Tech Tips : Phoneને આખી રાત ચાર્જ થવા મુકવો જોઈએ કે નહીં ? આટલું જાણી લેજો નહીં પસતાશો
કેટલાક લોકો તેમના ફોનને રાતભર ચાર્જ કરવા માટે છોડી દે છે. આ એટલા માટે છે કે તેઓના ફોનમાં સંપૂર્ણ ચાર્જિંગ થયેલુ મળે. ત્યારે શું આમ કરવું યોગ્ય છે જાણો અહીં

સ્માર્ટફોનમાં બેટરી સૌથી મહત્વની વસ્તુ છે. તેના વિના ફોન કંઈ નથી. બેટરી વિના, એક કોલ કરવો તો દૂર, તમે ફોન પણ ઓન નથી કરી શકતા. આજકાલ ફોનની બેટરી થોડી પણ ઓછી થઈ જાય તો લોકો તેને તરત જ ચાર્જિંગ પર લગાવી દે છે. તે લોકો માને છે કે જો ફોનની બેટરી 100 ટકા હોય તો તે લાંબો સમય ચાલશે અને તેમાં કોઈ અડચણ નહીં આવે. કેટલાક લોકો તેમના ફોનને રાતભર ચાર્જ કરવા માટે છોડી દે છે. આ એટલા માટે છે કે તેઓના ફોનમાં સંપૂર્ણ ચાર્જિંગ થયેલુ મળે.

નિષ્ણાતોના મતે, આજના નવા સ્માર્ટફોન ખૂબ જ સ્માર્ટ છે અને તેમાં ઓવરલોડની સમસ્યા નથી થતી. ફોનની અંદર વધારાની પ્રોટેક્ટિવ ચિપ્સ એ સુનિશ્ચિત કરે છે કે ટેબ્લેટ, ફોન અથવા લેપટોપ ઓવરલોડ ન થાય. જલદી આંતરિક લિથિયમ-આયન બેટરી તેની ક્ષમતાના 100 ટકા સુધી પહોંચે છે ત્યારે બેટરી ચાર્જિંગ અટકે છે.

પરંતુ, જો તમે ફોનને રાતભર ચાર્જિંગમાં છોડી દો છો, તો તે થોડી ઊર્જાનો વપરાશ કરશે. કારણ કે, ફોનની બેટરી 99 ટકા પર પહોંચતા જ તે ફરીથી ચાર્જ થવા લાગશે. આ ચોક્કસપણે તમારા ફોનની બેટરી લાઈફ પર અસર કરે છે.

તે સાથે તે હિટ જનરેટ કરશે. ઘણા નિષ્ણાતો સૂચવે છે કે આવી સ્થિતિમાં ફોનને કવર ન કરવો જોઈએ. જો કે, આટલી કાળજી લેવી અને આમ કરવું તે ખૂબ મુશ્કેલ છે. પરંતુ, ઓછામાં ઓછું તમે એ વાતનું ધ્યાન રાખો કે તમે ફોનની ઉપર કોઈ પુસ્તક કે અન્ય કોઈ વસ્તુ રાખી નથી. આ વાતનું પણ ધ્યાન રાખો કે ફોનને તકિયા નીચે ન રાખવો જોઈએ. કારણ કે ફોનમાં ઓવર હિટિંગને કારણે બ્લાસ્ટ પણ થઈ શકે છે. આથી ફોનને રાતભર ચાર્જમાં લગાવવાનું છોડી દેજો.

આ અંગે વધારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે સૂવા જાવ છો, ત્યારે ફોનને ચાર્જિંગ મોડમાં મૂકો અને યોગ્ય ચાર્જિંગ પછી તેને દૂર કરો અથવા જો તમે રાત્રે જાગી જાઓ છો, તો ફોનને ચાર્જિંગમાંથી દૂર કરો. જો તમે ઇચ્છો, તો તમે સ્માર્ટ પ્લગનો પણ ઉપયોગ કરી શકો છો જેથી તે શેડ્યૂલ પછી બંધ થઈ જાય.
ટિપ્સ એન્ડ ટ્રિક્સને લગતા આવા જ બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
