AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ છે. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ સાથે તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરગંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તેમણે રમાદેવી મહિલા મહાવિદ્યાલય, ભુવનેશ્વરમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

તેમના પતિ અને બે પુત્રોનું અવસાન થયું છે. જ્યારે તેમને ઇતિશ્રી મુર્મૂ નામની પુત્રી પણ છે. મુર્મૂએ પોતાના કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તેમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 1997માં તેમણે રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલરની ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

2009 માં, મુર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી બે વખત ધારાસભ્ય હતા. આ સિવાય મુર્મૂ ઓડિશાની બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકારમાં 2000 થી 2004 દરમિયાન વાણિજ્ય, પરિવહન અને પછી મત્સ્ય અને પશુ સંસાધન વિભાગના પ્રધાન હતા.

2015માં દ્રૌપદી મુર્મૂને ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ બનાવવામાં આવી હતી. ભાજપે તેમને NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા અને આ ચૂંટણી જીત્યા બાદ તેમણે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

 

 

Read More

10 ઓકટોબરના મહત્વના સમાચાર : અમદાવાદના સારંગપુર ઓવરબ્રિજનું પુનર્નિર્માણ ઑગસ્ટ 2026 સુધીમાં થઈ જશે

આજે 10 ઓક્ટોબરને શુક્ર વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ, 9 દિવસ વહેલા ખોલી દેવામાં આવી સફારી, 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ લેશે મુલાકાત

ગુજરાતના ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની ખબર છે. ગીર જંગલ સફારીની ફરીથી શરૂઆત થઇ ચુકી છે. આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના આગમનને ધ્યાને લઈ જંગલ સફારી 9 દિવસ પહેલાં ખોલી દેવામાં આવી છે.

‘ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની લડતમાં મિસાલ બનશે’, સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસ પૂર્વે પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી.

નવા જૂનીના એંધાણ ! PM મોદી અને અમિત શાહ અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા, જાણો શું હતું કારણ

રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવને મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. મુલાકાતની વિગતો તાત્કાલિક ઉપલબ્ધ નથી, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) કવાયત અને સંસદમાં ગતિરોધને લઈને થઈ હતી.

રાજીનામાંની આખરી રાત.. કોઈને જાણ કર્યા વિના જ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જગદીપ ધનખડ, જાણો એ રાત્રે શું થયું ?

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવાર રાત્રે અચાનક પોતાનું રાજીનામું આપી દીધું છે, જેને મંગળવારે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું. ધનખડે પોતાના સ્વાસ્થ્યને કારણે તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજીનામાની રીત અને સમયને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

PM મોદીએ આ વ્યક્તિને ફોન કરીને પૂછ્યુ, “હું હિંદીમાં બોલુ કે મરાઠીમાં? પછી મરાઠીમાં બોલીને મોદીએ ભાષા વિવાદ પર આપ્યો કડક સંદેશ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી અને મરાઠી ભાષી લોકો વચ્ચે સંઘર્ષની ચાલી રહ્યો છે. આ દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યસભા માટે મનોનિત થયેલા અને મહારાષ્ટ્રના નામાંકિત વકીલ ઉજ્જવલ નિકમ સાથે ફોન પર વાત કરીને ભાષા વિવાદ મુદ્દે એક મોટો સંદેશ આપ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે 4 દિગ્ગજોને નામાંકિત કર્યા: જાણો તેમના નામ અને યોગદાન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની સંસદમાં ચાર હસ્તીઓને નામાંકિત કર્યા છે, જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કર્યું છે. રાજ્યસભામાં નામાંકિત સભ્ય વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈ હુમલા સહિત અનેક ફોજદારી કેસોમાં ન્યાય પૂરો પાડ્યો છે. દેશ-વિદેશમાં ભારતનું નામ રોશન કરનારા ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, સામાજિક કાર્ય માટે હંમેશા સમર્પિત સદાનંદન માસ્ટર અને શિક્ષણ ક્ષેત્રે નિપુણ મીનાક્ષી જૈનને રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વેલેન્ટાઈન વીકમાં રાષ્ટ્રપતિ ભવનમાં થશે લગ્ન, પહેલીવાર ગુંજશે વિવાહની શરણાઈ, જાણો કોણ છે વર-કન્યા

રાષ્ટ્રપતિભવનમાં ફરજ પર તહેનાત એક યુવતીના કામ અને નિષ્ઠાથી પ્રભાવિત થઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી આપી દીધી છે. વેલેન્ટાઈન વીક દરમિયાન આ યુવતી તેના બોયફ્રેન્ડ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન સમારોહ માટે માત્ર ગણતરીના લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">