AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યોતિષ એસ્ટ્રોલોજી

જ્યોતિષ એસ્ટ્રોલોજી

જ્યોતિષ એક પ્રાચીન વિદ્યા છે. જે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિનો અભ્યાસ કરીને પૃથ્વી પર બનતી ઘટનાઓ અને માનવ જીવન પર તેની અસરોનું વિશ્લેષણ કરે છે. જેમાં જ્યોતિષ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. જે ભવિષ્યની સંભાવનાઓ અને વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે વિજ્ઞાન તેને માન્યતા આપતું નથી અને ઘણી વખત તેના વ્યાપારીકરણ અને અતિશયોક્તિપૂર્ણ દાવાઓને કારણે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આમ છતાં તે ભારતમાં હજુ પણ લોકપ્રિય છે અને લોકો તેને માર્ગદર્શન માટે અપનાવે છે.

ભારતીય જ્યોતિષ : ભારતમાં વિકસિત આ પદ્ધતિનો ઉપયોગ કેલેન્ડર બનાવવા અને ધાર્મિક હેતુઓ માટે થાય છે. તેમાં ગણિત (ખગોળીય ગણતરીઓ) અને ભવિષ્યવાણી બંનેનો સમાવેશ થાય છે. જોકે ભવિષ્યવાણી કે આગાહી પાછળથી ઉમેરવામાં આવી હતી.

જ્યોતિષના મુખ્ય પાસાં :

ગ્રહો અને નક્ષત્રો: તે ગ્રહો (સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ) અને નક્ષત્રો (નક્ષત્રો) ની સ્થિતિના આધારે કાર્ય કરે છે.

જન્માક્ષર: તે વ્યક્તિના જન્મ સમયે ગ્રહો અને રાશિ ચિહ્નોની સ્થિતિનો ચાર્ટ છે, જેનો ઉપયોગ આગાહીઓ માટે થાય છે.

રાશિ અને ભાવ: તેમાં 12 રાશિ ચિહ્નો (મેષ, વૃષભ, મિથુન, વગેરે) અને 12 ભાવ (ઘર) હોય છે, જે જીવનના વિવિધ પાસાઓ (સંપત્તિ, આરોગ્ય, લગ્ન, કારકિર્દી) નું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રનો હેતુ:

વ્યક્તિને તેમના જીવન માર્ગ અને ભવિષ્યના સંજોગોની રૂપરેખા સમજવામાં મદદ કરવાનો છે.

સમસ્યાઓના ઉકેલ શોધવા અને સાચા માર્ગ પર આવવામાં તેમને માર્ગદર્શન આપવાનો.

Read More

સખત મહેનત છતાં કરિયરમાં સફળતા નથી ? ગુરુ ગ્રહની આ સ્થિતિ હોઈ શકે કારણ !

કારકિર્દીમાં સતત મુશ્કેલીઓ આવવી, પ્રમોશન માટે લાંબી રાહ જોવી અથવા મહેનત કર્યા છતાં અપેક્ષિત સફળતા ન મળવી જેવી સ્થિતિઓને જ્યોતિષીય માન્યતાઓમાં ગુરુ ગ્રહની નબળી સ્થિતિ સાથે સંબંધિત માનવામાં આવે છે. ગુરુને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સરળ અને પરંપરાગત ઉપાયો સૂચવવામાં આવે છે, જે કારકિર્દી સંબંધિત અડચણો દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

રવિવારે ગોળનું દાન કેમ માનવામાં આવે છે શુભ ? જાણો સૂર્યદેવ સાથે શું છે સંબંધ !

જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને આત્મવિશ્વાસ, માન-સમ્માન, નેતૃત્વ અને અન્ય ક્ષમતાઓનો કારક માનવામાં આવે છે. તેથી, સૂર્ય દેવને જળ અર્પણ કરવું અને જરૂરિયાતમંદોને દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કીડીથી લઈને વાંદરા સુધી… બસ આ એક કામ કરો અને જુઓ કુંડળીના તમામ ગ્રહ દોષ ચપટીમાં થશે ‘ગાયબ’

સનાતન ધર્મ અને જ્યોતિષમાં પશુ-પક્ષીઓની સેવા કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવ્યું છે. ઘણીવાર કુંડળીમાં ગ્રહો નબળા હોવાને કારણે જીવનમાં માનસિક, શારીરિક કે આર્થિક મુશ્કેલીઓ આવે છે. આ ગ્રહ દોષ દૂર કરવા માટે અબોલ જીવોની સેવા કરવી એ સૌથી સરળ અને અચૂક ઉપાય છે. એવામાં ચાલો જાણીએ કે, કયા પશુ-પક્ષીને ભોજન આપવાથી કયો ગ્રહ શાંત થાય છે.

Hastrekhashastra: તમારી હથેળીમાં રહેલી આ રેખા આપને રાતોરાત બનાવી શકે છે અમીર- વાંચો

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, હથેળીમાં આવેલી આ રેખા અચાનક ધન લાભ અને અમીર બનવાના યોગ બનાવે છે. આ રેખા વ્યક્તિની પ્રતિભા, પ્રસિદ્ધિ અને આર્થિક ઉન્નતિનો સંકેત છે.

Baba Vanga : સપ્ટેમ્બર 2026 માં સાચી પડી શકે છે બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી, ધ્રૂજી ઊઠશે રુવાંડા

શું સપ્ટેમ્બર 2026 માનવ ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય સાબિત થશે? બાબા વેંગાના દાવા મુજબ મહાભૂકંપ તો માત્ર શરૂઆત છે, ખરી તબાહી તો આકાશમાંથી આવવાની બાકી છે. વાંચો આ ચોંકાવનારો દાવો.

જન્માષ્ટમી પર દ્વાપર યુગ જેવો મહાસંયોગ, આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે !

4 સપ્ટેમ્બર, 2026 ના રોજ, કૃષ્ણ જન્માષ્ટમીનો શુભ તહેવાર દ્વાપર યુગ જેવા ઐતિહાસિક અને દુર્લભ જ્યોતિષીય સંયોગો સાથે ઉજવવામાં આવશે. આ દિવસે, ચંદ્ર તેની વૃષભ રાશિમાં ઉચ્ચ થશે, અને રોહિણી નક્ષત્ર તેની સાક્ષીમાં હોવાથી, 'સર્વાર્થ સિદ્ધિ યોગ' અને 'હર્ષણ યોગ' ની ખૂબ જ શુભ મહાસંધિ પણ રચાઈ રહી છે.

સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, કાન અને ગાલ પર તલ હોવુ એ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્યનો સંકેત આપે છે. શું તમને પણ છે આ જગ્યાએ તલ? જાણો શું કહે છે તમારુ ભાગ્ય?

સમુદ્રી શાસ્ત્ર: તમારા હાથની મધ્ય આંગળીમાં છુપાયેલું છે તમારા ભાગ્ય અને વ્યક્તિત્વનું રહસ્ય- જાણો

સામુદ્રીક શાસ્ત્ર અનુસાર મઘ્યમા આંગળીની લંબાઈ અને બનાવટ વ્યક્તિના સ્વભાવ, મહત્વાકાંક્ષા અને જવાબદારી દર્શાવે છે. આવો જાણીએ આ સૌથી મોટી અને મધ્યમાં આવેલી આંગળીના વ્યક્તિત્વને લગતા મહત્વપૂર્ણ સંકેત વિશે.

સપ્ટેમ્બર 2026 લઈને આવી રહ્યો છે ‘નવપંચમ રાજયોગ’, શનિ-ગુરુની ચાલથી આ 3 રાશિઓનો શરૂ થશે ‘ગોલ્ડન ટાઇમ’

જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત પ્રભાવશાળી ગણાતા શનિ અને ગુરુની વિશેષ કોણીય સ્થિતિને કારણે બનવા જઈ રહેલો આ રાજયોગ કેટલીક રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. સરળ રીતે કહીએ તો, 2 સપ્ટેમ્બરથી અટકેલા કામો ગતિ પકડશે, નોકરીમાં પ્રમોશનના યોગ બનશે અને આર્થિક તંગી દૂર થશે.

સોનાના ભાવ ઈતિહાસ રચશે કે અચાનક મોટો કડાકો બોલાશે ? ગ્રહોની ચાલ અને માર્કેટનો ‘મોટો ઈશારો’

સોનાના ભાવે ફરી એકવાર રેકોર્ડતોડ તેજી સાથે આખા બજારને ચોંકાવી દીધા છે. ભાવ ત્રણ મહિનાની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, શું સોનું નવા રેકોર્ડ લેવલે પહોંચશે કે પછી ઊંચા ભાવેથી કોઈ કડાકો આવશે? બજારના ગણિતથી લઈને ગ્રહોની ચાલ સુધી, આગામી દિવસોમાં સોનાનો ગ્રાફ એકતરફી રહેવાને બદલે ખાસ સંકેત આપી રહ્યો છે.

કાલસર્પ દોષ થી લઈને નાગયજ્ઞ સુધી…. ભારતીય જ્યોતિષ અને પૌરાણિક કથાઓમાં કેમ ખાસ છે નાગ

જ્યોતિષમાં સાપ રાહુ ની સાથે અને નક્ષત્રોની સાથે પણ છે. 27 નક્ષત્રોમાં આશ્લેષા નક્ષત્રના દેવતા પણ નાગદેવ છે. આશ્લેષા ના સ્વામી નાગ દેવને માનવામાં આવે છે.

Budh Gochar 2026: બુધનું કેતુ માં ગોચર આ ચાર રાશિઓને રક્ષાબંધન સુધીમાં કરશે માલામાલ

Budh Gochar 2026: બુધ 29 ઓગસ્ટ સુધી કેતુ ના સ્વામીત્વવાળા મઘા નક્ષત્રમાં રહેશે, આ પહેલા 28 ઓગસ્ટે રક્ષાબંધન પણ છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર બુધનું આ નક્ષત્રમાં આવવુ આ ચાર રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે અને આ 4 રાશિના જાતકોને બુધ ગ્રહ રક્ષાબંધન સુધીમાં ઘણો લાભ અપાવશે.

ચંદ્રગ્રહણ 2026: વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ, કર્ક સહિત આ 5 રાશિઓને કરવો પડશે સંઘર્ષનો સામનો

ચંદ્ર ગ્રહણ 2026: ચાલુ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ રક્ષાબંધનના અવસરે એટલે કે 28 ઓગસ્ટે થવા જઈ રહ્યુ છે. આ ચંદ્રગ્રહણ આમ તો ભારતમાં અદૃશ્ય રહેશે પરંતુ તેનો પ્રભાવ રાશિઓ પર જોવા મળશે. ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવા જઈ રહ્યુ છે. આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે જ્યાંથી પહેલેથી જ રાહુ વિરાજમાન છે. સાથે જ કેતુની દૃષ્ટિ પણ રહેવાની છે. ગ્રહોના આ યોગ-સંયોગથી કર્ક, સિંહ સહિત 5 રાશિઓને કેરિયરમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો પારિવારિક જીવનમાં પણ ઉતાર-ચડાવ જોવા મળશે.

Planetary influence on life : ગ્રહો દિશા બદલે છે, પછી જીવનમાં એ જ થાય છે જે ભાગ્યમાં લખાયું હોય છે

વ્યક્તિના જીવનમાં આવનારી સારી કે ખરાબ પરિસ્થિતિઓ પર ગ્રહોની સ્થિતિનો પ્રભાવ પડી શકે છે. ગ્રહોની અસરથી વ્યક્તિની વિચારવાની અને નિર્ણય લેવાની રીત પણ બદલાઈ શકે છે. જેના કારણે તે જાણતા-અજાણતા એવા નિર્ણયો લઈ શકે છે, જે તેના જીવનની પરિસ્થિતિઓ અને ભવિષ્યને અસર કરે છે.

બીલીપત્રની અદ્ભુત મહિમા, શિવલિંગ પર માત્ર 1 પાંદડું અર્પણ કરવાથી કેમ મળે છે અનંત પુણ્ય? જાણો શું કહે છે જ્યોતિષ

જ્યોતિષ શ્રદ્ધા પંડ્યાના અનુસાર, બિલ્વવૃક્ષને શિવભક્તિમાં વિશેષ પવિત્ર માનવામાં આવેલું છે. જ્યોતિષ અનુસાર, બિલ્વવૃક્ષ નીચે બ્રહ્મભોજન કરાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને શિવભક્તોને ભોજન કરાવવાથી દરિદ્રતા દૂર થવાની માન્યતા છે. આ કારણે શ્રાવણ માસમાં બિલ્વવૃક્ષની પૂજા અને તેની આસપાસ ધાર્મિક અનુષ્ઠાનનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે.

g clip-path="url(#clip0_868_265)">