AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે? જાણો કાયદો શું કહે છે

કાનુની સવાલ: લવ મેરેજ ભારત જેવા દેશોમાં હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણા કપલ લવ મેરેજ કરવા ઈચ્છે છે, પરંતુ તેમના મનમાં સવાલ રહે છે કે શું આ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે? ચાલો કાયદાની દૃષ્ટિએ સમજીએ.

| Updated on: Oct 01, 2025 | 2:58 PM
Share
ભારતીય કાયદા અનુસાર, લગ્ન માટે કાનૂની ઉંમર નક્કી કરવામાં આવી છે. પુરુષ માટે 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ પૂરાં થયા પછી તેઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે. એટલે કે, જો બંને પક્ષના વ્યક્તિોએ કાનૂની ઉંમર પૂર્ણ કરી છે, તો તેમને પોતાના માતા-પિતાની મંજૂરી લેવાની કાનૂની ફરજ નથી.

ભારતીય કાયદા અનુસાર, લગ્ન માટે કાનૂની ઉંમર નક્કી કરવામાં આવી છે. પુરુષ માટે 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ પૂરાં થયા પછી તેઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે. એટલે કે, જો બંને પક્ષના વ્યક્તિોએ કાનૂની ઉંમર પૂર્ણ કરી છે, તો તેમને પોતાના માતા-પિતાની મંજૂરી લેવાની કાનૂની ફરજ નથી.

1 / 7
સ્પેશ્યલ મેરેજ એક્ટ 1954 (Special Marriage Act, 1954) અનુસાર, અલગ જાતિ, ધર્મ અથવા સમાજના લોકો પણ કાનૂની રીતે લગ્ન કરી શકે છે. આ કાયદા હેઠળ લગ્ન માટે માતા-પિતાની સંમતિ લેવાની આવશ્યકતા નથી. જો કે કેટલીક પ્રક્રિયાઓ જેવી કે લગ્નની નોટિસ જાહેર કરવી અને રજીસ્ટ્રાર સમક્ષ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જરૂરી છે.

સ્પેશ્યલ મેરેજ એક્ટ 1954 (Special Marriage Act, 1954) અનુસાર, અલગ જાતિ, ધર્મ અથવા સમાજના લોકો પણ કાનૂની રીતે લગ્ન કરી શકે છે. આ કાયદા હેઠળ લગ્ન માટે માતા-પિતાની સંમતિ લેવાની આવશ્યકતા નથી. જો કે કેટલીક પ્રક્રિયાઓ જેવી કે લગ્નની નોટિસ જાહેર કરવી અને રજીસ્ટ્રાર સમક્ષ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જરૂરી છે.

2 / 7
ઘણાં વખત માતા-પિતા સામાજિક કારણોસર અથવા પરિવારની માન્યતાઓને કારણે લવ મેરેજનો વિરોધ કરે છે. પરંતુ કાયદો સ્પષ્ટ કહે છે કે યુવાન થયા પછી દરેક વ્યક્તિને પોતાના જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ પણ અનેક વખત આ બાબતમાં સ્પષ્ટતા કરી છે કે વ્યક્તિગત સ્વતંત્રતા ભારતના બંધારણ હેઠળ સુરક્ષિત છે.

ઘણાં વખત માતા-પિતા સામાજિક કારણોસર અથવા પરિવારની માન્યતાઓને કારણે લવ મેરેજનો વિરોધ કરે છે. પરંતુ કાયદો સ્પષ્ટ કહે છે કે યુવાન થયા પછી દરેક વ્યક્તિને પોતાના જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોએ પણ અનેક વખત આ બાબતમાં સ્પષ્ટતા કરી છે કે વ્યક્તિગત સ્વતંત્રતા ભારતના બંધારણ હેઠળ સુરક્ષિત છે.

3 / 7
જો કે કાયદા મુજબ મંજૂરી જરૂરી નથી, પરંતુ પરિવારનું સમર્થન અને આશીર્વાદ લગ્નજીવન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. માતા-પિતાની સમજણ અને સહકારથી યુગલનું જીવન વધુ સુખમય બની શકે છે.

જો કે કાયદા મુજબ મંજૂરી જરૂરી નથી, પરંતુ પરિવારનું સમર્થન અને આશીર્વાદ લગ્નજીવન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. માતા-પિતાની સમજણ અને સહકારથી યુગલનું જીવન વધુ સુખમય બની શકે છે.

4 / 7
જો માતા-પિતા પ્રેમ લગ્ન માટે તૈયાર ન હોય તો યુગલ પાસે કાનૂની વિકલ્પો છે. તેઓ કોર્ટ મેરેજ કરી શકે છે અને કાયદાકીય રીતે પોતાનું લગ્નજીવન શરૂ કરી શકે છે.

જો માતા-પિતા પ્રેમ લગ્ન માટે તૈયાર ન હોય તો યુગલ પાસે કાનૂની વિકલ્પો છે. તેઓ કોર્ટ મેરેજ કરી શકે છે અને કાયદાકીય રીતે પોતાનું લગ્નજીવન શરૂ કરી શકે છે.

5 / 7
ભારતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી કાનૂની રીતે જરૂરી નથી, જો બંને પક્ષ કાનૂની ઉંમર પૂર્ણ કરી ચૂક્યા હોય. પરંતુ માતા-પિતાનું માર્ગદર્શન અને સમર્થન મેળવો તો લગ્નજીવન વધુ મજબૂત બને છે. એટલે કે કાયદો યુગલોને સ્વતંત્રતા આપે છે પરંતુ પરિવારનો સહકાર જીવનને વધુ સુખમય બનાવે છે.

ભારતમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી કાનૂની રીતે જરૂરી નથી, જો બંને પક્ષ કાનૂની ઉંમર પૂર્ણ કરી ચૂક્યા હોય. પરંતુ માતા-પિતાનું માર્ગદર્શન અને સમર્થન મેળવો તો લગ્નજીવન વધુ મજબૂત બને છે. એટલે કે કાયદો યુગલોને સ્વતંત્રતા આપે છે પરંતુ પરિવારનો સહકાર જીવનને વધુ સુખમય બનાવે છે.

6 / 7
લવ મરેજ કરવા માટે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરી લીધા હોવા જોઈએ. પરંતુ માતા-પિતાની મરજી વિરુધ જઈને લગ્ન કરવા એ સંસ્કાર શીખવતું નથી. બની શકે તો માતા-પિતાની હાજરીમાં અને વડીલોના આશીર્વાદ લઈને જ મેરેજ કરવા જોઈએ.

લવ મરેજ કરવા માટે છોકરાની ઉંમર 21 અને છોકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ કરી લીધા હોવા જોઈએ. પરંતુ માતા-પિતાની મરજી વિરુધ જઈને લગ્ન કરવા એ સંસ્કાર શીખવતું નથી. બની શકે તો માતા-પિતાની હાજરીમાં અને વડીલોના આશીર્વાદ લઈને જ મેરેજ કરવા જોઈએ.

7 / 7

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">