Liquor Side Effects: વધુ પડતો આલ્કોહોલ પીવાથી આલ્કોહોલિક હેપેટાઇટિસ થવાનું જોખમ

એક્સપર્ટનું માનવું છે કે થોડી માત્રામાં આલ્કોહોલ આપણા શરીર માટે હાનિકારક છે. આલ્કોહોલનું સેવન કરવાથી (Alcohol Consuming) કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, આજે આપણે તેના વિશે વાત કરીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 6:01 PM
લોકો ઘણીવાર આલ્કોહોલને અનુભવ તરીકે શરૂઆત કરે છે. પરંતુ ધીમે ધીમે તેઓ આલ્કોહોલની આદત પડી જાય છે. એક્સપર્ટસ્ કહે છે કે જો કોઈ વ્યક્તિ લગભગ 10 વર્ષ સુધી દરરોજ 80 મિલી આલ્કોહોલ પીતો હોય તો આ પ્રમાણ ઘણું વધારે છે. આ આલ્કોહોલિક હેપેટાઇટિસ અને સિરોસિસનું જોખમ અનેક ગણું વધારે છે.

લોકો ઘણીવાર આલ્કોહોલને અનુભવ તરીકે શરૂઆત કરે છે. પરંતુ ધીમે ધીમે તેઓ આલ્કોહોલની આદત પડી જાય છે. એક્સપર્ટસ્ કહે છે કે જો કોઈ વ્યક્તિ લગભગ 10 વર્ષ સુધી દરરોજ 80 મિલી આલ્કોહોલ પીતો હોય તો આ પ્રમાણ ઘણું વધારે છે. આ આલ્કોહોલિક હેપેટાઇટિસ અને સિરોસિસનું જોખમ અનેક ગણું વધારે છે.

1 / 5
આલ્કોહોલ પીવાની ઘણી સાઈડ ઈફેક્ટસ્ છે. આલ્કોહોલિક હેપેટાઇટિસ એ લીવરની એક બિમારી છે જે વધુ પડતો આલ્કોહોલ પીવાથી થાય છે. તેમાં ફ્લૂડ જમા થવા લાગે છે, જેના કારણે પેટ મોટું થાય છે.

આલ્કોહોલ પીવાની ઘણી સાઈડ ઈફેક્ટસ્ છે. આલ્કોહોલિક હેપેટાઇટિસ એ લીવરની એક બિમારી છે જે વધુ પડતો આલ્કોહોલ પીવાથી થાય છે. તેમાં ફ્લૂડ જમા થવા લાગે છે, જેના કારણે પેટ મોટું થાય છે.

2 / 5
આ સિવાય પીળી આંખો, તાવ, થાક અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો આ રોગ માટે રેડ સિગ્નલ છે. સિરોસિસ વિશે વાત કરીયે તો તે એક ક્રોનિક બિમારી છે. સિરોસિસ લીવરના નુકસાન થવાથી થાય છે. ઘણી વખત લીવર કોઈ બીમારી, વધુ પડતા આલ્કોહોલનું સેવન કે અન્ય કોઈ કારણસર નુકસાન થાય છે.

આ સિવાય પીળી આંખો, તાવ, થાક અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો આ રોગ માટે રેડ સિગ્નલ છે. સિરોસિસ વિશે વાત કરીયે તો તે એક ક્રોનિક બિમારી છે. સિરોસિસ લીવરના નુકસાન થવાથી થાય છે. ઘણી વખત લીવર કોઈ બીમારી, વધુ પડતા આલ્કોહોલનું સેવન કે અન્ય કોઈ કારણસર નુકસાન થાય છે.

3 / 5
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે લોકો દારૂ પીવે છે ત્યારે તે સમયે લોકોને લાગે છે કે તેમનો મૂડ ઘણો સારો છે. પરંતુ આલ્કોહોલ પીધા પછી, આલ્કોહોલમાં હાજર કેમિકલ મગજમાં હલચલ પેદા કરે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે લોકો દારૂ પીવે છે ત્યારે તે સમયે લોકોને લાગે છે કે તેમનો મૂડ ઘણો સારો છે. પરંતુ આલ્કોહોલ પીધા પછી, આલ્કોહોલમાં હાજર કેમિકલ મગજમાં હલચલ પેદા કરે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

4 / 5
આલ્કોહોલ પીવાથી આલ્કોહોલિક હેપેટાઇટિસ, સિરોસિસ, કુપોષણ, આવશ્યક પોષક તત્વોનો અભાવ, મૂડમાં વારંવાર ફેરફાર, અનિદ્રા, નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આલ્કોહોલ પીવાથી આલ્કોહોલિક હેપેટાઇટિસ, સિરોસિસ, કુપોષણ, આવશ્યક પોષક તત્વોનો અભાવ, મૂડમાં વારંવાર ફેરફાર, અનિદ્રા, નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">