Mango Eating Tip: ભોજન પછી કેરી ખાવું કેટલું ખતરનાક? જાણો
ઉનાળા દરમિયાન મોટાભાગના લોકો ભોજન પછી કેરી ખાવાનું પસંદ કરે છે. બાળકો ખાસ કરીને આ ફળોના શોખીન હોય છે. કેરીનો મીઠો સ્વાદ બાળકોને ખૂબ ગમે છે.

કેરીમાં પોષક તત્વો હોય છે. જો કે, મોટાભાગના લોકો તેને ખાતી વખતે ઘણી ભૂલો કરે છે. આમાંથી એક એ છે કે ડિનર પછી તરત જ કેરી ખાવી

નિષ્ણાતોના મુદબ, ડિનર પછી કેરી ખાવાથી બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે.

ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકોએ ખાસ કરીને ભોજન પછી તરત જ કેરી ન ખાવાની કાળજી લેવી જોઈએ.

નિષ્ણાતો ભોજનના 30થી 60 મિનિટ પહેલાં ફળ ખાવાની ભલામણ કરે છે. જો તમે ડિનર અથવા લંચ પછી તેને ખાવા માંગતા હોય તો 1.5થી 2 કલાકનો અંતરાલ રાખવો જોઈએ.

કેરીનું મિલ્કશેક પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થાય છે. કેરી ખાધા પછી તરત પાણી પીવાનું ટાળો.

પ્રતિ 100 ગ્રામ કેરીમાં 60 kcal કેલોરી હોય છે. તેમાં 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહે છે. આશરે 13થી 14 ગ્રામ નેચરલ શુગર હોય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો: Hair Wash Tips: હેર વૉશ કરવાના કેટલા ટાઈમ પહેલા વાળમાં તેલ લગાવવું જોઈએ?
