AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ સમયે ભાલા સાથે ફરી ગુજરાતની રીજનીતિમાં કમબેક કરી રહેલા બાપુની tv9 સાથે ખાસ વાતચીત- જુઓ બાપુ Uncut

જીવનની ઢળતી સાંજે શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે રાજનીતિમાં સક્રિય થયા છે. તેમની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું આજે અડાલજમાં સત્તાવાર લોન્ચિંગ થવાનું છે. જે ઉમરે નેતાઓ નિવૃતિ લેવાનું વિચારતા હોય એવા સમયે નવી પાર્ટી અને રાણાજીના ભાલા સાથે નવી રાજકીય ઈનિંગ રમવા જઈ રહેલા શંકરસિંહ વાઘેલાએ tv9 ગુજરાતી સાથે અનેક મુદ્દાઓ પર કરી ખાસ વાતચીત

Narendra Rathod
| Edited By: | Updated on: Dec 22, 2024 | 1:38 PM
Share

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિનો એક એવો ચહેરો જે પક્ષપલટો કરવા માટે અને નવી પાર્ટી બનાવવા માટે જાણીતા છે. સૌપ્રથમ ભાજપ, રાજપા, કોંગ્રેસ, એ બાદ પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાનું અમુક જ મહિનામાં બાળમરણ…. જે બાદ NCPમાં જોડાયા. જ્યા રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ એવુ લાગ્યુ કે પાર્ટીમાં તેમનું મહત્વ જળવાતુ નથી. આથી NCP ને પણ અલવિદા કહી હવે બાપુ પોતાની જ વધુ એક નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે.

રાણાજીના ભાલાના નિશાન સાથે બાપુનું કમબેક

જે ઉમરે નેતાઓ નિવૃતિ લેવાનું વિચારતા હોય એ ઉમરે બાપુ રાણાજીના ભાલાના નિશાન સાથે ફરી ગુજરાતની રાજનીતિમાં નવી ઈનિંગ રમવા માટે સજ્જ થયા છે. તેમની પાર્ટીના નવા કાર્યાલયનું આજે ગાંધીનગરથી થોડે દૂર અડાલજમાં સત્તાવાર લોન્ચિંગ થવાનું છે. ત્યારે બાપુએ તેમની નવી સફર અંગે tv9 ગુજરાતી સાથે અનેક મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી.

5 થી 6 પાર્ટીમાં કામગીરી કર્યા બાદ બાપુ હવે નવુ શું કરશે ?

વારંવાર પક્ષપલટો કરનારા અને બે થી વધુ નવી પાર્ટી બનાવનારા બાપુએ તેમના જાહેરજીવનના અનુભવ અંગે જણાવ્યુ કે મને બહુ ખરાબ અનુભવ રહ્યો છે કે લોકો જે પાર્ટીમાં હોય છે તેને વફાદાર નથી રહેતા. જે પાર્ટીમાં હોય તેમાં નજીકના મિત્રને તમે તમારો હરીફ કેમ ગણો છે, હરીફ પક્ષ કેમ નહીં? હરીફ પક્ષના સાથીદારની અલગ ઓળખાણ હોય, અલગ સંબંધ હોય એ જ તમારો દુશ્મન બનતો હોય છે. ભાજપ-કોંગ્રેસ બંનેમાં મને આવો અનુભવ થયો અને NCP નો તો સવાલ જ નથી. આથી એવુ લાગ્યુ કે જો પોતાની પાર્ટી બને જેમાં જેને સાથે આવવુ હોય એ આવે. જે લેવા આવતો હોય એ તો સ્પષ્ટ ના આવે, કંઈક દેવા આવે. ચીટર ન આવે. લોકો સાથે દ્રોહ કરનારો ન આવે. સમાજમાં જેમની સારી પ્રતિષ્ઠા હોય તેવા બ્રાન્ડેડ લોકોને આગળ કરી નવી પાર્ટીનું લોન્ચિંગ કરી રહ્યા છીએ.

પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બફર ઝોન બનશે?

બફર ઝોનના રૂપે જોવા અંગે શંકરસિંહે જણાવ્યુ કે ભાજપ તો પહેલેથી ઓવરલોડ પાર્ટી છે ત્યા જગ્યા નથી. કોઈ પાર્ટીને તોડવાનું કામ મારુ નથી. મે ક્યારેય કોઈને દબાણ નથી કર્યુ કે તમે જે તે પાર્ટી છોડી મારી સાથે આવો. ભાજપ કે કોંગ્રેસના કોઈના આગેવાનને નથી કહ્યુ કે તમે નીકળો. જેને પ્રેમથી આવવુ હોય તે આવી શકે છે. કોઈના પર દબાણ નથી કર્યુ. પાર્ટીના પ્રમુખ સિદ્ધરાજસિંહજી પર કોઈ પક્ષની બ્રાન્ડ નથી. ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ પાર્ટીમાંથી, સારો માણસ આવે તો સ્વાગત છે.

પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજને સાથે રાખી ભાજપ સામે શક્તિપ્રદર્શનનો પ્રયાસ?

શંકરસિંહે જણાવ્યુ કે પાર્ટી સમાજલક્ષી નથી. તમામ સમાજના આગેવાનો માટે દ્વાર ખુલ્લા છે, પટેલ હોય કે ક્ષત્રિય જેને આવવુ હોય તે આવી શકે છે. સમાજથી કોઈ પાર્ટી પર સિક્કો વાગતો નથી. હું ભલે ક્ષત્રિય રહ્યો પરંતુ ભાજપમાં હતો ત્યારે કેશુબાપાને આગળ કરીને ચાલતા હતા. શંકરસિંહે કહ્યુ ક્યાં સમાજમાંથી હોવુ તે કુદરતને આધીન છે પરંતુ વ્યવહાર મહત્વનો છે. રાજકારણમાં કોઈ એક સમાજનું આધિપત્ય નથી હોતુ. પ્રજાને સાચવવા માટે તમારે જે કરવુ પડે તે કરવુ જોઈએ.

ભાલો ક્યાં સુધી ફેંકવાનું આયોજન ?

શંકરસિંહે જણાવ્યુ કે ગુજરાતની જનતા 30 વર્ષના ભાજપના એકચક્રી શાસનથી હાલ કંટાળેલી છે. હાલના શાસનમાં MP, MLA કે મંત્રીઓનું કંઈ ચાલતુ નથી. જેના કારણે લોકો હેરાન થાય છે. આથી 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની પાર્ટી ઝંપલાવશે. યોગ્ય ઉમેદવારોને પ્રોજેક્ટ કરી  ધરાતલથી લઈને વિધાનસભા સુધીનું માળખુ તૈયાર કરવાની તૈયારી બાપુએ બતાવી.

ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ નથી રહ્યો

શંકરસિંહે કહ્યુ એ માત્ર કલ્પના છે. મહાગુજરાત જનતા પરિષદ, સ્વતંત્ર પાર્ટી 5-10 MLAના માર્જિનને બાદ કરતા સત્તાની નજીક પહોંચી હતી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી ચાલતી કારણ કે લીડરશીપનું સાતત્ય અને પાર્ટી ચલાવવા માટેનું આર્થિક ભંડોળ આ બે સમસ્યાને કારણે મોટી પાર્ટીને આધિન રહેવુ પડે છે. વધુમાં બાપુએ ઉમેર્યુ કે પાર્ટીની મેચફિક્સીંગ જોયા પછી મને લાગ્યુ કે જે પાર્ટીના નેતાઓ ધરાતલથી લઈને દિલ્હી સુધીના ફુટેલા હોય, એ પાર્ટીમાં કરેલી મહેનત એેળે જાય છે.

ગુજરાતની જનતા કેટલો વિશ્વાસ મુકશે?

આત્મવિશ્વાસ સાથે બાપુએ જણાવ્યુ કે ગુજરાતની જનતાને પહેલેથી જ બાપુ પર વિશ્વાસ મુકેલો છે. પ્રજાને અને મારે કોઈ સમસ્યા છે જ નહીં. આગેવાનો સાથેની વાત અલગ છે. પ્રજા જ બાપુની રિયલ હાઈકમાન્ડ છે. પ્રજા બાપુની, બાપુ પ્રજાના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">