IPL 2025 : મુંબઈ-પંજાબ વચ્ચે ક્વોલિફાયર 2 મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી જોવા મળ્યું !
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ શાંત થયા બાદ BCCIએ બાકી રહેલી મેચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જેમાં અંતિમ બે મેચો ક્વોલિફાયર 2 અને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની જાહેરાત થઈ, જેનાથી ફેન્સ ખુશ હતા. પરંતુ મેચની રાત્રે સ્ટેડિયમમાં સીટ ખાલી જોવા મળી હતી. જે બાદ સવાલ ઉઠી રહ્યા છે કે ફેન્સ કેમ સ્ટેડિયમમાં હાજર ન રહ્યા?

IPL 2025ના આ મહત્વપૂર્ણ મુકાબલામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેન્સની ઓછી હાજરી જોવા મળી હતી. સ્ટેડિયમમાં અનેક સીટ ખાલી જોવા મળી હતી.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. દેશભરના ક્રિકેટ ફેન્સ મેચ જોવા અહી આવે છે. ખાસ કરીને IPLમાં નાઈટ મેચમાં ફેન્સનો ઘસારો હોય છે.

પરંતુ IPL 2025ના આ મહત્વપૂર્ણ મુકાબલા માં ફેન્સની ઓછી હાજરીએ ફેન્સના મનમાં અનેક સવાલ ઊભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે સ્ટેડિયમમાં ફેન્સની હાજરી કેમ ઓછી રહી અને સીટ કે કેમ ખાલી જોવા મળી?

આનો સચોટ જવાબ તો કદાચ નહીં આપી શકાય, પરંતુ એવું માની શકાય કે ગુજરાતના અમદાવાદમાં મેચ છે અને હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ જ આ મેચમાં રમી રહી નથી, એવામાં કદાચ ફેન્સની સંખ્યા ઘટી ગઈ હોય શકે.

બીજું મુખ્ય કારણ કદાચ હવામાન હોય શકે છે. અમદાવાદમાં મેચ શરૂ થાય તે પહેલા વરસાદ શરૂ થયો હતો. ટોસ બાદ મેચ જલ્દી શરૂ થઈ જ શકી નહીં, એવામાં કદાચ વરસાદના કારણે પણ ફેન્સ સ્ટેડિયમ માં હાજર ન રહ્યા હોત શકે. (AllPhoto Credit : PTI)
IPL 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, આ સિઝનમાં ફક્ત 2 મેચ રમવાની બાકી છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
































































