Gujarati NewsPhoto galleryRath Yatra Special: What to Take Home from Jagannath Temple for Lakshmi’s Blessings
Rath Yatra 2025 : આ રથયાત્રાએ જગન્નાથ મંદિર જાઓ તો ત્યાંની 2 વસ્તુઓ ઘરે જરૂરથી લાવજો, માં લક્ષ્મીની મહેર તમારા પર બની રહેશે!
દર વર્ષે અષાઢ મહિનામાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. જણાવી દઈએ કે, આ વખતની રથયાત્રા 27 જૂનથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, જગન્નાથ મંદિરમાંથી એવી કઈ બે વિશિષ્ટ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ કે જેનાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા માટે બની રહે.
દર વર્ષે અષાઢ મહિનામાં, ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે, જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ વર્ષે આ પવિત્ર યાત્રા 27 જૂન 2025 થી શરૂ થશે, જેમાં લાખો ભક્તો ફરી એકવાર ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જશે.
1 / 7
એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથનો રથ ખેંચવાથી વિશેષ પુણ્ય મળે છે અને જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. રથયાત્રા દરમિયાન, ભગવાન તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિર તરફ પ્રયાણ કરે છે.
2 / 7
જો તમે આ શુભ પ્રસંગે 'પુરી' જઈ રહ્યા છો, તો ત્યાંના જગન્નાથ મંદિરમાંથી બે ખાસ વસ્તુઓ ચોક્કસ લાવવી જોઈએ. આ બે વસ્તુઓનું ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ ઘરે લાવવાથી માં લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ આપણાં પર બન્યા રહે છે, જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે.
3 / 7
જગન્નાથ મંદિરમાંથી બેથ (પાતળી અને લાંબી લાકડી) લાવવાની પરંપરા ખૂબ જૂની છે. પૂજા દરમિયાન ભક્તોને આ બેથ સ્પર્શ કરાવવામાં આવે છે. આનાથી શક્તિ, જ્ઞાન અને ખ્યાતિ મળે છે. એવું માનવામાં આવે છે કે, આ બેથ ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને દુઃખ તેમજ ગરીબી દૂર થાય છે. આ બેથને ઘરમાં પૂજા સ્થાન પર રાખવામાં આવે તો તે શુભ સંકેત મનાય છે.
4 / 7
નિર્માલ્ય એક ખાસ પ્રકારના સૂકા ચોખા છે, જેને મંદિરમાં રાંધીને સૂકવવામાં આવે છે. ભગવાનને અર્પણ કર્યા પછી સૂકા ચોખા લાલ રંગના પોટલા પર ભક્તોને આપવામાં આવે છે. આને ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખો અને તેનો એક દાણો શુભ કાર્યોમાં નાખો.
5 / 7
એવું કહેવાય છે કે, જે ઘરમાં નિર્માલ્ય હોય છે ત્યાં ક્યારેય અન્નની અછત રહેતી નથી અને ઘર હંમેશા સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે. આ વસ્તુ ભગવાનની વિશેષ કૃપાનું પ્રતીક માનવામાં આવે છે.
6 / 7
પુરીના જગન્નાથ મંદિરને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની અહીં ખાસ પૂજા કરવામાં આવે છે. અહીંથી લાવવામાં આવેલી વસ્તુઓ ફક્ત ધાર્મિક પ્રતીકો જ નહી પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા અને સૌભાગ્ય પણ લાવે છે. તેથી, રથયાત્રા દરમિયાન આ શુભ વસ્તુઓ લાવવાથી ખૂબ જ ફાયદો થાય છે.
7 / 7
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, પંચાંગ, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.