AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ પ્લેન ક્રેશ

અમદાવાદ પ્લેન ક્રેશ

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ત્યાં હાજર લોકોને ઈજા થઈ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.

 

Read More

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશમાં વીમા કંપનીએ એર ઈન્ડિયાને 1,125 કરોડની કરી ક્લેમની ચુકવણી, મૃતકોના પરિવારને પણ નાણાં ચુકવ્યા

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના પરિવારને વીમા કંપની દ્વારા ક્લેમની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં હલ અને એન્જિનના નુકસાન માટે રિઇન્શ્યોરર્સે એર ઇન્ડિયાને $125 મિલિયન ચૂકવ્યા છે સાથે જ મૃતકોના પરિવારને પણ વીમા ક્લેમની રકમ આપી દેવામાં આવી છે.

Year Ender 2025 : ગુજરાતીઓનું હૈયું હચમચાવી દેતી ઘટનાઓ ! ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી લઈ અમદાવાદ પ્લેનક્રેશમાં અનેક પરિવારોએ ગુમાવ્યા વ્હાલસોયા

ગુજરાત માટે વર્ષ 2025માં કેટલાક ગોઝારી ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોના ઘરના ચિરાગ બુઝાઈ ગયા છે. રાજ્યમાં મોટી બનેલી કેટલીક ઘટનાઓમાં નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના પડઘા દેશભરમાં પડ્યા છે. ગુજરાતમાં બનેલા અમદાવાદ પ્લેનક્રેશની ઘટના અને ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાના પડઘા રાજ્યસરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પડ્યા હતા.

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા અમેરિકન નિષ્ણાત મેદાને: AAIB અધિકારીઓના US જવા, પર ઉઠાવ્યા ગંભીર સવાલ

માઈક એન્ડ્ર્યુએ એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં બનાસકાંઠાના કમલેશ ચૌધરી અને ધામુ ચૌધરી સહિત દીકરો અને પુત્રવધૂ ગુમાવનાર અનેક પરિવારો સાથે મુલાકાત કરી હતી.

Ahmedabad plane crash case: સુપ્રીમ કોર્ટે, પાઈલટના પિતાને કહ્યું- તમારો પુત્ર વિમાન અકસ્માત માટે જવાબદાર હોવાનો બોજ મનમાંથી કાઢી નાખો

અમદાવાદમાં ગત 12 જૂને બનેલી એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાઈલટના પિતાને ઉદ્દેશીને કેટલિક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિમાન અકસ્માત માટે તમારો પાઈલટ પુત્ર જવાબદાર હોવાનો બોજ મનમાંથી કાઢી નાખો.

Breaking News : અમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના, ટેકઓફ કરતાં જ પ્લેન થયું ક્રેશ, ધુમાડાના ગોટેગોટા વળ્યા, જુઓ લાઈવ Video

લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અહેવાલ આપ્યો છે કે કેટલાક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ, અધિકારીઓએ એરસ્પેસ બંધ કરી દીધું અને તાત્કાલિક કટોકટી ટીમો રવાના કરવામાં આવી. મહત્વનું છે કે આ ઘટનામાં 4 ના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad Plane Crash : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગે પાઇલટના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર અને અન્ય પક્ષોને ફટકારી નોટિસ

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશમાં મૃત્યુ પામેલા પાઇલટના 91 વર્ષીય પિતાએ સુપ્રીમ કોર્ટમાં ન્યાયિક તપાસની માંગણી કરતી અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે જેમાં જવાબ માંગવામાં આવ્યો છે. અરજીમાં બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશની નિષ્પક્ષ તપાસ અને નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી છે.

બોઈંગના વિમાનો વારંવાર કેમ ખોટકાય છે ? તપાસ કરાવો, DGCA સમક્ષ પાયલટ્સ સંગઠને કરી માંગ

એક પછી એક અનેક વિમાનોમાં સર્જાતી ટેકનિકલ ખામીને કારણે, મુસાફરોની સુરક્ષા સામે અનેક સવાલો સર્જાઈ રહ્યાં છે. બર્મિંગહામમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનનું ઈમરજન્સીમાં લેન્ડિગ કરાવ્યા બાદ આ સમસ્યાને પાઈલટના સંગઠને અવાજ ઉઠાવ્યો છે. પાઇલટ સંગઠન FIP એ DGCA ને ભારતમાં તમામ બોઇંગ 787 વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલ, DGCAને ફટકારી નોટિસ

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે જણાવ્યુ કે અમે પ્લેન દુર્ઘટનાની એક્સપર્ટ બોડી દ્વારા સ્વતંત્ર, નિષ્પક્ષ અને ત્વરીત તપાસ સુનિશ્ચિત કરવાના પક્ષમાં છીએ કોર્ટે દુ્ઘટના મામલે ડીજીસીએ સહિત અન્ય પક્ષોનો નોટિસ ફટકારી છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં પાયલોટ સુમિત સભરવાલને જવાબદાર ગણાવતા 91 વર્ષિય પિતાનું છલકાયુ દર્દ, AAIBના રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં AAIBના રિપોર્ટ પર પાયલટ સુમિત સભરવાલના 91 વર્ષિય પિતાએ સવાલ ઊઠાવ્યા છે. તેમણે વિમાન દુર્ઘટના અંગે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. AAIBનો રિપોર્ટમાં સુમિત સભરવાલની છબી ખરડવાનો આરોર લગાવતા સરકાર સમક્ષ સ્વતંત્ર કમિટી બનાવવાની માગ કરી છે.

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં પ્રથમવાર બોઈંગ કંપની સામે અમેરિકામાં દાખલ થયો કેસ, મૃતકના પરિજનોએ લગાવ્યો મોટી બેદરકારીનો આરોપ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના ચાર મૃતકોના પરિજનોએ વિમાન બનાવનારી કંપની બોઈંગ અને ફ્યુલ સ્વિચ સપ્લાઈ કરનારી હનીવેલ કંપની સામે કેસ દાખલ કર્યો છે. ઍર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના બાદ બોઈંગ કંપની સામે અમેરિકામાં પ્રથમવાર કેસ થયો છે.

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમેરિકન વકીલનો ચોંકાવનારો દાવો, પાયલટનો કોઈ વાંક ન હતો…. બ્લેક બોક્સનો ડેટા માગ્યો

અમદાવાદમાં 12 જૂને લંડન જઈ રહેલુ ઍર ઈન્ડિયાનું વિમાન (AI-171) ઉડાન ભર્યાની 30 જ સેકન્ડમાં ક્રેશ થયુ હતુ જેમા સવાર તમામ યાત્રીકોના મોત થયા હતા. આ પ્લેનક્રેશ દુર્ઘટનાના પીડિતોનો કેસ લડી રહેલા અમેરિકન વકીલે ચોંકાવનારો દાવો કર્યો છે અને બ્લેક બોક્સના ડેટાની માગ કરી છે

ક્યાંક ફાયર બ્રિગેડ, ક્યાંક દેશસેવા કરતા સૈનિક તો ક્યાંક પુષ્પાના રૂપમાં છવાયો વિઘ્નહર્તાનો જાદુ, કરો વિવિધ રંગમાં રંગાયેલા દાદાના દર્શન- Photos

દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં પણ ગણેશ ઉત્સવનું અનોખું મહત્વ રહેલું છે. શહેરમાં અનેક જગ્યાએ ગણપતિજી ની સ્થાપના કરીને સાર્વજનિક ગણેશ ઉત્સવ પુરા ભક્તિ ભાવથી કરવામાં આવે છે.

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ કેસમાં ‘બોઇંગ કંપની’ સામે લડશે અમેરિકન વકીલ, જુઓ video

એર ઇન્ડિયાનું 787 પ્લેન બનાવનાર બોઇંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. અમેરિકાના વકીલ માઇક એન્ડ્રીયુ સુરતમાં પીડિતોના પરિવારને મળવા આવ્યા હતા અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 80 વધુ પરિવારો સાથે મુલાકાત કરી હતી.

ચમત્કારથી ઓછું નથી.. Ahmedabad Plane Crash માં 8 મહિનાનું બાળક દાઝ્યું હતું, હવે માતાની ચામડી વડે ફરી ગુલાબી ગાલે હસતું થયું બાળક

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 8 મહિનાના ધ્યાનેશ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમની માતા મનીષાબેનના સાહસ અને ડોક્ટરોની સતત સારવારથી બાળકનો જીવ બચી ગયો. જોકે આ ચમત્કાર વિશે જાણી ચોંકી જશો..

2025 માં વિમાન દુર્ઘટનામાં સૌથી વધુ મૃત્યુ, વિમાન દુર્ઘટનામાં દરરોજ 2 થી વધુ લોકોના મોત

હવાઈ મુસાફરીને સૌથી સલામત માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં જે રીતે હવાઈ અકસ્માતોમાં વધારો થયો છે, તે આંકડો ભયાનક છે. ખાસ કરીને આ વર્ષે અત્યાર સુધીમાં થયેલા વિમાન અકસ્માતોમાં 499 લોકોએ જીવ ગુમાવ્યા છે, જે ગયા વર્ષના આંકડા કરતા બમણાથી વધુ છે.

વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">