Legal Advice : જો પુત્રવધૂ સાસુ અને સસરાને હેરાન કરે, તો કાનૂની અધિકારો શું કહે છે? જાણો
વૃદ્ધ માતા-પિતા અથવા સાસરિયાઓને પણ આદર અને ગૌરવ સાથે શાંતિપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. જો તેઓ તેમના દીકરા કે પુત્રવધૂના વર્તનથી પરેશાન હોય, તો કાયદો અનેક રક્ષણ પૂરું પાડે છે.

ભારતમાં Maintenance and Welfare of Parents and Senior Citizens Act , 2007 હેઠળ વરિષ્ઠ નાગરિક પોતાની સુરક્ષા, સમ્માન અને ભરણપોષણ માટે કાનુની મદદ લઈ શકે છે. કેટલીક પરિસ્થિતિમાં તેની સંપત્તિથી દીકરો કે પુત્રવધૂને દુર કરવાન આદેશ પણ આપવામાં આવી શકે છે.

સુપ્રીમકોર્ટે હાલમાં નિર્ણયમાં વરિષ્ઠ નાગરિકોના શાંતિપૂર્ણ જીવન અને સંપત્તિની સુરપક્ષાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ત્યારે એ જાણવું જરુરી છે કે, જો વૃદ્ધાવસ્થામાં સાસુ અને સસરાને વહુ પરેશાન કરે કે,માનસિક દબાવનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેની પાસે કાનુનની મદદ લેવાનો એક રસ્તો છે.

કાનુનનો ઉદ્દેશ્ય એ છે કે, વૃદ્ધ વ્યક્તિ સામાન્ય અને સમ્માનજનક જીવન જીવી શકે, આ માટે વરિષ્ઠ નાગરિકો જે પોતાની કમાણી અથવા સંપત્તિથી ખુદનો ખર્ચો કાઢી શકતા નથી. તો તે ભરણપોષણ માંગી શકે છે. માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ 2007ની કલમ 4 હેઠળ માતા પિતા પોતાના પુખ્ત બાળકો સામે ભરણપોષણ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકે છે.

આ કાયદામાં વરિષ્ઠ નાગરિકોના શાંતિપૂર્ણ જીવન અને સંપત્તિના રક્ષણ માટે ચોક્કસ જોગવાઈઓ છે. જો કોઈ પુત્ર કે પુત્રવધૂનું વર્તન વરિષ્ઠ નાગરિકના શાંતિપૂર્ણ જીવન અથવા સંપત્તિને ખલેલ પહોંચાડતું હોય, તો તેઓ સંબંધિત વહીવટીતંત્ર અથવા ટ્રિબ્યુનલમાં ફરિયાદ નોંધાવી શકે છે. કાયદો વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકે છે

એવા કિસ્સાઓમાં જ્યાં કોઈ વરિષ્ઠ નાગરિકે એવી શરતે મિલકત આપી હોય કે બીજી વ્યક્તિ તેમની મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓનું ધ્યાન રાખશે, પરંતુ તેમ કરવામાં ન આવે, તો ચોક્કસ સંજોગોમાં ટ્રાન્સફર રદ કરી શકાય છે. વરિષ્ઠ નાગરિક જાળવણી અને કલ્યાણ અધિનિયમની કલમ 23 માં મિલકતના ટ્રાન્સફર અંગે એક મહત્વપૂર્ણ જોગવાઈ છે.

ભરણપોષણના કેસોને સંભાળવા માટે જાળવણી અને કલ્યાણ અધિનિયમ હેઠળ એક ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો પોતે અરજી કરી શકે છે, અથવા જો તેઓ તેમ કરવામાં અસમર્થ હોય, તો તેમના વતી અધિકૃત વ્યક્તિ પણ અરજી કરી શકે છે.

કાયદામાં આવા કેસોની સુનાવણી અને જરૂર મુજબ આદેશો આપવાની જોગવાઈ છે.ગંભીર ધમકી અથવા હિંસાના કિસ્સાઓમાં, પોલીસ અને અન્ય ઉપલબ્ધ કાનૂની સહાય પણ મેળવી શકાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
