Thakar Surname History : ગુજરાતી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મલ્હાર ઠાકરના અટકનો ઈતિહાસ જાણો
કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી. તો આજે ઠાકર અટકનો અર્થ અને તેનો ઈતિહાસ શું છે તે જાણીશું.

ઠાકર અટક મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં જોવા મળે છે. આ અટક રાજપૂત, બ્રાહ્મણ, પાટીદાર, ગુર્જર અને વણિક સમુદાયોમાં પણ જોવા મળે છે.

કેટલાક સમુદાયમાં ઠાકર સરનેમનું ઠક્કર પણ લખવામાં આવે છે. જેઓ મોટાભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળે છે.

ઠાકર શબ્દનો મૂળ ઠાકુર સાથે સંબંધિત છે. જેનો ઉપયોગ પ્રાચીન ભારતમાં શાસકો, યોદ્ધાઓ અને જમીનમાલિકો માટે થતો હતો.

ઠાકુર શબ્દનો સંસ્કૃત અર્થ સ્વામી અથવા માલિક થાય છે. જ્યારે કેટલાક લોકો ઠાકર અટકનું ઠાકોર શબ્દ પણ બનાવે છે. જેઓ રાજપૂત અને ક્ષત્રિય કુળો સાથે સંકળાયેલ છે.

ઠાકર અટક ગુજરાતમાં વેપારી અને પાટીદાર સમુદાયોમાં, ખાસ કરીને વાણિયા અને બ્રાહ્મણ જાતિઓમાં જોવા મળે છે. જ્યારે રાજસ્થાનમાં રાજપૂત અને ઠાકુર વંશમાં ઉપયોગ જોવા મળે છે.

મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ અને મરાઠા સમુદાયોમાં પણ જોવા મળે છે. તેમજ ઉત્તર ભારતમાં ઠાકુર જાતિનું એક સ્વરુપ હોઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઠક્કર અટક વધુ સામાન્ય છે.

ઠાકર અટકમાં વેપારી સમુદાય સાથે સંકળાયેલ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળતા ઠાકર રાજપૂત અને બ્રાહ્મણ કુળો સાથે સંબંધિત હોઈ શકે છે.

ગુજરાતમાં ઠાકર અને ઠક્કર અટક ધરાવતા લોકો મુખ્યત્વે ઉદ્યોગપતિ છે. રાજસ્થાન અને ઉત્તર ભારતમાં આ અટક જમીન માલિકો અને શાસકો સાથે સંકળાયેલી છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક બ્રાહ્મણ સમુદાયો પણ "ઠક્કર" અટકનો ઉપયોગ કરે છે.

મહારાષ્ટ્રમાં ઠાકુર અટક ધરાવતા લોકો પણ આદિવાસી સમુદાયના હોઈ શકે છે. ગુજરાતમાં ઠક્કર અટક ધરાવતા લોકો સામાન્ય રીતે વેપારી હોય છે. તેઓ વાણિયા સમુદાયના હોય છે. તેમજ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં તે રાજપૂત અને ક્ષત્રિય જાતિઓ સાથે સંબંધિત હોઈ શકે છે.

ઠાકુર અટક ઠાકુર શબ્દ પરથી ઉતરી આવી છે. તે રાજપૂત, બ્રાહ્મણ, પાટીદાર અને વેપારી વર્ગમાં જોવા મળે છે. તે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં એક મુખ્ય અટક છે, જે પ્રદેશ અને સમુદાયના આધારે અલગ અલગ ઓળખ ધરાવે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિના નામ પાછળ અટક લખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ દર્શાવે છે.નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. અટકનો ઉપયોગ વ્યક્તિને બીજાઓથી અલગ પાડે છે. અટક પરંપરાગત રીતે તે પરિવાર અથવા સમુદાય સાથે સંકળાયેલું છે. જે કુંટુબમાં બાળકનો જન્મ થાય છે તેની પરિવારની સરનેમ લખવામાં આવે છે.
