Women’s health : PCOS માટે સર્જરી ક્યારે જરૂરી છે? ડૉક્ટર પાસેથી જાણો
PCOS એક ક્રોનિક સ્થિતિ છે. કેટલાક કિસ્સાઓમાં, દર્દીઓને સર્જરીની જરૂર પડી શકે છે. આજે અમે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં જણાવીશું કે સર્જરીની જરુર ક્યારે પડી શકે છે.

પીસીઓએસ કે પછી પોલિસિસ્ટિક ઓવરી સિડ્રોમ એક એવી સમસ્યા છે. જે સામાન્ય રીતે રિપ્રોડક્ટિવ મહિલાઓને વધારે પરેશાન કરે છે. પીસીઓએસ થવા પર મહિલાઓને અનિયમિત પીરિયડ્સ, એડ્રોજન વધારે બનવું, પ્રજનન સંબંધી સમસ્યાઓ થાય છે. જે મહિલાઓને પીસીઓએસ હોય છે તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

જેમ કે ખીલ, ચહેરાના વાળનો વધારો, ઇન્સ્યુલિન રેજિસ્ટેસની સમસ્યા, વગેરે. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં, PCOSની સારવાર દવાથી કરવામાં આવે છે. PCOS એક ક્રોનિક સ્થિતિ છે, તેથી ડોકટરો તેના લક્ષણોનું સંચાલન કરવા પર ખાસ ભાર મૂકે છે. જોકે, ઘણા કિસ્સાઓમાં, PCOS થવા પર સર્જરીની જરૂર પડી શકે છે. PCOS માટે સર્જરી ક્યારે જરૂરી છે? આ વિશે વધુ જાણો.

PCOSની સર્જરી લેપ્રોસ્કોપિક ઓવરિયન ડ્રિલિંગ કરાવવી પડે છે. આ એક પ્રકારની થર્ડ લાઈન ટ્રિટમેટ છે. આ સર્જરીને ત્યારે વૈકલ્પિક તરીકે પસંદ કરી શકાય છે. જ્યારે ડાયટ, લાઈફસ્ટાઈલમાં ફેરફાર, દવા લીધા પછી પણ દર્દીની કંડીશનમાં સુધારો થતો નથી.

ખાસ કરીને જ્યારે મહિલામાં ઓવ્યુલેશન અને ઈન્ફર્ટિલિટીની કંડીશન બગડતી રહે છે અને એન્ડ્રોજન હોર્મોન મોટી માત્રામાં બનવા લાગે છે. આ સ્થિતિને વિસ્તારથી સમજીએ.

પીસીઓએસ થવા પર તેના લક્ષણોને મેનેજ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જો કોઈ કારણોસર લક્ષણો વધે છે અને દર્દીની સ્થિતિમાં સુધારો ન આવે તો ડોક્ટર સર્જરી કરવાનો નિર્ણય લે છે.

જો પીસીઓએસથી પીડિત મહિલા ગર્ભવતી થવા માંગે છે પરંતુ, તેના તમામ પ્રયાસો છતાં, ગર્ભવતી થઈ શકતી નથી, તો આ સ્થિતિને અવગણવા જેવી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેનું શરીર અન્ય સારવારો પ્રત્યે સારી પ્રતિક્રિયા આપી રહ્યું નથી, અને ફક્ત સર્જરી જ મદદ કરી શકે છે.

પીસીઓએસ સર્જરી પહેલા કઈ કઈ વાતનું ધ્યાન રાખવું. પ્રી-ઓપરેટિવ ટેસ્ટ કરવામાં આવે છે. જેનાથી જાણી શકાય કે, કિડની, લિવર બધું યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. પીસીઓએસના દર્દી દવા લે છે તો તેના રિવ્યુ લેવામાં આવે છે. પીસીઓએસ સર્જરી પહેલા અંદાજે 6 થી 8 કલાક સુધી કાંઈ પણ જમવાનું દર્દીને આપવામાં આવતું નથી. ડોક્ટર જે કહે તે કરવાનું રહે છે. પીસીઓએસ સર્જરી પહેલા શારીરિક સંબંધ બાંધવો જોઈએ નહી. આ સિવાય તમે એક્સપર્ટની પણ સલાહ લઈ શકો છો.

PCOS સર્જરી કરાવવી કે નહીં તે અંગેનો નિર્ણય સંપૂર્ણપણે તમારા ડૉક્ટર પર રહેલો છે. જ્યારે PCOS લક્ષણોને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે સ્ત્રીઓએ આ વિશે વધુ ચિંતા ન કરવી જોઈએ. તેના બદલે, તેમણે તેમના ડૉક્ટરની સલાહના આધારે જાણકાર નિર્ણયો લેવા જોઈએ.

જો PCOS સર્જરી જરૂરી હોય, તો સ્ત્રીઓ સામાન્ય રીતે PCOS સર્જરીના એક થી બે અઠવાડિયામાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. જો કે, તમારા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લેવાનું ચાલુ રાખવું અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
