AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાના બજારમાં રાતોરાત એવું તો શું થયું કે 70% ગ્રાહકો ગાયબ થઈ ગયા? જાણી લો અસલી ખેલ!

સોનાના બજારમાં અચાનક એવો તે કેવો ભૂકંપ આવ્યો છે કે રાતોરાત 70% ગ્રાહકો ગાયબ થઈ ગયા? ટેક્સના આકરા નિયમો અને પડદા પાછળના કેટલાક આર્થિક કારણોસર હવે લોકો નવું સોનું ખરીદવાનું તો દૂર, ઘરમાં રાખેલું જૂનું સોનું પણ અચાનક વેચવા મજબૂર બન્યા છે.

| Updated on: Jun 01, 2026 | 9:45 AM
Share
દેશમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) બમણા કરતાં વધી જતાં ચાલુ મહિને સોનાની માંગમાં અંદાજે 70% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે.

દેશમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) બમણા કરતાં વધી જતાં ચાલુ મહિને સોનાની માંગમાં અંદાજે 70% જેટલો જંગી ઘટાડો નોંધાયો છે.

1 / 10
ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન દેશમાં આશરે 25 ટન સોનાની માંગ હતી, જે ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ ચાલુ પખવાડિયામાં ઘટીને માત્ર 7.5 ટન પર આવી ગઈ છે.

ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન દેશમાં આશરે 25 ટન સોનાની માંગ હતી, જે ઈમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ ચાલુ પખવાડિયામાં ઘટીને માત્ર 7.5 ટન પર આવી ગઈ છે.

2 / 10
સરકારે ગત 13 મેથી સોના પરની આયાત ડ્યુટી 6% થી સીધી વધારીને 15% કરી દીધી હતી, જે આ ભારે મંદીનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

સરકારે ગત 13 મેથી સોના પરની આયાત ડ્યુટી 6% થી સીધી વધારીને 15% કરી દીધી હતી, જે આ ભારે મંદીનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

3 / 10
દેશના કુલ સોનાના વેપારમાં અસંગઠિત બજારનો હિસ્સો 65% જેટલો મોટો છે, અને આ ડ્યુટી વધારાના કારણે આ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું છે.

દેશના કુલ સોનાના વેપારમાં અસંગઠિત બજારનો હિસ્સો 65% જેટલો મોટો છે, અને આ ડ્યુટી વધારાના કારણે આ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું છે.

4 / 10
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા તણાવ અને આર્થિક દબાણો વચ્ચે, દેશના નેતૃત્વ દ્વારા નાગરિકોને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી પર બ્રેક લગાવવાની અપીલ કરવામાં આવી હતી, જેની ગંભીર અસર ગ્રાહકોના માનસ પર પડી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા તણાવ અને આર્થિક દબાણો વચ્ચે, દેશના નેતૃત્વ દ્વારા નાગરિકોને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે એક વર્ષ સુધી સોનાની ખરીદી પર બ્રેક લગાવવાની અપીલ કરવામાં આવી હતી, જેની ગંભીર અસર ગ્રાહકોના માનસ પર પડી છે.

5 / 10
બજારના અગ્રણી જ્વેલરી રીટેલર્સના જણાવ્યા અનુસાર, માત્ર સરકારી નિયમો જ નહીં પણ લોકોની બદલાયેલી માનસિકતાના કારણે મોટા શોરૂમ્સમાં પણ સોનાની માંગ 35% થી વધુ ઘટી ગઈ છે.

બજારના અગ્રણી જ્વેલરી રીટેલર્સના જણાવ્યા અનુસાર, માત્ર સરકારી નિયમો જ નહીં પણ લોકોની બદલાયેલી માનસિકતાના કારણે મોટા શોરૂમ્સમાં પણ સોનાની માંગ 35% થી વધુ ઘટી ગઈ છે.

6 / 10
માત્ર સોનાના ભાવ જ નહીં, પરંતુ રોજીંદા જીવનમાં ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) અને ખાવા-પીવાની ચીજવસ્તુઓના વધતા ભાવોના કારણે લોકો બચત કરવા મજબૂર બન્યા છે.

માત્ર સોનાના ભાવ જ નહીં, પરંતુ રોજીંદા જીવનમાં ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) અને ખાવા-પીવાની ચીજવસ્તુઓના વધતા ભાવોના કારણે લોકો બચત કરવા મજબૂર બન્યા છે.

7 / 10
ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા બાદ હવે GST સહિત સોના પર લાગતો કુલ ટેક્સ 9.18% થી સીધો વધીને 18.45% થઈ ગયો છે, જેનાથી સોનું ખરીદવું ઘણું મોંઘું બન્યું છે.

ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારા બાદ હવે GST સહિત સોના પર લાગતો કુલ ટેક્સ 9.18% થી સીધો વધીને 18.45% થઈ ગયો છે, જેનાથી સોનું ખરીદવું ઘણું મોંઘું બન્યું છે.

8 / 10
હાલમાં ચાલી રહેલા 'અધિક માસ'ના કારણે હિન્દુ ધર્મમાં કિંમતી વસ્તુઓની ખરીદી ટાળવામાં આવે છે. આ સિવાય આશ્ચર્યજનક રીતે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) કરવાની માંગ પણ નબળી પડી છે.

હાલમાં ચાલી રહેલા 'અધિક માસ'ના કારણે હિન્દુ ધર્મમાં કિંમતી વસ્તુઓની ખરીદી ટાળવામાં આવે છે. આ સિવાય આશ્ચર્યજનક રીતે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) કરવાની માંગ પણ નબળી પડી છે.

9 / 10
દક્ષિણ ભારતના રાજ્યો, જે સોનાના સૌથી મોટા ગ્રાહક ગણાય છે, ત્યાં હવે ગ્રાહકો હલકા વજનના અને ઓછા કેરેટના દાગીના પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો નવું સોનું ખરીદવાના બદલે ઘરમાં પડેલું જૂનું સોનું વેચીને રોકડા રૂપિયા ઘરે લઈ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

દક્ષિણ ભારતના રાજ્યો, જે સોનાના સૌથી મોટા ગ્રાહક ગણાય છે, ત્યાં હવે ગ્રાહકો હલકા વજનના અને ઓછા કેરેટના દાગીના પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકો નવું સોનું ખરીદવાના બદલે ઘરમાં પડેલું જૂનું સોનું વેચીને રોકડા રૂપિયા ઘરે લઈ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

10 / 10

Breaking News : અમદાવાદમાં વૈભવ સૂર્યવંશી પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ પર જમાવ્યો કબજો, વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ! આગામી 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
પીએમ મોદીએ 'મન કી બાત'માં ગુજરાતની 'કેસર' કેરીની કેમ કરી વાત ?
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
અમદાવાદમાં IPL 2026 ફાઈનલ પર વરસાદનું સંકટ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">