IND vs ENG 2025 Controversies : બોલિવુડની થ્રિલર ફિલ્મથી ઓછી ન હતી ભારત-ઈંગ્લેન્ડની સીરિઝ, આ વિવાદોએ મચાવી હતી ધમાલ
ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ 5 મેચની ટેસ્ટ સીરિઝ પૂર્ણ થઈ છે. 24 જૂનથી લીડ્સમાં શરુ થયેલી આ સીરિઝ 4 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ છે. સીરિઝ 2-2 સાથે પૂર્ણ થઈ છે, પરંતુ આ સીરિઝ વિવાદ અને ધમાલના કારણે યાદ રાખવામાં આવશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ક્રિકેટનો જબરદસ્ત તડકો જોવા મળ્યો હતો. ઓવલમાં 4 ઓગસ્ટના રોજ સીરિઝ 2-2 સાથે પૂર્ણ થઈ હતી. હેડિંગ્લેના લીડ્સ મેદાન થી લંડનના ઓવલ મેદાન વચ્ચે પણ ક્રિકેટના મેદાનમાં જે જોવા મળ્યું છે.તે કોઈ બોલિવુડ ફિલ્મની સ્ટોરીથી ઓછું નથી.આ સીરિઝ દરમિયાન અનેક વિવાદ સામે આવ્યા હતા. તો ચાલો આજે તમને જણાવીએ આ સીરિઝ સાથે જોડાયેલા કેટલાક વિવાદો જે હંમેશા યાદ રહેશે.

સૌથી પહેલા તો લોર્ડસ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ડ્યુક્સ બોલની ગુણવતા પર સવાલ ઉઠ્યા હતા. ત્યારબાદ આ મામલે ફરિયાદ ભારતીય ટીમના મેનેજમેન્ટટે ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ સાથે કરી હતી. પોતાની ફરિયાદમાં ભારતીય ટીમે આરોપ લગાવ્યો હતો કે, બીજો રિપ્લેસમેન્ટ બોલ જેમમે માત્ર 10 ઓવરમાં જ શેપ ગુમાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટનું કહેવું છે કે, આનાથી ખુબ નુકસાન થયું અને 22 રનથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ લૉર્ડસના ઐતિહાસિક મેદાનમાં રમાઈ હતી. મેચના ત્રીજા દિવસે રમત અનોખા અંદાજમાં થઈ હતી. રમત પૂર્ણ થતાં પહેલા ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ અને અંગ્રેજ ઓપનર જૈક ક્રાઉલીની વચ્ચે ઝગડો જોવા મળ્યો હતો.ક્રોલીએ પોતાની બેટિંગને એવી રીતે સમયસર કરવાનો પ્રયાસ કર્યો કે ત્રીજા દિવસે ઈંગ્લેન્ડ એકથી વધુ ઓવરનો સામનો ન કરે.

ઓવલ ટેસ્ટની શરુઆત 31 જુલાઈથી થઈ હતી.પરંતુ ટેસ્ટ શરુ થતાં પહેલા ઓવલના પિચ ક્યુરેટર લી ફોર્ટિસે કોઈ કારણોવગર ગૌતમ ગંભીર સાથે ઝગડો કર્યો હતો. 29 જુલાઈના ટીમ ઈન્ડિયાનું ટ્રેનિંગ સેશન હતુ. સેશન દરમિયાન ક્યુરેટર લી ફોર્ટિસે ભારતીય કોચિંગ સ્ટાફને કહ્યું કે, તે મેન પિચ એરિયાથી 2.5 મીટર દુર છે. જ્યારે તેમણે માત્ર જૉગર્સ પહેર્યા હતા. આ વાતથી ભારતીય ટીમ મેનેજમેન્ટ નારાજ થયું હતુ. આના પર ગૌતમ ગંભીર કહેતા જોવા મળ્યો હતો કે, તુ એ ન કહી શક કે, અમારે શું કરવાનું છે. તારો કોઈ હક નથી આ વસ્તુ કહેવાનો. તુ એક ગ્રાઉન્ડમેન છો આનાથી વધારે નહી.

ઓવલ ટેસ્ટમાં ફાસ્ટ બોલર આકાશ દીપે બેન ડકેટને પહેલી ઈનિગ્સમાં 43 રનના સામાન્ય સ્કોર પર આઉટ કર્યો હતો.ડકેટ આઉટ થતાં પહેલા શાનદાર લયમાં જોવા મળ્યો હતો. ધ્રુવ જુરેલના હાથે ડકેટ કેચ આઉટ થયા બાદ આકાશ દીપ આક્રમક અંદાજમાં જશ્ન મનાવતા જોવા મળ્યો હતો.તેણે ડકેટની સામે મુઠ્ઠી પકડી અને પછી તેના ખભા પર હાથ રાખીને તેને કંઈક કહ્યું. આનાથી પણ પ્રશ્નો ઉભા થયા. તે જ સમયે, ઓવલમાં કૃષ્ણા અને જો રૂટ વચ્ચે એક ઝગડો થયો હતો.

આમ તો મોહમ્મદ સિરાજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ સેલિબ્રેશન માટે ફેમસ છે. પરંતુ લોર્ડસ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લિશ બેટ્સમેન બેન ડકેટની વિકેટ લીધા બાદ જે રીતે જશ્ન મનાવ્યો હતો. તેના પર આઈસીસીને પણ એક્શન લેવું પડ્યું હતુ. બાદમાં તેની મેચ ફી 15 ટકા કાપવામાં આવી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝ પહેલા પટૌડી ટ્રોફી નામથી જાણીતી હતી પરંતુ આ સીરિઝનું નામ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નામ આપવામાં આવ્યું હતુ.

જેને લઈ ખુબ વિવાદ થયો હતો પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ નિર્ણય પર સુનીલ ગાવસ્કર અને ફારુખ એન્જિન્યર પર સવાલ ઉઠાવ્યા હતા.પટૌડી પરિવારનો ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ સાથે ઉંડો સંબંધ છે.ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર બંનેએ ભારતનું નેતૃત્વ કર્યું હતું અને બંનેએ લાંબા સમય સુધી ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમ્યું હતું. ઇફ્તિખાર ઇંગ્લેન્ડમાં પણ રમ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો
