જ્યોતિષ એસ્ટ્રોલોજી
જ્યોતિષ એક પ્રાચીન વિદ્યા છે. જે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિનો અભ્યાસ કરીને પૃથ્વી પર બનતી ઘટનાઓ અને માનવ જીવન પર તેની અસરોનું વિશ્લેષણ કરે છે. જેમાં જ્યોતિષ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. જે ભવિષ્યની સંભાવનાઓ અને વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે વિજ્ઞાન તેને માન્યતા આપતું નથી અને ઘણી વખત તેના વ્યાપારીકરણ અને અતિશયોક્તિપૂર્ણ દાવાઓને કારણે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આમ છતાં તે ભારતમાં હજુ પણ લોકપ્રિય છે અને લોકો તેને માર્ગદર્શન માટે અપનાવે છે.
ભારતીય જ્યોતિષ : ભારતમાં વિકસિત આ પદ્ધતિનો ઉપયોગ કેલેન્ડર બનાવવા અને ધાર્મિક હેતુઓ માટે થાય છે. તેમાં ગણિત (ખગોળીય ગણતરીઓ) અને ભવિષ્યવાણી બંનેનો સમાવેશ થાય છે. જોકે ભવિષ્યવાણી કે આગાહી પાછળથી ઉમેરવામાં આવી હતી.
જ્યોતિષના મુખ્ય પાસાં :
ગ્રહો અને નક્ષત્રો: તે ગ્રહો (સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ) અને નક્ષત્રો (નક્ષત્રો) ની સ્થિતિના આધારે કાર્ય કરે છે.
જન્માક્ષર: તે વ્યક્તિના જન્મ સમયે ગ્રહો અને રાશિ ચિહ્નોની સ્થિતિનો ચાર્ટ છે, જેનો ઉપયોગ આગાહીઓ માટે થાય છે.
રાશિ અને ભાવ: તેમાં 12 રાશિ ચિહ્નો (મેષ, વૃષભ, મિથુન, વગેરે) અને 12 ભાવ (ઘર) હોય છે, જે જીવનના વિવિધ પાસાઓ (સંપત્તિ, આરોગ્ય, લગ્ન, કારકિર્દી) નું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યોતિષ શાસ્ત્રનો હેતુ:
વ્યક્તિને તેમના જીવન માર્ગ અને ભવિષ્યના સંજોગોની રૂપરેખા સમજવામાં મદદ કરવાનો છે.
સમસ્યાઓના ઉકેલ શોધવા અને સાચા માર્ગ પર આવવામાં તેમને માર્ગદર્શન આપવાનો.
Read MoreBudh Gochar 2026: બુધનું કેતુ માં ગોચર આ ચાર રાશિઓને રક્ષાબંધન સુધીમાં કરશે માલામાલ
Budh Gochar 2026: બુધ 29 ઓગસ્ટ સુધી કેતુ ના સ્વામીત્વવાળા મઘા નક્ષત્રમાં રહેશે, આ પહેલા 28 ઓગસ્ટે રક્ષાબંધન પણ છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર બુધનું આ નક્ષત્રમાં આવવુ આ ચાર રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે અને આ 4 રાશિના જાતકોને બુધ ગ્રહ રક્ષાબંધન સુધીમાં ઘણો લાભ અપાવશે.
- Mina Pandya
- Updated on: Aug 23, 2026
- 9:02 pm
ચંદ્રગ્રહણ 2026: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, કર્ક સહિત આ 5 રાશિઓને કરવો પડશે સંઘર્ષનો સામનો
ચંદ્ર ગ્રહણ 2026: ચાલુ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ રક્ષાબંધનના અવસરે એટલે કે 28 ઓગસ્ટે થવા જઈ રહ્યુ છે. આ ચંદ્રગ્રહણ આમ તો ભારતમાં અદૃશ્ય રહેશે પરંતુ તેનો પ્રભાવ રાશિઓ પર જોવા મળશે. ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહ્યુ છે. આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે જ્યાંથી પહેલેથી જ રાહુ વિરાજમાન છે. સાથે જ કેતુની દૃષ્ટિ પણ રહેવાની છે. ગ્રહોના આ યોગ-સંયોગથી કર્ક, સિંહ સહિત 5 રાશિઓને કેરિયરમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો પારિવારિક જીવનમાં પણ ઉતાર-ચડાવ જોવા મળશે.
- Mina Pandya
- Updated on: Aug 20, 2026
- 6:29 pm
Planetary influence on life : ગ્રહો દિશા બદલે છે, પછી જીવનમાં એ જ થાય છે જે ભાગ્યમાં લખાયું હોય છે
વ્યક્તિના જીવનમાં આવનારી સારી કે ખરાબ પરિસ્થિતિઓ પર ગ્રહોની સ્થિતિનો પ્રભાવ પડી શકે છે. ગ્રહોની અસરથી વ્યક્તિની વિચારવાની અને નિર્ણય લેવાની રીત પણ બદલાઈ શકે છે. જેના કારણે તે જાણતા-અજાણતા એવા નિર્ણયો લઈ શકે છે, જે તેના જીવનની પરિસ્થિતિઓ અને ભવિષ્યને અસર કરે છે.
- Ashvin Patel
- Updated on: Aug 16, 2026
- 9:43 am
બીલીપત્રની અદ્ભુત મહિમા, શિવલિંગ પર માત્ર 1 પાંદડું અર્પણ કરવાથી કેમ મળે છે અનંત પુણ્ય? જાણો શું કહે છે જ્યોતિષ
જ્યોતિષ શ્રદ્ધા પંડ્યાના અનુસાર, બિલ્વવૃક્ષને શિવભક્તિમાં વિશેષ પવિત્ર માનવામાં આવેલું છે. જ્યોતિષ અનુસાર, બિલ્વવૃક્ષ નીચે બ્રહ્મભોજન કરાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને શિવભક્તોને ભોજન કરાવવાથી દરિદ્રતા દૂર થવાની માન્યતા છે. આ કારણે શ્રાવણ માસમાં બિલ્વવૃક્ષની પૂજા અને તેની આસપાસ ધાર્મિક અનુષ્ઠાનનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે.
- Dhruval Shah
- Updated on: Aug 13, 2026
- 2:57 pm
ઘરમાં વધુ પડતા અરીસા લાવે છે નકારાત્મકતા ? વાસ્તુ અનુસાર જાણો ઘરમાં કેટલા અરીસા હોવા જોઈએ !
ઘરમાં અરીસો જરૂરી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અરીસો કેટલા અને કઈ દિશામાં મૂકવો યોગ્ય છે? વાસ્તુ શાસ્ત્રમાં, અરીસાઓને ફક્ત શણગાર અથવા પ્રતિબિંબનું સાધન માનવામાં આવતું નથી પરંતુ તે ઘરની ઉર્જા સાથે પણ જોડાયેલું છે. વાસ્તુ અનુસાર, વધુ પડતા અરીસાઓ ટાળવા જોઈએ.
- Dhruval Shah
- Updated on: Aug 13, 2026
- 2:14 pm
પવિત્ર શ્રાવણ માસમાં કરો આ 4 નાની અસરકારક શરૂઆત, મળશે આંતરિક શાંતિ અને માનસિક સ્ટ્રેસમાંથી મુક્તિ !
શ્રાવણ માસને આધ્યાત્મિકતા, ભક્તિ અને આત્મચિંતન માટે વિશેષ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં કેટલીક સરળ પ્રવૃત્તિઓને લાઇફસ્ટાઇલનો ભાગ બનાવવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મકતા વધારવામાં મદદ મળી શકે છે.
- Dhruval Shah
- Updated on: Aug 13, 2026
- 1:31 pm
ગાળો બોલવાની આદત છે ? તો પછી તમારી જીભ જ બગાડી રહી છે ‘તમારું ભવિષ્ય’, કુંડળીના આ ગ્રહો જીવન રોળી નાખશે
ભાગદોડ ભરેલી જિંદગીમાં ઘણી વાર ગુસ્સામાં કે અજાણતા લોકોના મોંમાંથી અપશબ્દો અને ગાળો નીકળી જાય છે. કેટલાક લોકો માટે આ ફેશન કે આમ બોલચાલનો હિસ્સો બની ચૂક્યું છે, તો કેટલાક લોકો તેને પોતાની આદત માનીને નજરઅંદાજ કરી દે છે. આ બધા વચ્ચે શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આવી ભાષા તમારી કિસ્મત પર કેટલી ભારે પડી શકે છે?
- Ravi Prajapati
- Updated on: Aug 12, 2026
- 8:32 pm
આરતી પછી દીવાની જ્યોત પર હાથ ફેરવી આંખોને સ્પર્શ કેમ કરાય છે? જાણો તેના પાછળનું ધાર્મિક કારણ !
ભગવાનની આરતી પૂર્ણ થયા પછી, ઘણા ભક્તો દીવાની જ્યોત પર બંને હાથ ફેરવીને તે પોતાની આંખો, કપાળ અથવા માથાને સ્પર્શ કરે છે. પણ શું તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે?
- Dhruval Shah
- Updated on: Aug 8, 2026
- 2:40 pm
શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું તફાવત છે ? જાણો બંને વચ્ચેનો મોટો ફરક
શ્રાવણ મહિનામાં, શિવભક્તો શિવલિંગ પર જળાભિષેક કરે છે. પરંતુ શું તમે શિવલિંગ અને જ્યોતિર્લિંગ બંને વચ્ચેનો તફાવત જાણો છો? અને શા માટે જ્યોતિર્લિંગને આટલું ખાસ અને દિવ્ય માનવામાં આવે છે?
- Dhruval Shah
- Updated on: Aug 6, 2026
- 8:55 am
ઉપવાસ દરમિયાન ફરાળી ભોજનમાં સિંધવ મીઠું જ કેમ ઉમેરવામાં આવે છે, જાણો તેનું શું છે ધાર્મિક કારણ ?
ઉપવાસ દરમિયાન ફરાળી ભોજનમાં સિંધવ મીઠું ઉમેરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠું જ કેમ ઉમેરવામાં આવે છે? શું છે તેની પાછળનું ધાર્મિક કારણો જાણો.
- Dhruval Shah
- Updated on: Aug 6, 2026
- 8:20 am
મૃત્યુ પામેલા સ્વજનના સપના આવવા શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
શું તમને પણ તમારા દિવંગત સ્વજન કે નજીકના મિત્ર સ્વપ્નમાં દેખાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલા સ્વજન જો ઉદાસ, સ્વસ્થ, બીમાર કે મૌન દેખાય એ માત્ર એક સંયોગ નથી. તેની પાછળ એક ખાસ અને મોટો સંકેત રહેલો હોય છે. શું હોય છે આ સંકેત આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Aug 3, 2026
- 1:38 pm
શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?
હિંદુ ધર્મમાં, ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે. ઘણીવાર, આપણે શિવ મંદિરોમાં ભક્તોને શ્રદ્ધાથી પૂજા, આરતી અને શિવલિંગ સામે ઉભા રહીને તાળી વગાડતા જોઈએ છે .
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 3:26 pm
શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !
હિંદુ ધર્મ અનુસાર ભગવાન શિવજીનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓ કરતાં સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે. મહાદેવ પોતાના સમગ્ર શરીર પર ભસ્મ ધારણ કરે છે અને સ્મશાનમાં પણ નિવાસ પણ કરે છે. પરંતુ તેની પાછળનું કારણ શું છે તે જાણો
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 2:31 pm
અન્નદાનથી લઈને ઘી અને તેલ સુધી… શ્રાવણ માસમાં કરો આ 8 વસ્તુનું દાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ !
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવજીને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ મહિનામાં ધાર્મિક વિધિઓ અને દાન કરવાથી ભગવાન શિવજીનો આશીર્વાદ, સુખ અને શાંતિ મળે છે. તો, ચાલો જોઈએ કે શ્રાવણ મહિનામાં શું દાન કરવું શુભ માનવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 9:22 am
ચીઝ ભલે દૂધમાંથી બનતું હોય, પણ શું ઉપવાસમાં ખવાય? જાણો ધાર્મિક માન્યતા અને સાચો નિયમ
ભારતમાં તાજેતરના વર્ષોમાં ચીઝનો વપરાશ ઝડપથી વધ્યો છે. લોકો પીઝા, બર્ગર, પરાઠા અને સેન્ડવીચ ચીઝ સાથે ખાય છે. ચીઝ દૂધમાંથી બને છે. પરંતુ મોટાભાગે લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું ઉપવાસ દરમિયાન ચીઝ ખાઈ શકાય?
- Dhruval Shah
- Updated on: Aug 1, 2026
- 12:47 pm