AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ

દ્રૌપદી મુર્મૂ હાલમાં ભારતના રાષ્ટ્રપતિ છે. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ સાથે તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરગંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો. તેમણે રમાદેવી મહિલા મહાવિદ્યાલય, ભુવનેશ્વરમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

તેમના પતિ અને બે પુત્રોનું અવસાન થયું છે. જ્યારે તેમને ઇતિશ્રી મુર્મૂ નામની પુત્રી પણ છે. મુર્મૂએ પોતાના કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તેમની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 1997માં તેમણે રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલરની ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

2009 માં, મુર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી બે વખત ધારાસભ્ય હતા. આ સિવાય મુર્મૂ ઓડિશાની બીજુ જનતા દળ અને ભાજપની ગઠબંધન સરકારમાં 2000 થી 2004 દરમિયાન વાણિજ્ય, પરિવહન અને પછી મત્સ્ય અને પશુ સંસાધન વિભાગના પ્રધાન હતા.

2015માં દ્રૌપદી મુર્મૂને ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ બનાવવામાં આવી હતી. ભાજપે તેમને NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા અને આ ચૂંટણી જીત્યા બાદ તેમણે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

 

 

Read More

Breaking News: પેપર લીક અને રામ મંદિરના મુદ્દે સંસદમાં જામશે ‘અસલી જંગ’? જાણો ક્યારથી શરૂ થઈ રહ્યું છે ‘ચોમાસુ સત્ર’

દેશના વિકાસ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ યોજાનારું આ સત્ર આ વખતે ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે આમાં સરકાર કેટલાક મહત્વના બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ, બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે વિપક્ષ પણ હોબાળો મચાવવા તૈયાર છે.

Breaking News: જે દિવસે ભારત માટે રમી પહેલી મેચ, 19 વર્ષ બાદ તે જ દિવસે મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રોહિત શર્મા સાથે બન્યો ગજબ સંયોગ

ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા માટે 23 જૂન 2026નો દિવસ ખાસ યાદગાર બની ગયો હતો. રમતગમત ક્ષેત્રે તેના અમૂલ્ય યોગદાન બદલ તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે બરાબર 19 વર્ષ પહેલા આ જ તારીખે રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેના કારણે આ સન્માન વધુ વિશેષ બની ગયું છે.

Padma Shri 2026 : રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના ચાર મહાનુભાવોને પદ્મશ્રીથી કરાયા સન્માનિત, જુઓ Video

રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુ દ્વારા 2026ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાતના ચાર મહાનુભાવો - હાજી કાસમ રમકડું, નીલેશ માંડલેવાલા, ધાર્મિકલાલ પંજિયાર અને રતિલાલ બોરીસાગરને પદ્મશ્રીથી સન્માનિત કરીને રાજ્યનું ગૌરવ વધારવામાં આવ્યું.

Breaking News: વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરને મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્યા સન્માનિત

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતે ગયા વર્ષે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ક્રિકેટમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તેને દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Breaking News : 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25 મેના રોજ એવોર્ડ આપશે

Padma Awards 2026 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 25મી તારીખે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો રજૂ કરશે, જેમાં કુલ 131 લોકોને સન્માનિત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.

Breaking News : સુપ્રીમ કોર્ટમાં મોટો ફેરફાર, હવે 33 નહીં પરંતુ 37 જજ લોકોની સમસ્યાઓ સાંભળશે

સુપ્રીમ કોર્ટેમાં જજની સંખ્યા વધી 38 થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેબિનેટના આ નિર્ણયને મંજુરી આપી દીધી છે. કાનૂની સમુદાયે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, જેનાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી થવાની અપેક્ષા છે.

Breaking News : જીતશો તો ઇતિહાસ બનાવશો, હારશો તો ઇતિહાસ બની જશો : અજીત ડોભાલ

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અજીત ડોભાલને પીએચ.ડી.ની પદવી એનાયત કરાઈ. ડોભાલે રાષ્ટ્રીય સુરક્ષાને સમગ્ર દેશની સામૂહિક જવાબદારી ગણાવી. રાષ્ટ્રપતિએ સાયબર અપરાધો સામે લડવા સક્ષમ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની જરૂરિયાત પર ભાર મૂક્યો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મમતા બેનર્જી સામે આ વાતને લઈને દર્શાવી નારાજગી, કહ્યુ “હું તો તેમને નાની બહેન જેવા માનુ છુ,છતાં….”

પશ્ચિમ બંગાળના 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાજરી આપી હતી. તેમણે નાના સ્થળ પર કાર્યક્રમને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ફાંસીદેવામાં નિયુક્ત મેદાન ખૂબ નાનું હતું, જેના કારણે ઘણા લોકો કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહીં. ત્યારબાદ તેમણે વિધાનનગરમાં મોટા મેદાનને જોઈ કહ્યું કે આ સ્થળ પર કાર્યક્રમ થતું તો લાખો લોકો ભેગા થઈ શકતા હતા.

PM Rashtriya Bal Puraskar 2025 : ક્રિકેટર વૈભવ સહિત 20 બાળકોને મળ્યો બાળ પુરસ્કાર,આ સન્માન કોને મળી શકે છે જાણો

Pradhan Mantri Rashtriya Bal Puraskar 2025 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મએ દેશના 20 હોનહાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. જેમાં ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પણ સામેલ રહ્યો હતો. તો ચાલો જાણીએ વિજેતાઓને કેટલી રકમ મળે છે?

10 ઓકટોબરના મહત્વના સમાચાર : અમદાવાદના સારંગપુર ઓવરબ્રિજનું પુનર્નિર્માણ ઑગસ્ટ 2026 સુધીમાં થઈ જશે

આજે 10 ઓક્ટોબરને શુક્ર વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ, 9 દિવસ વહેલા ખોલી દેવામાં આવી સફારી, 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ લેશે મુલાકાત

ગુજરાતના ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની ખબર છે. ગીર જંગલ સફારીની ફરીથી શરૂઆત થઇ ચુકી છે. આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના આગમનને ધ્યાને લઈ જંગલ સફારી 9 દિવસ પહેલાં ખોલી દેવામાં આવી છે.

‘ઓપરેશન સિંદૂર આતંકવાદ સામેની લડતમાં મિસાલ બનશે’, સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસ પૂર્વે પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી અને ઓપરેશન સિંદૂરની સફળતાની પ્રશંસા કરી.

નવા જૂનીના એંધાણ ! PM મોદી અને અમિત શાહ અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા, જાણો શું હતું કારણ

રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવને મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. મુલાકાતની વિગતો તાત્કાલિક ઉપલબ્ધ નથી, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) કવાયત અને સંસદમાં ગતિરોધને લઈને થઈ હતી.

રાજીનામાંની આખરી રાત.. કોઈને જાણ કર્યા વિના જ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જગદીપ ધનખડ, જાણો એ રાત્રે શું થયું ?

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવાર રાત્રે અચાનક પોતાનું રાજીનામું આપી દીધું છે, જેને મંગળવારે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું. ધનખડે પોતાના સ્વાસ્થ્યને કારણે તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજીનામાની રીત અને સમયને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

PM મોદીએ આ વ્યક્તિને ફોન કરીને પૂછ્યુ, “હું હિંદીમાં બોલુ કે મરાઠીમાં? પછી મરાઠીમાં બોલીને મોદીએ ભાષા વિવાદ પર આપ્યો કડક સંદેશ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી અને મરાઠી ભાષી લોકો વચ્ચે સંઘર્ષની ચાલી રહ્યો છે. આ દરમિયાન, PM નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યસભા માટે મનોનિત થયેલા અને મહારાષ્ટ્રના નામાંકિત વકીલ ઉજ્જવલ નિકમ સાથે ફોન પર વાત કરીને ભાષા વિવાદ મુદ્દે એક મોટો સંદેશ આપ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">