AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માલદીવ

માલદીવ

માલદીવ શ્રીલંકાની દક્ષિણે હિંદ મહાસાગરમાં સ્થિત નિષ્કલંક દરિયાકિનારાનું ઉષ્ણકટિબંધીય આશ્રયસ્થાન છે, જે 1,192 કોરલ એટોલ્સનો કુદરતી દ્વીપસમૂહ છે. સ્કુબા ડાઈવિંગ જેવી વોટર સ્પોર્ટ્સ આકર્ષક પ્રવૃત્તિઓ માટે ફેમસ, માલદીવ તેના વાદળી પાણીમાં વિવિધ દરિયાઈ જીવન અને રેતાળ દરિયાકિનારા માટે પણ ફેમસ છે. જેના કારણે તે વોટર સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે એક પોપ્યુલર ડેસ્ટિનેશન બની ગયું છે. માલદીવમાં છેલ્લા 10 વર્ષોમાં મોટા ફેરફારો થયા છે અને વસવાટવાળા ટાપુઓમાં સુધારો થયો છે અને પ્રવાસીઓ માટે અનુકૂળ છે. જેના કારણે તે હવે વિશ્વના સૌથી વધુ જોવામાં આવતા પર્યટન સ્થળોમાંનું એક બની ગયું છે

ભારત સાથે માલદીવના સાંસ્કૃતિક સંબંધો પણ છે. તે માલદીવના નામથી જ શરૂ થાય છે. એવું કહેવાય છે કે માલદીવમાં ‘માલ’ શબ્દ મલયાલમ શબ્દ ‘માલા’ પરથી આવ્યો છે. માલદીવમાં ‘માલ’ એટલે માળા અને દીવ એટલે ટાપુ.

શ્રીલંકાના પ્રાચીન મહાવંશામાં ‘મહિલાદિવા’ લખવામાં આવ્યું છે. તેનો અર્થ ‘મહિલાદ્વિપ’ કહેવાય છે. મહાવંશ પાલી ભાષામાં છે અને એવું કહેવાય છે કે પાલી ભાષામાં મહિલા માટેના શબ્દનો ભૂલથી સંસ્કૃતમાં માલા તરીકે અનુવાદ થયો હતો. માલદીવ નામનો અર્થ થાય છે ટાપુઓની માળા. મતલબ એક દેશ જે ઘણા ટાપુઓનો સમૂહ છે. માલદીવની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ માલાદ્વીપ પરથી થઈ છે.

માલદીવ એ 1,192 ટાપુઓનો સમૂહ છે જે ભારતના દક્ષિણ કિનારે 700 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. 1965 માં બ્રિટનથી આઝાદી મેળવ્યા પછી તે શરૂઆતમાં એક રાજાશાહી હતી અને નવેમ્બર 1968 માં તેને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.

Read More

બાંગ્લાદેશમાં એકાએક ભારત વિરોધી તાકતો સક્રિય… શું ચૂંટણીમાં લાભ લેવા યુનુસ માલદિવના રસ્તે ચાલશે?

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશમાં ભારત વિરોધી વલણ વધ્યું છે, જેના કારણે લઘુમતી હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન આ સ્થિતિનો લાભ લઈ રહ્યા છે. માલદીવના ભારત વિરોધના ફોર્મ્યુલાને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીની સ્થિતિમાંથી પણ જો બાંગ્લાદેશ કોઈ બોધપાઠ નથી લેતુ... તો આવનારા દિવસોમાં બાંગ્લાદેશ માટે પણ આર્થિક અને ભૌગોલિક રાજકીય જોખમો સર્જાઈ શકે છે કારણ કે ભારત પહેલેથી બાંગ્લાદેશનુ સૌથી મોટુ વ્યાપારિક ભાગીદાર રહ્યુ છે.

જો કોઈ દેશ સમુદ્રમાં ડૂબી જાય… પરંતુ નાગરિકો બચી જાય તો શું નક્શામાં એ દેશ રહેશે કે ખોવાઈ જશે? શું કહે છે ઈન્ટરનેશનલ કાયદો?

માલદીવ સહિત વિશ્વના અનેક દેશો એવા છે જેના પર નક્શામાંથી ખોવાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યુ છે. હકીકતમાં જેમ જેમ દિવસો જઈ રહ્યા છે. આ ટાપુ દેશોનો થોડો-થોડો ભાગ સમુદ્રમાં સમાઈ રહ્યો છે. અહીંના નાગરિકો પણ ખુદને ક્લાઈમેટ રેફ્યુજી ગણાવી રહ્યા છે. આ દેશોની ધરતી જો ક્યારેક સંપૂર્ણપણે ડૂબી જશે તો શું તેમનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે?

ગ્લોબલ વોર્મિંગનો ભોગ બનશે માલદીવ, આટલા વર્ષમાં દુનિયાના નકશામાંથી સાવ ભૂંસાઈ જશે

પીએમ મોદી માલદીવની મુલાકાતે છે. તેઓ 25-26 જુલાઈ સુધી અહીં રોકાશે અને માલદીવની સ્વતંત્રતાની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે. શું તમને ખબર છે? માલદીવ સૌથી વધુ જોખમમાં છે. પીગળતા ગ્લેશિયર્સ અને ગ્રીનહાઉસ વાયુઓને કારણે, સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. આ ટાપુ દેશ કેટલા વર્ષમાં ગ્લોબલ વોર્મિંગનો ભોગ બનશે. જાણો સંપૂર્ણ વિગતો.

Visa Free Countries: વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ

ભારતીયો કુલ 59 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી ધરાવે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, ભારતીય નાગરિકો વિઝા વિના 59 દેશોની મુલાકાત લઈ શકે છે, ત્યારે ચાલો જાણીએ કયા કયા દેશોના આ લિસ્ટમાં નામ સામેલ છે.

શ્રીલંકામાં રેલવે અને નેપાળમાં પેટ્રોલિયમ પાઇપલાઇન… ભારત પડોશી દેશોમાં કયા પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 6 એપ્રિલે શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને 128 કિમી લાંબી રેલવે લાઇન અને આધુનિક સિગ્નલિંગ સિસ્ટમના અપગ્રેડેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભારતના પડોશી દેશોના વિકાસમાં રોકાણને પ્રતિબિંબિત કરે છે. મોદી સરકારના નેતૃત્વ હેઠળ, ભારતે નેપાળ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, માલદીવ અને મ્યાનમાર જેવા દેશોમાં માળખાગત સુવિધાઓ, આરોગ્યસંભાળ અને ઉર્જા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે, જે પ્રાદેશિક સહયોગ અને વિકાસને પ્રોત્સાહન આપે છે.

Budget 2025 : ભારતે બજેટમાં ‘પાડોશીઓ’નું પણ રાખ્યું ધ્યાન…આ દેશ પર વરસાવ્યો સૌથી વધુ પ્રેમ

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું. આ બજેટમાં ભારતે તેના પાડોશી દેશો માટે પણ બજેટ ફાળવ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારત દ્વારા તેના પાડોશી દેશો માટે બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે કયા દેશ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે.

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">