Adani Surname History : ગૌતમ અદાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે અદાણી અટકનો અર્થ શું થાય તે જાણીશું

અદાણી અટક ભારતમાં જોવા મળતી અટકમાંથી એક છે. આ સમુદાયના લોકો ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. અદાણી શબ્દનો અર્થ વેપારી અથવા વેપાર કરનાર વ્યક્તિ થાય છે.

આ અટક પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલા પરિવારો ઉપયોગ કરતા હોય છે. તો કેટલાક સ્ત્રોતો અનુસાર અદાન શબ્દ પરથી અદાણી અટક ઉતરી આવી છે.

અદાણી અટક ગુજરાત રાજ્યમાંથી ઉદ્ભવે છે, જ્યાં તે જૈન સમુદાયમાં પ્રચલિત છે. જૈન ધર્મના અનુયાયીઓએ ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગમાં અગ્રણી ભૂમિકા ભજવી છે, અને અદાણી પરિવાર આ પરંપરાનો ભાગ છે.

ભારતમાં, આ અટક મુખ્યત્વે ગુજરાતમાં (લગભગ 42%) અને મહારાષ્ટ્ર (45%) માં જોવા મળે છે. કેટલાક સ્ત્રોતો તેને અરોરા-ખત્રી સમુદાય સાથે પણ સાંકળે છે, જેમને સૂર્યવંશી ક્ષત્રિય વંશના માનવામાં આવે છે.

વૈશ્વિક સ્તરે, અદાણી અટક અન્ય સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે, જેમ કે આફ્રિકન ચેવા જાતિ થાય છે, યહૂદી સમુદાય અથવા યુરોપિયન દેશોમાં જોવા મળે છે. જોકે, ભારતીય સંદર્ભમાં, ખાસ કરીને ગુજરાતીઓમાં, તે વેપારી ઓળખનું પ્રતીક છે.

અદાણી અટકનો ઇતિહાસ ગુજરાતની સમૃદ્ધ વેપાર પરંપરા સાથે ઊંડે સુધી જોડાયેલો છે. ગુજરાત સદીઓથી ભારત માટે એક મુખ્ય વેપાર કેન્દ્ર રહ્યું છે, જે અરબી સમુદ્ર પરના બંદરો દ્વારા મસાલા, કાપડ અને અન્ય માલની નિકાસ કરે છે.

અદાણી અટક ધરાવતા સમુદાય વ્યાપાર ઉદ્યોગસાહસિકતા, જૈન મૂલ્યો અને ગુજરાતી સંસ્કૃતિનું પ્રતીક છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.) All Image- getty images
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
