કાનુની સવાલ : પોલીસ કોઈ વ્યક્તિને કેટલા સમય માટે પોલીસ સ્ટેશનમાં રાખી શકે છે ? નિયમો જાણો
હંમેશા એવું જોવા મળે છે કે, કેટલાક લોકોને પુછપરછના નામે પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસાડવામાં આવે છે. ત્યારે લોકોના મનમાં સવાલ થાય છે કે, આ સ્થિતિમાં તમારી પાસે ક્યા કયા અધિકારો હોય છે. આજે કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.

ભારતીય કાનુન હેઠળ કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર ખુબ મહત્વપૂર્ણ છે અને પોલીસ પ્રશાસન આને કોઈ યોગ્ય કારણ વગર કાનુન છીનવી શકતી નથી.ફોજદારી કાર્યવાહી સંહિતા અને હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અનુસાર, પોલીસ સત્તાવાર ધરપકડ અથવા રેકોર્ડ વિના કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રાખી શકતી નથી.

ઘણીવાર એવું જોવા મળે છે કે પોલીસ પૂછપરછના બહાને કોઈ વ્યક્તિને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં રાખે છે, જેને "ગેરકાયદેસર અટકાયત" તરીકે વર્ગીકૃત કરી શકાય છે.

જો પોલીસ કોઈને અટકાયતમાં રાખે છે, તો તેને ડેઇલી ડાયરી અથવા જીડીમાં નોંધવું ફરજિયાત છે, અન્યથા તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. ચાલો કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ. પોલીસ સ્ટેશનમાં રાખવા અને ધરપકડના નિયમો વિશે જાણીએ.

પોલીસ કોઈપણ ધરપકડ કરાયેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા વિના 24 કલાકથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકતી નથી.નિયમો અનુસાર, પોલીસને કાયદેસર રીતે આરોપીને પોલીસ સ્ટેશન લાવતાની સાથે જ 'ધરપકડ મેમો' અથવા પોલીસ રેકોર્ડમાં તેનું નામ અને ધરપકડનો સમય નોંધવો જરૂરી છે.

આટલું જ નહીં, ધરપકડનું કારણ જણાવવું અને વ્યક્તિને અટકાયતમાં લીધાના 2 કલાકની અંદર પરિવારને જાણ કરવી ફરજિયાત છે. જો તમને ફક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોય, તો પોલીસ તમને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં (ખાસ કરીને મહિલાઓ) પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રાખી શકતી નથી.

અટકાયત કરાયેલ વ્યક્તિને તેના વકીલ સાથે વાત કરવાનો અને કાનૂની સલાહ લેવાનો સંપૂર્ણ અધિકાર છે. એટલું જ નહી પરંતુ અટાયકત દરમિયાન વ્યક્તિના સ્વાસ્થની જવાબદારી પોલીસની રહે છે. દર 48 કલાકમાં મેડિકલ તપાસના નિયમ છે. પોલીસની એજ જવાબદારી હોય છે કે, તે વ્યક્તિના કોઈ એક પરિવારના લોકો કે, તેના ફ્રેન્ડને ધરપકડની જાણકારી જલ્દી આપે. પોલીસ સાથે કોઈ પણ ગેરવર્તન કે ઝઘડો કર્યા વગર શાંતિથી તમારા અધિકારોની વાત કરો અને કાનુની પ્રકિયાનું પાલન કરો. (photo: canva, ai)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
