AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: ભાગીને લગ્ન કર્યા પછી શું થઈ શકે? કાયદા, પરિવાર અને સમાજ પર તેની શું અસર પડે છે જાણો

કાનુની સવાલ: ઘણા યુવાનો પ્રેમમાં પડ્યા પછી પરિવારની મંજૂરી વગર ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લે છે. ફિલ્મો અને સોશિયલ મીડિયામાં તેને રોમાંચક રીતે બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેના ઘણા કાયદાકીય અને સામાજિક પરિણામો હોઈ શકે છે. તેથી ભાગીને લગ્ન કરતા પહેલા તેની અસર સમજવી ખૂબ જરૂરી છે.

| Updated on: Mar 15, 2026 | 3:13 PM
Share
કાનુની સવાલ: સૌ પ્રથમ જો બંને યુવક-યુવતી પુખ્ત વયના હોય (છોકરી 18 વર્ષ અને છોકરો 21 વર્ષથી વધુ), તો કાયદા મુજબ તેઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે.

કાનુની સવાલ: સૌ પ્રથમ જો બંને યુવક-યુવતી પુખ્ત વયના હોય (છોકરી 18 વર્ષ અને છોકરો 21 વર્ષથી વધુ), તો કાયદા મુજબ તેઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે.

1 / 7
પરંતુ ઘણી વખત પરિવાર તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. ખાસ કરીને છોકરીના પરિવારજનો અપહરણ અથવા દબાણના આરોપ લગાવી શકે છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસ કરે છે અને યુવતીનું નિવેદન લેવામાં આવે છે.

પરંતુ ઘણી વખત પરિવાર તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. ખાસ કરીને છોકરીના પરિવારજનો અપહરણ અથવા દબાણના આરોપ લગાવી શકે છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસ કરે છે અને યુવતીનું નિવેદન લેવામાં આવે છે.

2 / 7
જો બંને પુખ્ત વયના હોય અને તેઓ પોતાની ઈચ્છાથી સાથે ગયા હોય તો કોર્ટ સામાન્ય રીતે તેમના નિર્ણયને માન્યતા આપે છે. જોકે જો યુવતી નાબાલિક હોય, તો આ મામલો ગંભીર બની શકે છે અને છોકરાની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

જો બંને પુખ્ત વયના હોય અને તેઓ પોતાની ઈચ્છાથી સાથે ગયા હોય તો કોર્ટ સામાન્ય રીતે તેમના નિર્ણયને માન્યતા આપે છે. જોકે જો યુવતી નાબાલિક હોય, તો આ મામલો ગંભીર બની શકે છે અને છોકરાની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

3 / 7
ભાગીને લગ્ન કર્યા પછી સામાજિક અને પરિવારિક તણાવ પણ ઉભો થઈ શકે છે. ઘણા કેસોમાં પરિવાર સાથેના સંબંધોમાં તિરાડ પડે છે. ક્યારેક દંપતિને સુરક્ષા અથવા આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. તેથી લગ્ન પહેલાં બંનેએ આર્થિક રીતે સ્વતંત્ર બનવું અને પોતાના નિર્ણય વિશે ગંભીરતાથી વિચારવું મહત્વપૂર્ણ છે.

ભાગીને લગ્ન કર્યા પછી સામાજિક અને પરિવારિક તણાવ પણ ઉભો થઈ શકે છે. ઘણા કેસોમાં પરિવાર સાથેના સંબંધોમાં તિરાડ પડે છે. ક્યારેક દંપતિને સુરક્ષા અથવા આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. તેથી લગ્ન પહેલાં બંનેએ આર્થિક રીતે સ્વતંત્ર બનવું અને પોતાના નિર્ણય વિશે ગંભીરતાથી વિચારવું મહત્વપૂર્ણ છે.

4 / 7
કાયદાકીય રીતે સુરક્ષિત રહેવા માટે ઘણા દંપતિ કોર્ટ મેરેજ અથવા નોંધણી કરાવે છે. આથી તેમના લગ્નને કાયદાકીય માન્યતા મળે છે અને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો પુરાવા તરીકે કામ આવે છે.

કાયદાકીય રીતે સુરક્ષિત રહેવા માટે ઘણા દંપતિ કોર્ટ મેરેજ અથવા નોંધણી કરાવે છે. આથી તેમના લગ્નને કાયદાકીય માન્યતા મળે છે અને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય તો પુરાવા તરીકે કામ આવે છે.

5 / 7
એકંદરે ભાગીને લગ્ન કરવાનો નિર્ણય માત્ર ભાવનાત્મક નહીં પરંતુ સમજદારીપૂર્વક લેવો જોઈએ. કાયદા, પરિવાર અને સમાજ પર તેની અસરને ધ્યાનમાં રાખીને જ આગળનું પગલું ભરવું યોગ્ય છે.

એકંદરે ભાગીને લગ્ન કરવાનો નિર્ણય માત્ર ભાવનાત્મક નહીં પરંતુ સમજદારીપૂર્વક લેવો જોઈએ. કાયદા, પરિવાર અને સમાજ પર તેની અસરને ધ્યાનમાં રાખીને જ આગળનું પગલું ભરવું યોગ્ય છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

7 / 7

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">