જ્યોતિષ એસ્ટ્રોલોજી
જ્યોતિષ એક પ્રાચીન વિદ્યા છે. જે ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિનો અભ્યાસ કરીને પૃથ્વી પર બનતી ઘટનાઓ અને માનવ જીવન પર તેની અસરોનું વિશ્લેષણ કરે છે. જેમાં જ્યોતિષ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવે છે. જે ભવિષ્યની સંભાવનાઓ અને વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે વિજ્ઞાન તેને માન્યતા આપતું નથી અને ઘણી વખત તેના વ્યાપારીકરણ અને અતિશયોક્તિપૂર્ણ દાવાઓને કારણે તેની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આમ છતાં તે ભારતમાં હજુ પણ લોકપ્રિય છે અને લોકો તેને માર્ગદર્શન માટે અપનાવે છે.
ભારતીય જ્યોતિષ : ભારતમાં વિકસિત આ પદ્ધતિનો ઉપયોગ કેલેન્ડર બનાવવા અને ધાર્મિક હેતુઓ માટે થાય છે. તેમાં ગણિત (ખગોળીય ગણતરીઓ) અને ભવિષ્યવાણી બંનેનો સમાવેશ થાય છે. જોકે ભવિષ્યવાણી કે આગાહી પાછળથી ઉમેરવામાં આવી હતી.
જ્યોતિષના મુખ્ય પાસાં :
ગ્રહો અને નક્ષત્રો: તે ગ્રહો (સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ) અને નક્ષત્રો (નક્ષત્રો) ની સ્થિતિના આધારે કાર્ય કરે છે.
જન્માક્ષર: તે વ્યક્તિના જન્મ સમયે ગ્રહો અને રાશિ ચિહ્નોની સ્થિતિનો ચાર્ટ છે, જેનો ઉપયોગ આગાહીઓ માટે થાય છે.
રાશિ અને ભાવ: તેમાં 12 રાશિ ચિહ્નો (મેષ, વૃષભ, મિથુન, વગેરે) અને 12 ભાવ (ઘર) હોય છે, જે જીવનના વિવિધ પાસાઓ (સંપત્તિ, આરોગ્ય, લગ્ન, કારકિર્દી) નું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યોતિષ શાસ્ત્રનો હેતુ:
વ્યક્તિને તેમના જીવન માર્ગ અને ભવિષ્યના સંજોગોની રૂપરેખા સમજવામાં મદદ કરવાનો છે.
સમસ્યાઓના ઉકેલ શોધવા અને સાચા માર્ગ પર આવવામાં તેમને માર્ગદર્શન આપવાનો.
Read Moreમૃત્યુ પામેલા સ્વજનના સપના આવવા શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
શું તમને પણ તમારા દિવંગત સ્વજન કે નજીકના મિત્ર સ્વપ્નમાં દેખાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલા સ્વજન જો ઉદાસ, સ્વસ્થ, બીમાર કે મૌન દેખાય એ માત્ર એક સંયોગ નથી. તેની પાછળ એક ખાસ અને મોટો સંકેત રહેલો હોય છે. શું હોય છે આ સંકેત આવો જાણીએ.
- Mina Pandya
- Updated on: Aug 3, 2026
- 1:38 pm
શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?
હિંદુ ધર્મમાં, ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવજીને ભોલેનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ કરવાથી પણ પ્રસન્ન થાય છે. ઘણીવાર, આપણે શિવ મંદિરોમાં ભક્તોને શ્રદ્ધાથી પૂજા, આરતી અને શિવલિંગ સામે ઉભા રહીને તાળી વગાડતા જોઈએ છે .
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 3:26 pm
શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !
હિંદુ ધર્મ અનુસાર ભગવાન શિવજીનું સ્વરૂપ અન્ય તમામ દેવતાઓ કરતાં સંપૂર્ણપણે અલગ માનવામાં આવે છે. મહાદેવ પોતાના સમગ્ર શરીર પર ભસ્મ ધારણ કરે છે અને સ્મશાનમાં પણ નિવાસ પણ કરે છે. પરંતુ તેની પાછળનું કારણ શું છે તે જાણો
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 2:31 pm
અન્નદાનથી લઈને ઘી અને તેલ સુધી… શ્રાવણ માસમાં કરો આ 8 વસ્તુનું દાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ !
શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવજીને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ મહિનામાં ધાર્મિક વિધિઓ અને દાન કરવાથી ભગવાન શિવજીનો આશીર્વાદ, સુખ અને શાંતિ મળે છે. તો, ચાલો જોઈએ કે શ્રાવણ મહિનામાં શું દાન કરવું શુભ માનવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Aug 2, 2026
- 9:22 am
ચીઝ ભલે દૂધમાંથી બનતું હોય, પણ શું ઉપવાસમાં ખવાય? જાણો ધાર્મિક માન્યતા અને સાચો નિયમ
ભારતમાં તાજેતરના વર્ષોમાં ચીઝનો વપરાશ ઝડપથી વધ્યો છે. લોકો પીઝા, બર્ગર, પરાઠા અને સેન્ડવીચ ચીઝ સાથે ખાય છે. ચીઝ દૂધમાંથી બને છે. પરંતુ મોટાભાગે લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું ઉપવાસ દરમિયાન ચીઝ ખાઈ શકાય?
- Dhruval Shah
- Updated on: Aug 1, 2026
- 12:47 pm
Chaturmas : ચાતુર્માસના આ 5 નિયમ બદલી શકે છે તમારી કિસ્મત ? જાણો
હિંદુ ધર્મમાં ચાતુર્માસને ખૂબ જ પવિત્ર સમય માનવામાં આવે છે. ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમયગાળો. જેમાં ભક્તો ઉપવાસ, જપ, ધ્યાન અને ધાર્મિક અનુષ્ઠાન દ્વારા આત્મશુદ્ધિનો પ્રયાસ કરે છે.
- Dhruval Shah
- Updated on: Aug 1, 2026
- 12:17 pm
3, 5 કે 11 પાન? માન્યતા મુજબ શિવલિંગ પર કેટલા અને કઈ રીતે બીલીપત્ર ચઢાવવાથી મહાદેવ થાય છે પ્રસન્ન! જાણો
શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે. શિવલિંગ પર બીલીપત્ર પણ ચઢાવે છે. જોકે, બીલીપત્ર અર્પણ કરવાના પહેલા તમારે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાણવા જોઈએ, આજે અમે તમને આ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છે.
- Dhruval Shah
- Updated on: Aug 1, 2026
- 11:28 am
બાથરૂમમાં રાખો માત્ર ‘આ’ એક વસ્તુ, વાસ્તુશાસ્ત્ર અનુસાર દૂર થશે નકારાત્મક ઊર્જા ?
વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે. લોકો દરવાજો, બેડરૂમ અને રસોડું સહિત ઘરના વિવિધ ભાગોનું નિર્માણ વાસ્તુના નિયમો અનુસાર કરાવે છે.
- Dhruval Shah
- Updated on: Jul 31, 2026
- 2:53 pm
Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !
હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો શિવલિંગનો અભિષેક કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શિવલિંગ પર સૌથી પહેલા જળ ચઢાવવું જોઈએ, દૂધ ચઢાવવું જોઈએ કે પછી પંચામૃત અર્પણ કરવું જોઈએ.
- Dhruval Shah
- Updated on: Jul 31, 2026
- 9:39 am
Vastu Tips : સેકન્ડ હેન્ડ સામાન ખરીદતા પહેલાં જાણી લો વાસ્તુના આ 6 નિયમ !
વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂનો સામાન અથવા ફર્નિચર તેની સાથે અગાઉના ઘરનું વાતાવરણ, તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની ઊર્જા અને જૂની યાદો સાથે લઈને આવે છે. માન્યતા મુજબ તેની અસર ઘરના વાતાવરણ તેમજ પરિવારના જીવન પર પણ પડી શકે છે. તેથી સેકન્ડ હેન્ડ સામાન ઘરે લાવતા પહેલાં વાસ્તુના કેટલાક ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Jul 30, 2026
- 3:20 pm
જો તમે પણ ગિફ્ટમાં આપો છો આ 5 વસ્તુઓ તો સાવધાન, વાસ્તુ મુજબ થઈ શકે છે મોટું આર્થિક નુકસાન !
ભારતીય સંસ્કૃતિમાં ગિફ્ટ આપવું એ માત્ર ઔપચારિકતા નથી પરંતુ લાગણીઓ, શુભેચ્છાઓ અને સકારાત્મક ઊર્જાના આદાન-પ્રદાનનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપવાથી અજાણતાં જ દુર્ભાગ્ય, તણાવ અને નકારાત્મકતા આવી શકે છે
- Dhruval Shah
- Updated on: Jul 29, 2026
- 3:21 pm
શ્રાવણમાં શિવલિંગ પર ચઢાવો આ 5 પવિત્ર વસ્તુઓ! મહાદેવ થશે પ્રસન્ન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવની પૂજા માટે સમર્પિત હોય છે. આ શુભ પ્રસંગે, શિવભક્તો તેમના દેવતાને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ કરે છે.
- Dhruval Shah
- Updated on: Jul 29, 2026
- 8:22 am
સૌભાગ્યનું પ્રતીક છે કાચની બંગડીઓ, તેનું તૂટવું શુભ કે અશુભ? જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે જાણો !
સનાતન ધર્મમાં, કાચની બંગડીઓ સૌભાગ્ય અને શુભતાનું પ્રતીક હોય છે. તેથી જો હાથમાંથી અચાનક બંગડી પડી જાય અથવા પહેરતી વખતે તૂટી જાય, તો સ્ત્રીઓને કોઈ અનિષ્ટ ઘટના વિશે વિવિધ શંકાઓ થવા લાગે છે.
- Dhruval Shah
- Updated on: Jul 20, 2026
- 9:13 am
શું પૂજામાં બીજવાળા ફળોનો ભોગ ભગવાનને ધરાવવો શુભ માનવામાં આવે છે ? જાણો શાસ્ત્રોમાં શું કહે છે !
પૂજા દરમિયાન ભગવાનને ભોગ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પ્રાર્થના દરમિયાન ભોગ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભોગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે. પૂજા દરમિયાન ફળો, મીઠાઈઓ, ખીર અને અન્ય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.
- Dhruval Shah
- Updated on: Jul 19, 2026
- 10:31 am
વાસ્તુ અનુસાર ફ્રિજની ઉપર આ 3 વસ્તુઓ રાખવી માનવામાં આવે છે શુભ, આર્થિક પ્રગતિના બની શકે છે યોગ !
વાસ્તુ અનુસાર, રેફ્રિજરેટરની ઉપર ચાવીઓ, દવાઓ વગેરે રાખવી શુભ નથી. જોકે, કેટલીક વસ્તુઓ એવી છે જે રેફ્રિજરેટરની ઉપર રાખવામાં આવે તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને આર્થિક પ્રગતિ પણ કરી શકે છે. ચાલો આ બાબતો વિશે જાણીએ.
- Dhruval Shah
- Updated on: Jul 19, 2026
- 9:29 am