Asia Cupમાં શુભમન ગિલને મળશે મોટી જવાબદારી, ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડ પ્રવાસની ગિફટ આપશે
Asia Cup 2025 : યુએઈમાં 9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025નું આયોજન થવાનું છે. જે ટી20 ફોર્મેટમાં રમાશે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શુભમન ગિલ આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં વાપસી થશે કે નહી. પરંતુ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગિલને મોટી જવાબદારી મળી શકે છે.

શુભમન ગિલનું ભારતીય ક્રિકેટ ટીમમાં દિવસેને દિવસે નામ વધી રહ્યું છે. પહેલા જ ટીમ ઈન્ડિયાનો મહત્વનો બેટ્સમેન બની ગયો છે. ગિલ હાલમાં ટેસ્ટ કેપ્ટન છે. કેપ્ટન તરીકે તેમનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં ગિલે માત્ર વધારે રન બનાવ્યા નથી પરંતુ ટીમનું નેતૃત્વ કરી સીરઝને 2-2થી ડ્રો પણ કરાવી છે.

આ પ્રદર્શનનું ઈનામ તેને મળવા જઈ રહ્યું છે. શુભમન ગિલને ટુંક સમયમાં ટી20 ટીમનો વાઈસકેપ્ટન બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ એવો દાવો કરવામાં આવ્યો કે, એશિયા કપ 2025માં જનારી ભારતીય ટીમમાં ગિલને વાઈસકેપ્ટન નિયુક્ત કરવામાં આવી શકે છે. એશિયા કપનું આયોજન 9 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમબરના રોજ યુએઈમાં થશે. આ ટી20 ફોર્મેટમાં રમાશે. હવે ટી20માં ગિલ જ ટીમ ઈન્ડિયાનો વાઈસકેપ્ટન હશે.

આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપ માટે કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર તેમણે આ મહત્વની ભુમિકામાં જોઈ રહ્યા છે. ગિલને વાઈસકેપ્ટન બનાવવાથી એ સ્પષ્ટ છે કે, ટીમ મેનેજમેન્ટ તેને 3 ફોર્મેટમાં બનાવી રાખવા માટે તૈયાર છે.

25 વર્ષના ગિલે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટી20 મેચ ઓગસ્ટ 2024માં શ્રીલંકા પ્રવાસ પર રમ્યો હતો. ત્યારબાદથી તે માત્ર ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમતો હતો પરંતુ ચેમ્પિયન ટ્રોફી, ટેસ્ટ ક્રિકેટ અને આઈપીએલમાં તેનું પ્રદર્શન સારા ફોર્મમાં જોવા મળ્યું તેમને ટી20 ટીમમાં બોલાવવામાં આવી શકે છે.

ગિલે ટીમ ઈન્ડિયા માટે 21 ટી20 મેચ રમી છે. જેમાં 30ની સરેરાશથી 578 રન બનાવ્યા છે. ગિલ એ પસંદગીના ભારતીય બેટ્સમેનોમાંના એક છે જેમણે ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.ટી20માં ગિલના નામે 1 સદી અને 3 અડધી સદી છે.

તમને જણાવી દઈએ કે, ગીલ પહેલા જ વનડેમાં ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન છે. અને આવનાર દિવસોમાં તે આ ફોર્મેટમાં પણ ટીમ ઈન્ડિયાની કમાન મળી શકે છે. જે હાલમાં રોહિત શર્માના હાથમાં છે.
આવો છે પરિવાર ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલનો પરિવાર અહી ક્લિક કરો
