Heart Attack : હાર્ટ એટેક પાછળનું વૈજ્ઞાનિક કારણ ચોંકાવનારું, જાણો તમારા શરીરમાં છુપાયેલા આ દુશ્મન વિશે
હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. પણ શું તમે જાણો છો કે હાઈ બ્લડ પ્રેશર કેટલા સ્તરે પહોંચે ત્યારે આ જોખમ વધુ ગંભીર બની શકે છે? આવો, નિષ્ણાતોની સમજણથી આ બાબતને સમજવાનો પ્રયાસ કરીએ.

આજકાલ હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાર્ટ એટેક એ એવી ગંભીર તબીબી સ્થિતિ છે જેમાં હૃદયના પેશીઓ સુધી લોહી પહોચવાનું બંધ થઈ જાય છે, જેના કારણે ધમનીઓ નુકસાન પામવા લાગે છે. હાર્ટ એટેકના અનેક કારણો હોઈ શકે છે, જેમાંથી એક મુખ્ય કારણ હાઈ બ્લડ પ્રેશર છે. જ્યારે હાઈ બ્લડ પ્રેશર ખૂબ વધે છે, ત્યારે તે હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓનું જોખમ ઊભું કરી શકે છે. (Credits: - Canva)

જ્યારે બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી જાય છે, ત્યારે તે ધમનીઓ પર વધુ દબાણ ઊભું કરે છે, જેના કારણે આ ધમનીઓને નુકસાન પહોંચી શકે છે. આવી ક્ષતિઓના કારણે લોહીનો પ્રવાહ અવરોધિત થાય છે, અને પરિણામે હૃદયની પેશીઓને ઓક્સિજન અને જરૂરી પોષક તત્ત્વોની પૂરતી ઉપલબ્ધતા રહેતી નથી. આવી સ્થિતિ હાર્ટ એટેકના જોખમમાં વધારો કરી શકે છે. હવે સવાલ એ થાય છે કે હાઈ બ્લડ પ્રેશર કેટલા સ્તરે પહોંચે ત્યારે આવું ગંભીર જોખમ ઊભું થાય છે? (Credits: - Canva)

નિષ્ણાતો જણાવે છે કે 120/80 ммHg નું બ્લડ પ્રેશર સામાન્ય ગણાય છે. બ્લડ પ્રેશરમાં થતો થોડો ઘણો ફેરફાર સામાન્ય રીતે ગંભીર ગણાતો નથી. જોકે જો તમારું બ્લડ પ્રેશર 140/90 ммHg કે વધુ હોય, તો એ તમારા માટે ચેતવણીરૂપ સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિ હૃદયરોગના હુમલાનો ખતરો વધારી શકે છે, તેથી યોગ્ય પગલાં લેવી ખૂબ જરૂરી છે. (Credits: - Canva)

ઘણીવાર કોઈ લક્ષણો જોવા ન મળે છતાં પણ વ્યક્તિ લાંબા સમય સુધી ઉચ્ચ હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ શકે છે. ભલે લક્ષણો સ્પષ્ટ ન હોય, તેમ છતાં હાઈ બ્લડ પ્રેશર હૃદયની ધમનિઓને નુકસાન પહોંચાડતું રહે છે, જે પરિણામે સ્ટ્રોક અથવા હાર્ટ એટેક જેવી ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ ઊભું થઈ શકે છે. (Credits: - Canva)

જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ હૃદય સંબંધિત જોખમકારક ઘટકો પણ વધવા લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે વધુ ઉંમરના લોકોને વિવિધ સ્વાસ્થ્ય હાલતો માટે દવાઓ લેવી પડે છે, અને કેટલીક દવાઓના સાઇડ ઈફેક્ટસના કારણે હાઈ બ્લડ પ્રેશરમાં વધારો થવાની શક્યતા રહે છે. (Credits: - Canva)

ઉંમર વધતાં સ્વાસ્થ્ય જાળવવા માટે ધ્યાનધારણા (મેડિટેશન), નિયમિત વ્યાયામ અને સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી બને છે. નિષ્ણાતો જણાવે છે કે વય સાથે શરીરનું વજન નિયંત્રણમાં રહેવું ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે વધતું વજન સ્થૂળતાનું કારણ બની શકે છે. સ્થૂળતા ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી સ્થિતિઓના જોખમમાં વધારો કરે છે, જેનાથી સિસ્ટોલિક બ્લડ પ્રેશર વધારે થવાની શક્યતા રહે છે. (Credits: - Canva)

જો કોઈ વ્યક્તિ ઉચ્ચ હાઈ બ્લડ પ્રેશરથી પીડાઈ રહી હોય, તો તેને પોતાના આરોગ્ય અંગે ખાસ સતર્ક રહેવું જરૂરી છે. (Credits: - Canva)

જો છાતીમાં અસહજ દુખાવું, બળતરા અથવા જકડાવાની લાગણી થાય, ઉપરના પીઠમાં અથવા છાતી નજીક દુખાવાનો અનુભવ થાય, શ્વાસ લેવામાં અસમર્થતા લાગે, હાથ, માથું અથવા પીઠમાં દુખાવો જણાય, વધુ પરસેવો આવે કે ઉબકાં આવે, તો આ લક્ષણો હાર્ટ એટેકના સંકેત હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. (Credits: - Canva)

( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
