંના સુંદર હિલ સ્ટેશનો પણ પ્રવાસીઓ માટે લોકપ્રિય પ્રવાસ સ્થળો ગણાય છે.
Breaking News : એક્ટરમાંથી મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિ નીકળ્યા આતંકવાદીઓના કટ્ટર સમર્થક ! એક વીડિયોએ ખોલ્યા રહસ્યો, જુઓ
તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે 18 મે, મુલ્લીવૈક્કલ સ્મૃતિ દિવસ નિમિત્તે X પર કરેલી પોસ્ટથી રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકારણ અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેની પાતળી રેખા પર ઉઠેલા આ મુદ્દાએ રાજ્યના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ભંડોળના જોડાણ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે, જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
- Sagar Solanki
- Updated on: May 22, 2026
- 7:45 pm
ગુજરાતમાં દારૂબંધી છે, બાકી અન્ય રાજ્યોની સરકાર દારૂમાંથી કેટલી કમાણી કરે છે, જાણો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, અન્ય રાજ્યો માટે દારૂ વેચાણ આવકનો મોટો સ્ત્રોત છે. ભારતમાં દારૂ GST હેઠળ ન હોવાથી, રાજ્ય સરકારો એક્સાઇઝ ડ્યુટી દ્વારા કરોડોની કમાણી કરે છે.
- Sagar Solanki
- Updated on: May 22, 2026
- 4:31 pm
Breaking News : થલાપતિ વિજયનો CM બન્યા બાદ મોટો નિર્ણય, જો કોઈ લાંચ માંગે તો ફરિયાદ કરો, મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ
જો તમારી પાસે 1,000 રુપિયાની કોઈ લાંચ માંગે તો તમને 1 લાખ રુપિયાનું ઈનામ મળશે. સાંભળવામાં તો પહેલી વખત આ વાત પર કોઈને વિશ્વાસ આવતો નહી હોય પરંતુ આ વાત સત્ય છે. તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલાપતિ વિજયે ભષ્ટ્રાચાર નાબુદ કરવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે.
- Nirupa Duva
- Updated on: May 20, 2026
- 8:06 am
Breaking News: ગજબ સંયોગ…ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 માં બનશે ચેમ્પિયન? તમિલનાડુમાં સત્તા પરિવર્તન સાથે કનેક્શન
તમિલનાડુમાં થયેલા રાજકીય પરિવર્તનને કારણે CSK IPL 2026 ના ચેમ્પિયન બનવાની શક્યતા વધી ગઈ છે. અમે આ કારણ વગર નથી કહી રહ્યા, તેની પાછળ એક લાંબો ઈતિહાસ છે. આ વર્ષે પણ ગજબ સંયોગ બની રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: May 18, 2026
- 5:27 pm
તમિલનાડુ CMની કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ, PMને લખ્યો પત્ર
જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવોને કારણે સિન્થેટિક ફાયબરના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા વિદેશી કપાસ સસ્તા દરે આયાત કરવાની માંગ વધી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો કપાસની આયાત વેરામુક્ત કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે દેશમાં આવશે, જેના સીધા પ્રભાવથી દેશના કપાસ પકવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે.
- TV9 Gujarati
- Updated on: May 17, 2026
- 1:51 pm
14 વર્ષની કિશોરીની અપીલ બાદ, થલાપતિ વિજયે, હટાવી દીધુ CM ખુરશી પરનુ VIP કલ્ચર
તમિલનાડુના મુખ્ય પ્રધાન થલાપતિ વિજયે ફરી એકવાર એક એવું પગલું ભર્યું છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. 14 વર્ષની આબોહવા કાર્યકર્તા લિસિપ્રિયા કાંગુજમની અપીલ બાદ, વિજયે પોતાની ખુરશી પરથી સફેદ ટુવાલ હટાવ્યો છે, જેનાથી સાદગીનો સંદેશ મળ્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 17, 2026
- 11:04 am
Breaking News: ભારત પરત ફરશે 1000 વર્ષ જૂની ‘ચોળા’ ધરોહર, નેધરલેન્ડે સોંપ્યા ઐતિહાસિક તામ્રપત્ર
નેધરલેન્ડે 11મી સદીના ચોળા વંશ સાથે જોડાયેલા ઐતિહાસિક તામ્રપત્રો ભારતને પરત આપ્યા છે. આ તામ્રપત્રો ચોળા સામ્રાજ્યની સંસ્કૃતિ, સમુદ્રી શક્તિ અને દક્ષિણ ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ પુરાવા માનવામાં આવે છે.
- Nishat
- Updated on: May 17, 2026
- 8:54 am
Breaking News: “સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ”, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન
તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિે સનાતન ધર્મ પર ફરી એકવાર વિવાદી નિવેદન આપ્યુ છે. આ નિવેદન તેમણે તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલપતિ વિજયની સામે આપ્યુ છે.
- Mina Pandya
- Updated on: May 12, 2026
- 1:32 pm
Breaking News : મુખ્યમંત્રી બન્યા બાદ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, તમિલનાડુમાં મંદિરો અને શાળાઓ પાસે દારૂ પર પ્રતિબંધ
મુખ્યમંત્રી બન્યા બાદ થલાપતિ વિજયનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયના લોકોએ વખાણ પણ કર્યા છે. શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે તમિલનાડુની ખુરશી સંભાળી લીધી છે.
- Nirupa Duva
- Updated on: May 12, 2026
- 9:29 am
Breaking News : જ્યોતિષે કરી મોટી આગાહી, થલાપતિ વિજયની સરકાર 6 મહિનામાં પડી જશે, તમિલનાડુમાં ફરી ચૂંટણી થશે
જ્યોતિષની આગાહીએ હંગામો મચાવી દીધો છે. તેમણે કહ્યું કે, થલાપતિ વિજય ત્રિશાના કારણે ચૂંટણી જીત્યા છે પણ સરકાર ટૂંક સમયમાં પડી શકે છે, આટલું જ નહી તમિલનાડુમાં ફરી ચૂંટણી થશે, હવે જોવાનું રહ્યું આ આગાહી કેટલી સાચી પડે છે.
- Nirupa Duva
- Updated on: May 11, 2026
- 11:40 am
Breaking News : દીકરાએ CM બની માતાને મધર્સ ડે પર આપી ગિફટ, તો શપથ લેતાની સાથે જ વિજયે લોકોને આપી આ મોટી વસ્તુઓ
તમિલનાડુની રાજનીતિમાં એક નવો અધ્યાય જોડાયો છે. અભિનેતાથી સીએમ બનેલા થલાપતિ વિજયે આજે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે તેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.
- Nirupa Duva
- Updated on: May 10, 2026
- 1:01 pm
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 ધારાસભ્યે પણ લીધા શપથ, 59 વર્ષમાં પહેલીવાર DMK-AIADMKની સરકાર નહીં
આજથી તમિલનાડુમાં 'વિજય' રાજનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. ટીવીકે ચીફ સી. જોસેફ વિજયે, તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 9 ધારાસભ્યોએ પણ પ્રધાન તરીકે શપથ લીધા. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન-DMK અથવા AIADMK સરકાર રચાઈ છે.
- TV9 Gujarati
- Updated on: May 10, 2026
- 12:17 pm
Breaking News: થલાપતિ વિજય આજે તમિલનાડુના CM તરીકે લેશે શપથ, ત્રિશા કૃષ્ણન સ્થળ પર પહોંચી, જુઓ વીડિયો
TN CM Vijay Oath Ceremony: થલાપતિ વિજય 10 મેના રોજ સવારે 10 વાગ્યે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ નેહરુ સ્ટેડિયમ પહોંચી છે.
- Meera Kansagara
- Updated on: May 10, 2026
- 10:20 am
Breaking News : CM બનતા પહેલા જ વિજય સાથે થઈ ગયો ખેલ ! પાર્ટી પર લાગ્યો બનાવટી સમર્થન પત્ર સબમિટ કરવાનો આરોપ
એએમએમકેના વડા ટીટીવી દિનાકરણે થલાપતિ વિજયની પાર્ટી, તમિઝગા વેત્રી કઝગમ (ટીવીકે) પર ગંભીર આરોપ લગાવ્યો છે, જેમાં તેના પર બનાવટી સમર્થન પત્ર સબમિટ કરવાનો આરોપ લગાવ્યો છે.
- Devankashi rana
- Updated on: May 9, 2026
- 8:42 am
MLA Accommodation : ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યને કેટલા દિવસ પછી ઘર મળે છે?
4 મે 2026ના દિવસે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવેલા. તેમાં સૌથી વધારે લોકોનું ધ્યાન પશ્ચિમ બંગાળ પર હતું. પશ્ચિમ બંગાળ રાજ્યની 294 બેઠકોમાંથી ભાજપે 207 બેઠકો પર જીતી મેળવી છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસે 80 બેઠકો જીતી છે.
- Dhruval Shah
- Updated on: May 6, 2026
- 1:26 pm