Railway Rules : આ ફળ ટ્રેનમાં ભૂલથી પણ ના લઈ જતાં ! જો પકડાઈ ગયા, તો ભારે દંડ ચૂકવવો પડશે અને જેલ ભેગા થઈ જશો
ટ્રેનમાં તમે જે ઇચ્છો તે લઈ જઈ શકો છો પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ નિયમો બનાવ્યા છે, જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો, મુસાફરને ભારે દંડ ચૂકવવો પડે છે અને જેલમાં પણ જવું પડી શકે છે.

લોકો ઘણીવાર ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખાવા-પીવાની વસ્તુઓ સાથે લઈ જાય છે. જો કે, મોટાભાગના લોકો રેલ મુસાફરીમાં એક ભૂલ કરે છે અને પછી ભારે દંડ ચૂકવી બેસે છે. વાત એમ છે કે, ટ્રેન મુસાફરી દરમિયાન એક ફળ એવું છે, જેને લઈને રેલવેએ તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

આમ જોવા જઈએ તો, ટ્રેનમાં એક ફળ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. રેલવેના નિયમો અનુસાર, ટ્રેનમાં નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. સામાન્ય દેખાતા આ નારિયેળ પર ટ્રેનમાં સંપૂર્ણપણે પ્રતિબંધ છે. ટૂંકમાં કહીએ તો, નારિયેળ બીજા લોકો માટે જીવલેણ બની શકે છે. આ ફળ ટ્રેન મુસાફરી દરમિયાન ખતરનાક સાબિત થઈ શકે છે.

નારિયેળની અંદર તેલ અને ગેસનું દબાણ હોય છે. જો તે લાંબા સમય સુધી ગરમ વાતાવરણમાં રહે છે, તો તેના ફૂટવાની શક્યતા વધી જાય છે. ટ્રેન અને પ્લેટફોર્મમાં ગરમ તાપમાનને કારણે દબાણ સર્જાય છે અને નાળિયેર ફૂટવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, આ વિસ્ફોટ ટ્રેનમાં ખતરનાક સાબિત થઈ શકે છે.

1989 ના ભારતીય રેલવે અધિનિયમની કલમ 165 હેઠળ, ટ્રેનમાં નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ છે. રેલવેના નિયમો અનુસાર, ટ્રેનમાં જ્વલનશીલ, વિસ્ફોટક અથવા અન્ય જોખમી પદાર્થો લઈ જવા પર દંડ થઈ શકે છે. વ્યક્તિગત ઉપયોગ અથવા ધાર્મિક હેતુ માટે એક કે બે નારિયેળ લઈ જવા એ યોગ્ય વાત છે પરંતુ ટ્રેનમાં મોટી સંખ્યામાં નારિયેળ લઈ જવા પર દંડ થઈ શકે છે.

રેલવે અધિનિયમ હેઠળ, આવા કિસ્સાઓમાં મુસાફરોને ₹1000 થી ₹5000 સુધીનો દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. આ સિવાય તમને તાત્કાલિક ટ્રેનમાંથી ઉતારી પણ શકાય છે. આનો અર્થ એ થયો કે, સામાન્ય દેખાતું નારિયેળ રેલવેની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ગંભીર છે. ગરમી અને તાપમાનને કારણે આ ફળ ફાટી શકે છે અને આગ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
