અમદાવાદ પ્લેન ક્રેશ
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ત્યાં હાજર લોકોને ઈજા થઈ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો, પૈસા આપી કેસ સેટલ કરવા મુકી શરત – Video
અમદાવાદમાં પ્લેન ક્રેશના પીડિ પરિવારોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો કરાયો છે. 120 પીડિત પરિવારો માટે કાનૂની લડત લડતા વકીલ ફર્મે દાવો કર્યો છે કે ઍર ઈન્ડિયા દ્વારા મૃતકોના સ્વજનોને પૈસા આપી કાનુની લડત પુરી કરવા માટેની શરત મુકાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 9:48 pm
Ahmedabad Plane Crash: પ્લેનક્રેશના હત્તભાગી પરિવારો ઝંખી રહ્યા છે ન્યાય, TV9 સમક્ષ ઠાલવી વ્યથા- Video
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેનક્રેશ માં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારોની ધીરજ હવે ખૂટી ગઈ છે. તેઓ હવે ન્યાય ઝંખી રહ્યા છે. પરિવારોનું સ્પષ્ટ કહેવુ છે કે સિંહોના મોત બાબતે ચિંતા વ્યક્ત કરતી સરકારનો એકપણ મંત્રી કે નેતા આજે શ્રદ્ધાંજલિ દેવા માટે ફરક્યા સુધ્ધા નથી.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 9:17 pm
Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર એક વર્ષ બાદ AAIBનું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા AI-171 ફ્લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું. AAIB દ્વારા ચાલી રહેલી તપાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તકનીકી, ઓપરેશનલ અને માનવીય પરિબળોનું વિસ્તૃત વિશ્લેષણ કરાઈ રહ્યું છે.
- Sagar Solanki
- Updated on: Jun 12, 2026
- 7:47 pm
Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગઈ 260 જિંદગી
અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલે જોયેલી એ ગોજારી બપોરનો સમય, જ્યારે સિવિલ હોસ્પિટલનુ પરિસરમાં એકાએક એમ્બ્યુલન્સની સાયરનોથી વાગવા માંડે છે. લોકો કંઈ સમજે અને વિચારે એ પહેલા તો જોતજોતામાં સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાશોનો ખડકલો થવા લાગે છે. એક બાદ એક એમ્બ્યુલન્સ સળગેલા મૃતદેહો લઈને આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફ થોડી સેકન્ડો માટે સૂજબુઝ ગુમાવી દે છે કે શરૂઆત ક્યાંથી કરવી.
- Mina Pandya
- Updated on: Jun 13, 2026
- 8:05 pm
Ahmedabad Plane Crash : અકસ્માત બાદ પીડિતોને ઓળખવા માટે ડોક્ટરોએ દિવસ-રાત કેવી રીતે કામ કર્યું, જુઓ Video
વિમાન દુર્ઘટના પછી મૃતદેહોની ઓળખ કરવી એ એક ભયાવહ અને પડકારજનક કાર્ય હતું. BJ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગની ટીમે DNA ઓળખ માટે રાત-દિવસ એક કર્યા.
- Sagar Solanki
- Updated on: Jun 12, 2026
- 6:23 pm
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે રાજ્ય સરકાર રૂ. 547 કરોડના ખર્ચે આરોગ્ય મંદિર, શિક્ષણ મંદિર બનાવશે
અમદાવાદ સ્થિત ન્યૂ મેન્ટલ કેમ્પસ ખાતે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતોને દૂર કરી તે સ્થળ ઉપર આધુનિક આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 295 કરોડના ખર્ચે, પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ, રિહેબિલિટેશન સેન્ટર અને ફિઝિયોથેરાપી કોલેજ ઉપરાંત 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 2:18 pm
Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ, બ્રિટિશ હાઈ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ Video
આજે અમદાવાદની દુ:ખદ પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે.બ્રિટિશ હાઇ કમિશનર લિન્ડી કેમેરોન ઘટના સ્થળ પર પહોચ્યા હતા. ઘટનાસ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 12, 2026
- 12:13 pm
Ahmedabad Plane Crash : અમદાવાદમાં AI-171 ક્રેશનું રહસ્ય યથાવત, આખરે 260 લોકોના મોતનું સાચું કારણ શું? જુઓ Video
અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ કારણ અસ્પષ્ટ છે, જેમાં 260 લોકોના મોત થયા હતા. શરૂઆતમાં પાઇલટની ભૂલ મનાતી હતી, પરંતુ હવે FADEC સિસ્ટમ દ્વારા સ્વયંભૂ Fuel Cutoff કમાન્ડની થિયરી ચર્ચામાં છે. અંતિમ રિપોર્ટની રાહ છે જે રહસ્ય પરથી પડદો ઉચકશે.
- Sagar Solanki
- Updated on: Jun 8, 2026
- 9:00 pm
Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પછી સૌથી મોટો ધડાકો, છેલ્લી સેકન્ડ સુધી સ્ટીયરીંગ પકડીને શું કરી રહ્યા હતા કેપ્ટન?
ગયા વર્ષે અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના ભયાનક પ્લેન ક્રેશ મામલે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. હોસ્પિટલના ગુપ્ત દસ્તાવેજો અને પ્રત્યક્ષદર્શીઓના દાવા મુજબ, કેપ્ટન સુમીત સભરવાલે વિમાનને બચાવવા માટે અંતિમ ક્ષણ સુધી લોહીપાણી એક કર્યા હતા.
- Sachin Agrawal
- Updated on: May 16, 2026
- 6:46 pm
Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર,TV9એ ઉઠાવેલા પ્રશ્નનો કેન્દ્ર સરકારે આપ્યો જવાબ જુઓ Video
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક મહિનામાં પ્લેન ક્રેશનો રિપોર્ટ આવી શકે છે , આ સાથે TV9એ ઉઠાવેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે.
- TV9 Gujarati
- Updated on: May 8, 2026
- 3:07 pm
Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ એર ઈન્ડિયાને 1,125 કરોડની કરી ક્લેમની ચુકવણી, મૃતકોના પરિવારને પણ નાણાં ચુકવ્યા
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વીમા કંપની દ્વારા ક્લેમની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હલ અને એન્જિનના નુકસાન માટે રિઇન્શ્યોરર્સે એર ઇન્ડિયાને $125 મિલિયન ચૂકવ્યા છે સાથે જ મૃતકોના પરિવારને પણ વીમા ક્લેમની રકમ આપી દેવામાં આવી છે.
- Tanvi Soni
- Updated on: Jan 24, 2026
- 12:47 pm
Year Ender 2025 : ગુજરાતીઓનું હૈયું હચમચાવી દેતી ઘટનાઓ ! ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી લઈ અમદાવાદ પ્લેનક્રેશમાં અનેક પરિવારોએ ગુમાવ્યા વ્હાલસોયા
ગુજરાત માટે વર્ષ 2025માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલા અમદાવાદ પ્લેનક્રેશની ઘટના અને ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.
- Disha Thakar
- Updated on: Dec 11, 2025
- 2:01 pm
અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા અમેરિકન નિષ્ણાત મેદાને: AAIB અધિકારીઓના US જવા, પર ઉઠાવ્યા ગંભીર સવાલ
માઈક એન્ડ્ર્યુએ એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં બનાસકાંઠાના કમલેશ ચૌધરી અને ધામુ ચૌધરી સહિત દીકરો અને પુત્રવધૂ ગુમાવનાર અનેક પરિવારો સાથે મુલાકાત કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Dec 8, 2025
- 8:01 pm
Ahmedabad plane crash case: સુપ્રીમ કોર્ટે, પાઈલટના પિતાને કહ્યું- તમારો પુત્ર વિમાન અકસ્માત માટે જવાબદાર હોવાનો બોજ મનમાંથી કાઢી નાખો
અમદાવાદમાં ગત 12 જૂને બનેલી એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાઈલટના પિતાને ઉદ્દેશીને કેટલિક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિમાન અકસ્માત માટે તમારો પાઈલટ પુત્ર જવાબદાર હોવાનો બોજ મનમાંથી કાઢી નાખો.
- Sachin Agrawal
- Updated on: Nov 7, 2025
- 7:17 pm
Breaking News : અમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના, ટેકઓફ કરતાં જ પ્લેન થયું ક્રેશ, ધુમાડાના ગોટેગોટા વળ્યા, જુઓ લાઈવ Video
લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અહેવાલ આપ્યો છે કે કેટલાક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ, અધિકારીઓએ એરસ્પેસ બંધ કરી દીધું અને તાત્કાલિક કટોકટી ટીમો રવાના કરવામાં આવી. મહત્વનું છે કે આ ઘટનામાં 4 ના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
- Sagar Solanki
- Updated on: Nov 5, 2025
- 8:25 am