કાનુની સવાલ : ફેમિલી કોર્ટે આપેલા ભારણ-પોષણ અંગેના ચુકાદાને કયાં પડકારી શકાય ?
કાનુની સવાલ: જો ભારણ-પોષણનો કેસ Criminal Procedure Code (CrPC) કલમ 125 હેઠળ ચાલી રહ્યો હોય તો, તેના ચુકાદા સામે સેશન કોર્ટમાં રિવિઝન (Revision) દાખલ કરી શકાય છે. જો ત્યાંથી પણ સંતોષ ન મળે તો પછી હાઇકોર્ટમાં અપીલ કરી શકાય છે. તેની પ્રોસેસ જાણો.

ભારણ-પોષણ, તલાક અથવા અન્ય પરિવારીક વિવાદના કેસોમાં ફેમિલી કોર્ટનો ચુકાદો સામે પક્ષકારને સંતોષ ન હોય તો તે વ્યક્તિને અપીલ (Appeal) કરવાનો અધિકાર હોય છે. આ અધિકાર Family Courts Act, 1984ની ધારા 19 હેઠળ આપવામાં આવ્યો છે.

અપીલ ક્યાં કરવી?: ફેમિલી કોર્ટ જે જિલ્લામાં આવેલી હોય ત્યા આપેલો ચુકાદો યોગ્ય ન લાગે તો તેને રાજ્યની હાઈકોર્ટમાં અપીલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે — અમદાવાદ, રાજકોટ, સુરત અથવા વડોદરાની ફેમિલી કોર્ટના ચુકાદા સામેની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં થાય છે.

અપીલ માટેની સમય મર્યાદા: ચુકાદો કે આદેશ મળ્યાની 30 દિવસની અંદર અપીલ ફાઇલ કરવાની રહે છે. જો યોગ્ય કારણ દર્શાવાય તો હાઇકોર્ટ વિલંબ માફ કરી શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ: અપીલ કરતી વખતે સામાન્ય રીતે આવા દસ્તાવેજોની જરૂરી રહે છે: Certified Copy — ફેમિલી કોર્ટના ચુકાદા અથવા આદેશની કોપી, Memo of Appeal — જેમાં અપીલના મુદ્દાઓ લખેલા હોય, Grounds of Challenge — ચુકાદો કેમ ખોટો છે તે કારણો, સંબંધિત પુરાવા અને દસ્તાવેજો, સાથે વકીલનું વકાલતનામું.

CrPC કલમ 125 હેઠળના કેસમાં શું કરવું?: જો ભારણ-પોષણનો કેસ Criminal Procedure Code (CrPC) કલમ 125 હેઠળ ચાલી રહ્યો હોય તો, તેના ચુકાદા સામે સેશન કોર્ટમાં રિવિઝન (Revision) દાખલ કરી શકાય છે. જો ત્યાંથી પણ સંતોષ ન મળે તો પછી હાઇકોર્ટમાં અપીલ કરી શકાય છે.

ફેમિલી કોર્ટનો ચુકાદો અંતિમ નથી. જો તમને લાગે કે ચુકાદામાં ત્રુટિ છે કે તમારું હિત બગાડાયું છે, તો કાયદા હેઠળ તમને હાઇકોર્ટ સુધી અપીલ કરવાનો અધિકાર છે. સમયમર્યાદા અને દસ્તાવેજોની યોગ્ય તૈયારી સાથે અનુભવી વકીલની મદદ લેવી અનિવાર્ય છે. જેથી તમારી ન્યાય માટેની લડત વધુ મજબૂત બને.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
