AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : તુલસીશ્યામ નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગીરના ઘન જંગલ વચ્ચે વસેલું તુલસીશ્યામ મંદિર તેના ધાર્મિક અને પૌરાણિક મહાત્મ્ય માટે જાણીતું છે. આ સ્થાન ભક્તોમાં ઊંડી શ્રદ્ધા જગાવે છે. આ દેશનું એકમાત્ર મંદિર છે, જ્યાં ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની મૂર્તિઓ એકસાથે પ્રતિષ્ઠિત છે, જે આ સ્થાનને અનન્ય બનાવે છે.

| Updated on: Jul 02, 2025 | 7:42 PM

 

"તુલસીશ્યામ" નામ બે શબ્દો પરથી બનેલું છે, તુલસી અને શ્યામ, હિંદુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુની પ્રિય છે અને દરેક પૂજામાં તેનો ઉપયોગ થાય છેઅહીં "શ્યામ" શબ્દનો અર્થ ભગવાન કૃષ્ણ (શ્યામવર્ણી) થાય છે. આ સ્થાન ભગવાન વિષ્ણુના અવતાર તરીકે શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું છે. એટલે "તુલસીશ્યામ" એ સ્થાન છે જ્યાં તુલસી અને શ્યામ, અર્થાત્ ભક્તિ અને ભગવાન  બંનેનું અલૌકિક મિલન થાય છે.

"તુલસીશ્યામ" નામ બે શબ્દો પરથી બનેલું છે, તુલસી અને શ્યામ, હિંદુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુની પ્રિય છે અને દરેક પૂજામાં તેનો ઉપયોગ થાય છેઅહીં "શ્યામ" શબ્દનો અર્થ ભગવાન કૃષ્ણ (શ્યામવર્ણી) થાય છે. આ સ્થાન ભગવાન વિષ્ણુના અવતાર તરીકે શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલું છે. એટલે "તુલસીશ્યામ" એ સ્થાન છે જ્યાં તુલસી અને શ્યામ, અર્થાત્ ભક્તિ અને ભગવાન બંનેનું અલૌકિક મિલન થાય છે.

1 / 8
આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે.

આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે.

2 / 8
તુલસીશ્યામ મંદિર ગુજરાતના ગીરના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં આવેલું છે, જે અમરેલી અને ગિર સોમનાથ જીલ્લાની સીમા પર સ્થિત છે. આ પવિત્ર સ્થાન ધારી (જિલ્લો અમરેલી)થી અંદાજે 45 કિલોમીટર અને ઉના (જિલ્લો ગીર સોમનાથ)થી લગભગ 35 કિલોમીટરની અંતરે આવેલું છે.  બંને શહેરો સાથે તેના વાહન વ્યવહારથી સારો સંપર્ક છે, જેના કારણે તુલસીશ્યામ યાત્રા માટે સરળતાથી પહોંચી શકાય છે.

તુલસીશ્યામ મંદિર ગુજરાતના ગીરના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં આવેલું છે, જે અમરેલી અને ગિર સોમનાથ જીલ્લાની સીમા પર સ્થિત છે. આ પવિત્ર સ્થાન ધારી (જિલ્લો અમરેલી)થી અંદાજે 45 કિલોમીટર અને ઉના (જિલ્લો ગીર સોમનાથ)થી લગભગ 35 કિલોમીટરની અંતરે આવેલું છે. બંને શહેરો સાથે તેના વાહન વ્યવહારથી સારો સંપર્ક છે, જેના કારણે તુલસીશ્યામ યાત્રા માટે સરળતાથી પહોંચી શકાય છે.

3 / 8
આ સ્થાનનું પૌરાણિક મહત્વ અત્યંત ઊંડું છે, કારણ કે તેનો સંબંધ ભગવાન વિષ્ણુ તથા સ્વર્ગના દેવતાઓ સાથે જોડાયેલો માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ,  અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે.

આ સ્થાનનું પૌરાણિક મહત્વ અત્યંત ઊંડું છે, કારણ કે તેનો સંબંધ ભગવાન વિષ્ણુ તથા સ્વર્ગના દેવતાઓ સાથે જોડાયેલો માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે.

4 / 8
અહીં આવેલા ગરમ પાણીના કુંડ  લોકોના ત્વચાસંબંધિત રોગો માટે ઉપચારરૂપ માનવામાં આવે છે. તુલસીશ્યામ મંદિર પર્વત પર વસેલું હોવાથી અહીંથી મનમોહક નઝારા જોવા મળે છે.

અહીં આવેલા ગરમ પાણીના કુંડ લોકોના ત્વચાસંબંધિત રોગો માટે ઉપચારરૂપ માનવામાં આવે છે. તુલસીશ્યામ મંદિર પર્વત પર વસેલું હોવાથી અહીંથી મનમોહક નઝારા જોવા મળે છે.

5 / 8
તુલસીશ્યામ મંદિર લગભગ 3 હજાર વર્ષ જૂનું ગણાય છે અને એવું માનવામાં આવે છે કે અહીં સ્થાપિત મૂર્તિઓ દ્વાપર યુગથી છે.મંદિર ત્રિભુજ આકારમાં બનેલું છે અને તેની શિલ્પકળા પણ અનોખી છે.

તુલસીશ્યામ મંદિર લગભગ 3 હજાર વર્ષ જૂનું ગણાય છે અને એવું માનવામાં આવે છે કે અહીં સ્થાપિત મૂર્તિઓ દ્વાપર યુગથી છે.મંદિર ત્રિભુજ આકારમાં બનેલું છે અને તેની શિલ્પકળા પણ અનોખી છે.

6 / 8
તુલસીશ્યામ ખાતે આવેલા ગરમ પાણીના કુંડમાં કોઇપણ ઋતુઓમાં પાણી ગરમ રહે છે. પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં તેને "તપ્તોદક" તરીકે ઓળખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથીત્વચા સંબંધિત રોગોમાં રાહત મળે છે.

તુલસીશ્યામ ખાતે આવેલા ગરમ પાણીના કુંડમાં કોઇપણ ઋતુઓમાં પાણી ગરમ રહે છે. પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં તેને "તપ્તોદક" તરીકે ઓળખવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અહીં સ્નાન કરવાથીત્વચા સંબંધિત રોગોમાં રાહત મળે છે.

7 / 8
તુલસીશ્યામ નજીક પર્વતીય વિસ્તારમાં આવું એક અનોખું સ્થળ આવેલું છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ કરતું નથી. સરળ ભાષામાં કહીએ તો, આ સ્થળે જો તમે વાહન બંધ અવસ્થામાં રોકો તો તે ઊતરતી ઢળાણ હોવા છતાં પાછળ નહીં સરકે, પણ આશ્ચર્યજનક રીતે ઊલટી દિશામાં ચાલે છે. આ અદભૂત પ્રાકૃતિક વિસંગતતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને ઘણા લોકો અહીં આવીને આ પરિબળનો અનુભવ લેવા માટે ઉત્સુક હોય છે. આવા દૃશ્યો લોકોમાં રોમાંચ અને વિજ્ઞાન પ્રત્યેના જિજ્ઞાસા બંનેને જન્મ આપે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

તુલસીશ્યામ નજીક પર્વતીય વિસ્તારમાં આવું એક અનોખું સ્થળ આવેલું છે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ કરતું નથી. સરળ ભાષામાં કહીએ તો, આ સ્થળે જો તમે વાહન બંધ અવસ્થામાં રોકો તો તે ઊતરતી ઢળાણ હોવા છતાં પાછળ નહીં સરકે, પણ આશ્ચર્યજનક રીતે ઊલટી દિશામાં ચાલે છે. આ અદભૂત પ્રાકૃતિક વિસંગતતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે અને ઘણા લોકો અહીં આવીને આ પરિબળનો અનુભવ લેવા માટે ઉત્સુક હોય છે. આવા દૃશ્યો લોકોમાં રોમાંચ અને વિજ્ઞાન પ્રત્યેના જિજ્ઞાસા બંનેને જન્મ આપે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">