Stock Market : ‘ટ્રમ્પ ટેરિફ’ની આ શેર પર કોઈ જ અસર નહી, આવ્યો જોરદાર ઉછાળો; શું તમારી પાસે આ સ્ટોક છે કે નહી?
'ટ્રમ્પ ટેરિફ'થી સ્ટોક માર્કેટમાં કડાકો જોવા મળ્યો. બજારમાં મોટાભાગના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા પરંતુ સરકારી માલિકીના શેર પર 'ટ્રમ્પ ટેરિફ'ની અસર કોઈ જ અસર જોવા ના મળી.

બજારમાં આમ તો મોટાભાગના શેર લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે પરંતુ સરકારી માલિકીના આ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારના દિવસે શેર 7 ટકાના તોફાની ઉછાળા સાથે રૂ. 323.80 ના સ્તરે પહોંચ્યો. જો કે, બપોરે 2:15 વાગતાની આસપાસ તે રૂ. 320.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સરકારી માલિકીની ટેલિકોમ કંપની ITI Ltd ના શેરમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં શેર 8 ટકાથી વધુ વધ્યો છે પરંતુ 1 મહિના દરમિયાન તેમાં 2 ટકાનો નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.

ITI લિમિટેડે જણાવ્યું હતું કે, તેણે ટેકનોલોજી ફર્મ mLogica સાથે મળીને AI અને બિગ ડેટા એનાલિટિક્સ સંચાલિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશમાં રોડ એક્સિડન્ટ ઘટાડવા અને અમલીકરણ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે.

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ મલ્ટીપલ સોર્સ ડેટાના કલેક્શન અને એનાલિસીસને ટેકો આપવા માટે એક 'સ્કેલેબલ એનાલિટિક્સ ફાઉન્ડેશન' વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આમાં ટ્રાફિક ફ્લો ડેટા, પર્યાવરણને લગતા આંકડા, ડ્રાઇવરનું પ્રદર્શન, વાહનનું પ્રદર્શન, એક્સિડન્ટ રિપોર્ટ, અકસ્માત સ્થળોએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે. કંપનીની આ જાહેરાત પછી રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિના દરમિયાન ITI લિમિટેડના શેરમાં 2 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે 6 મહિનાના સમયગાળામાં રોકાણકારોને 5 ટકાનું રિટર્ન મળ્યું છે.

ITI લિમિટેડના શેરમાં એક વર્ષમાં 9 ટકાનો વધારો થયો છે. જો આપણે લાંબાગાળાના પ્રદર્શનની વાત કરીએ, તો 5 વર્ષ દરમિયાન કંપનીના સ્ટોકે લગભગ 140 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

હાલમાં કંપનીની માર્કેટ કેપિટલ 30,614 કરોડ રૂપિયા છે. આ શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે એટલે કે, 592.70 રૂપિયાએ જોવા મળ્યો છે, જ્યારે 52 અઠવાડિયાના નીચલા સ્તરે એટલે કે, 210 રૂપિયાએ પણ જોવા મળ્યો છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
