Breaking News: ભારતે પાકિસ્તાનની ‘ચાઇનીઝ HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ’ને તકલાદી રમકડાની માફક તોડી નાખી
ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર હજુ યથાવત છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ હુમલા દરમિયાન ભારતીય સેનાએ લાહોરમાં રહેલ પાકિસ્તાનની સૌથી મોટી એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો કર્યો હતો.

પાકિસ્તાની સેના ભારતના વિવિધ શહેરોમાં ડ્રોન ઘૂસાવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ ભારતીય સેનાએ તેમના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

પાકિસ્તાને ચીન પાસેથી HQ-9 મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે લાખો ડોલર ખર્ચ્યા હતા પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. 7 મેના રોજ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમના કૂચેકુચા બોલાઈ ગયા હતા. પાકિસ્તાન દાવો કરતું હતું કે, આ સિસ્ટમ ચાઇનીઝ શિલ્ડ છે પરંતુ ભારતના હુમલા પછી તે પ્લાસ્ટિકના રમકડાંની માફક તૂટી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, ભારત પાસે હાલમાં રશિયન બનાવટનું S400 અને તેના જેવી જ એક રડાર સિસ્ટમ છે જેને 'પેટ્રિઅટ સિસ્ટમ' કહેવાય છે. જો કે, આ સિસ્ટમની ટેકનિક ચોરી કરીને ચીને HQ-9 સિસ્ટમ વિકસાવી હતી.

ચીને દાવો કર્યો હતો કે, આ સિસ્ટમની મારક ક્ષમતા 120-250 કિમી જેટલી છે. ચીનનો દાવો છે કે, આ એર ડિફેન્સ સિસ્ટમ ક્રુઝ મિસાઈલ, વિમાન અને બેલિસ્ટિક મિસાઈલને અટકાવી શકે છે પરંતુ ભારતના ડ્રોન હુમલાને કારણે આ એર ડિફેન્સ સિસ્ટમ હવે નાશ પામી છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

































































