Water Fountain Vastu : ઘરમાં વોટર ફાઉન્ટેન રાખતા પહેલાં જાણી લો આ 5 નિયમ !
આજકાલ ઘરોમાં વોટર ફાઉન્ટેન લગાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. બજારમાં ઉપલબ્ધ આ સુંદર વોટર ફાઉન્ટેન ઘરની સુંદરતા વધાવે છે. સાથે જ ઘરના વાતાવરણને પણ વધુ શાંત અને આરામદાયક બનાવે છે. વહેતા પાણીનો સતત અવાજ મનને શાંતિ આપે છે.

વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર, વહેતા પાણીને સકારાત્મક ઉર્જા અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર ઘરમાં વોટર ફાઉન્ટેન મૂકવામાં આવે છે.

વાસ્તુ અનુસાર વોટર ફાઉન્ટેનમાંથી વહેતા પાણીનો મધુર અવાજ ઘરના વાતાવરણને શાંત અને આનંદમય બનાવે છે. તેનાથી મનને શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહે છે.

ઘરની ઉત્તર દિશામાં વોટર ફાઉન્ટેન મૂકવો સૌથી શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા કુબેરની દિશા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને અહીં રાખવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે.

વોટર ફાઉન્ટેનને ઉત્તર-પૂર્વ દિશામાં પણ મૂકી શકાય છે. આ દિશામાં વોટર ફાઉન્ટેન મૂકવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. જો આ બંને દિશામાં તેના માટે યોગ્ય સ્થાન ન હોય તો તમે તેને પૂર્વ દિશામાં પણ મૂકી શકો છો.

વોટર ફાઉન્ટેન ઘરના મુખ્ય હોલમાં અથવા મુખ્ય દરવાજાની અંદર મૂકવો જોઈએ. ધ્યાનમાં રાખો કે વોટર ફાઉન્ટેનમાંથી વહેતા પાણીની દિશા ઘરની અંદરની તરફ હોવી જોઈએ. જો તમે ઈચ્છો તો તમે તેને બાલ્કની અથવા બગીચામાં પણ મૂકી શકો છો. તેને બેડરૂમ, રસોડું, બાથરૂમ અથવા સીડીની નીચે મુકવો નહીં.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, Vastu Tips : ખોટી દિશામાં મુકવામાં આવેલી આ 3 વસ્તુઓ બની શકે છે ધનહાનિનું કારણ !
