MI Retention List IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટનના નામની કરી જાહેરાત, રોહિત-પંડ્યાની સાથે આ 3 ખેલાડીઓને કર્યા રિટેન
IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત પુનરાગમન કરવા માટે પ્રથમ પગલું ભર્યું છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે.

IPL 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે મજબૂત પુનરાગમન કરવા માટે પ્રથમ પગલું ભર્યું છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. ખાસ વાત એ છે કે રોહિત શર્મા હજુ પણ આ ટીમ સાથે છે.

ગત સિઝન બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે, પરંતુ એવું થયું નથી. આ સાથે જ હાર્દિક પંડ્યાને પણ રિટેન કરવામાં આવ્યો છે. આ બે દિગ્ગજ ખેલાડીઓ સિવાય મુંબઈની ટીમે વધુ 3 ખેલાડીઓને રિટેન કર્યા છે.

રોહિત આ ટીમ સાથે 5 વખત IPL ટ્રોફી જીતી ચૂક્યો છે. તો હાર્દિક પંડ્યાની છેલ્લી સિઝનમાં મુંબઈની ટીમમાં વાપસી થઈ હતી અને કેપ્ટન પણ બન્યો હતો. આ સિવાય જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને પણ રિટેન કરવામાં આવ્યા છે.

રિટેન્શન લિસ્ટની સાથે મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝન માટે કેપ્ટનનું નામ પણ જાહેર કર્યું છે. મુંબઈની ટીમે જાહેરાત કરી છે કે IPL 2025માં હાર્દિક પંડ્યા ટીમનો કેપ્ટન રહેશે.

ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, પરંતુ મુંબઈએ પંડ્યા પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. એટલે કે રોહિત શર્મા આગામી સિઝનમાં પણ ખેલાડી તરીકે રમશે.

મુંબઈએ જસપ્રિત બુમરાહને સૌથી વધુ 18 કરોડ રૂપિયા આપ્યા છે. તો સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને 16.35-16.35 કરોડમાં રિટેન કરવામાં આવ્યા છે. આ સિવાય રોહિતને 16.30 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. તો તિલક વર્માને 8 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.
