કાનુની સવાલ : પત્ની તમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે? તમે પણ ફરિયાદ કરી શકો છો, આ છે પુરુષોના અધિકાર
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં પતિઓ તેમની પત્નીઓ સામે હેરાનગતિની ફરિયાદ કરે છે. તેથી પરિણીત પુરુષો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તેમની પત્નીઓ તેમને ખોટી રીતે હેરાન કરે છે. તો તમારી પાસે ક્યા ક્યા અધિકારો છએ.

સામાન્ય રીતે જોવામાં આવે તો પત્નીઓ તેના પતિની પજવણીને કારણે માટે કાનુનની મદદ લેતી હોય છે. અને પતિઓ વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવી સામાન્ય છે. કોર્ટ ઘણીવાર તેમની વાત સાંભળે છે અને તેમના ચુકાદા આપે છે. સ્ત્રીઓને કાનૂની અધિકારો આપવામાં આવ્યા છે, જેનો તેઓ ઉપયોગ કરે છે અને ન્યાય મેળવે છે.

જો કે, આજે, ઘણી સ્ત્રીઓ તેમના કાનૂની અધિકારોનો દુરુપયોગ કરી રહી છે અને તેમના પતિઓને હેરાન કરી રહી છે. આવી સ્થિતિમાં, પતિઓ વિચારી શકે છે કે, જો સ્ત્રીઓ પાસે બધા અધિકારો છે, તો પતિઓને કયા અધિકારો છે? ચાલો આજે પતિના અધિકારોની ચર્ચા કરીએ.

પતિને તેના અધિકારો વિશે જાણ હોવી જરુરી છે. ભારતમાં આ કાનુન માત્ર મહિલાઓ માટે નહી પરંતુ કેટલાક કાનુન પુરુષો માટે પણ છે.સામાન્ય રીતે પતિઓ પાસે પત્નીની જેમ સામાન્ય અધિકાર તો નથી પરંતુ તેની સુરક્ષા અને સન્માન જાળવવા માટે કાનુની અધિકારો જરુર આપવામાં આવ્યા છે.

પત્ની જો પતિ પર ઘરેલું હિંસા કરી રહી છે તો તે પોલીસની મદદ લઈ શકે છે. જો પત્નીએ પતિ પર ખોટા આરોપ કે ખોટું કામ કરવા માટે દબાવ કરી રહી છે. તો તે 100 નંબર અથવા મહિલા હેલ્પલાઈન નંબર પર તમે કોલ કરી મદદ લઈ શકો છો.

પતિએ જો પોતાની પ્રોપર્ટી ખુદ બનાવી છે, તે સ્વ-અર્જિત પ્રોપર્ટી કહેવામાં આવે છે. તેના પર માત્ર પતિનો અધિકાર છે. પત્ની કે બાળકોનો તેના પર અધિકાર હોતો નથી. જો પતિ ઈચ્છે તો તેને આ સંપત્તિ આપી શકે છે. ઈચ્છે તો ટ્રસ્ટને પણ દાન કરી શકે છે.

પત્ની જો પતિનેમાનસિક ત્રાસ આપે છે જેમ કે તેને મિત્રો અને સંબંધીઓને મળવા ન દેવા, ઘરની બહાર ન જવા દેવા, પરિવારને મળવા ન દેવા, વારંવાર નપુંસક કહેવું, શારીરિક હિંસા કે નુકસાન પહોંચાડવું, દરેક કામમાં વધુ પડતો દખલ કરવી, બધાની સામે કે ખાનગીમાં દુર્વ્યવહાર કરવો, ભાવનાત્મક હિંસા કરવી અથવા વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપવી, તો તે તેની પત્ની સામે પોલીસ અને કોર્ટ બંનેની મદદ લઈ શકે છે.

પત્નીની જેમ પતિઓને પણ હિંદુ મેરેજ એક્ટ હેઠળ મેન્ટેન્સ એટલે કે, ભરણપોષણ માંગવાનો અધિકાર છે. આ મામલાની સુનાવણી પછી મેન્ટેન્સની રકમ કોર્ટ નક્કી કરે છે.

પત્નીઓને પણ એ અધિકાર છે કે, છુટાછેડા માટે અરજી કરી શકે છે. જેમાં તેની પત્નીની પણ સંમતિની જરુર નથી.તેઓ ક્રૂરતા અથવા તેમના જીવન માટે ભયનો ઉલ્લેખ કરીને અરજી દાખલ કરી શકે છે. કોર્ટે પતિઓને પરસ્પર સંમતિ વિના એકપક્ષીય છૂટાછેડા અથવા છૂટાછેડા મેળવવાનો અધિકાર આપ્યો છે.

બાળકની કસ્ટડી પર પતિને સમાન અધિકાર છે. જો કે, કોર્ટ બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સૌથી વધુ આર્થિક રીતે સક્ષમ વાલીને કસ્ટડી આપે છે. જો બાળક ખૂબ નાનું હોય, તો માતા તેમની સંભાળ માટે જવાબદાર હોય છે. જો કે, જો માતા અસમર્થ હોય, તો કોર્ટ નિર્ણયમાં ફેરફાર કરી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
