Breaking News: આવતા અઠવાડિયે બજારમાં રહેશે ‘રજાનો માહોલ’, રોકાણકારોને કમાણી માટે મળશે માત્ર ‘3 દિવસ’
ભારતીય શેરબજારમાં આવનારું અઠવાડિયું થોડું શાંત રહેવાનું છે, કારણ કે ટ્રેડિંગ માટે રોકાણકારોને માત્ર ત્રણ દિવસ જ મળશે. આનો અર્થ એ છે કે, આવતા અઠવાડિયે તમારે રોકાણનું આખું આયોજન સોમવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસમાં પૂર્ણ કરવું પડશે.

ભારતીય શેરબજારમાં આગામી સપ્તાહ રોકાણકારો માટે ઘણું ટૂંકું રહેવાનું છે, કારણ કે બે મહત્વની રજાઓને લીધે ટ્રેડિંગ સત્ર મર્યાદિત રહેશે. ચાલુ સપ્તાહે ગુરુવારે રામ નવમી નિમિત્તે બજાર બંધ રહ્યા બાદ, હવે આવતા અઠવાડિયે 31 માર્ચ (મંગળવાર) ના રોજ મહાવીર જયંતિ અને 3 એપ્રિલ (શુક્રવાર) ના રોજ ગુડ ફ્રાઈડે હોવાથી શેરબજારમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. વધુમાં શનિવાર અને રવિવારના દિવસે તો શેરમાર્કેટ બંધ જ રહે છે. આ રજાઓને કારણે આખા અઠવાડિયામાં માત્ર સોમવાર, બુધવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ ટ્રેડિંગ થઈ શકશે.

આ રજાઓ પછી શેરબજારમાં આગામી રજા 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રહેશે. ત્યારબાદ 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ અને 28 મેના રોજ બકરી ઈદ પર પણ બજાર બંધ રહેશે.

ભારતીય શેરબજારે (NSE/BSE) વર્ષ 2026 માટે રજાઓનું સત્તાવાર કેલેન્ડર જાહેર કરી દીધું છે, જેથી રોકાણકારો તેમની ટ્રેડિંગ પ્રવૃત્તિઓનું અગાઉથી આયોજન કરી શકે. આ યાદી મુજબ, બજાર 31 માર્ચે મહાવીર જયંતિ, 3 એપ્રિલે ગુડ ફ્રાઈડે અને 14 એપ્રિલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિના અવસરે બંધ રહેશે.

ત્યારબાદ 1 મે ના રોજ મહારાષ્ટ્ર દિવસ, 28 મે ના રોજ બકરી ઈદ અને 26 જૂનના રોજ મોહર્રમ નિમિત્તે કોઈ કામકાજ થશે નહીં. વર્ષના બીજા ભાગમાં 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતી અને 20 ઓક્ટોબરે દશેરાના કારણે ટ્રેડિંગ સ્થગિત રહેશે.

વર્ષના અંતમાં 10 નવેમ્બરે દિવાળી-બલિપ્રતિપદા, 24 નવેમ્બરે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને 25 ડિસેમ્બરે નાતાલના કારણે બજારમાં રજા રહેશે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ આ વિશેષ રજાઓ અને સાપ્તાહિક શનિવાર-રવિવારની રજાઓને ધ્યાનમાં રાખીને જ તેમની રોકાણ વ્યૂહરચના બનાવે.
Breaking News : અંતે તિજોરી ખોલવી પડી… 25 વર્ષમાં પહેલીવાર આ શક્તિશાળી દેશે કેમ વેચવું પડ્યું પોતાનું ‘સોનું’?
