AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: શું રોહિત-ગંભીર પાકિસ્તાનની ફોર્મ્યુલા અપનાવશે? ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં થશે આ ફેરફાર!

પ્રથમ ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને પુણે ટેસ્ટમાં વાપસી કરવાની જરૂર છે, પરંતુ આ માટે રોહિત-ગંભીરે પ્લેઈંગ ઈલેવનને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. આમાં સૌથી મોટો સવાલ કેએલ રાહુલ કે સરફરાઝ ખાનમાંથી એકની પસંદગીનો છે.

| Updated on: Oct 23, 2024 | 6:38 PM
Share
ગત સપ્તાહ ટેસ્ટ ક્રિકેટ માટે એકદમ ચોંકાવનારું સાબિત થયું. ભારત અને પાકિસ્તાનમાં એક સાથે બે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી અને બંનેના પરિણામો એવા આવ્યા કે જેની અપેક્ષા ન હતી. અપેક્ષાઓથી વિપરીત, પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું અને આખરે સાડા 3 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ મેચ જીતી. જ્યારે બેંગલુરુમાં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને સ્તબ્ધ કરી દીધું અને 36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મેળવી.

ગત સપ્તાહ ટેસ્ટ ક્રિકેટ માટે એકદમ ચોંકાવનારું સાબિત થયું. ભારત અને પાકિસ્તાનમાં એક સાથે બે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી અને બંનેના પરિણામો એવા આવ્યા કે જેની અપેક્ષા ન હતી. અપેક્ષાઓથી વિપરીત, પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું અને આખરે સાડા 3 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ મેચ જીતી. જ્યારે બેંગલુરુમાં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને સ્તબ્ધ કરી દીધું અને 36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મેળવી.

1 / 8
પાકિસ્તાને આ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા હાલમાં 0-1થી પાછળ છે અને હવે તેમણે વાપસી કરવી પડશે. ટીમ ઈન્ડિયા પુણેમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં આવું કરવા ઈચ્છશે, પરંતુ તેમણે પ્લેઈંગ ઈલેવનને લઈને મોટો નિર્ણય લેવાનો છે, જેના પર બધાની નજર છે અને જો ટીમ ઈન્ડિયા આમાં પાકિસ્તાનની ફોર્મ્યુલા અપનાવે તો આશ્ચર્ય પામવાની જરૂર નથી.

પાકિસ્તાને આ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા હાલમાં 0-1થી પાછળ છે અને હવે તેમણે વાપસી કરવી પડશે. ટીમ ઈન્ડિયા પુણેમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં આવું કરવા ઈચ્છશે, પરંતુ તેમણે પ્લેઈંગ ઈલેવનને લઈને મોટો નિર્ણય લેવાનો છે, જેના પર બધાની નજર છે અને જો ટીમ ઈન્ડિયા આમાં પાકિસ્તાનની ફોર્મ્યુલા અપનાવે તો આશ્ચર્ય પામવાની જરૂર નથી.

2 / 8
હવે સવાલ એ છે કે પાકિસ્તાનની આ જીતની ફોર્મ્યુલા શું છે, જેને કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીર પૂણે ટેસ્ટમાં અમલમાં મૂકી શકે છે? હકીકતમાં મુલ્તાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ પાકિસ્તાને તે જ મેદાન અને પિચ પર બીજી ટેસ્ટ પણ રમી હતી. પાકિસ્તાની ટીમ માત્ર 4 મુખ્ય બોલરો સાથે મેદાનમાં ઉતરી, જેમાં માત્ર એક ઝડપી બોલર હતો જ્યારે 3 મુખ્ય સ્પિનરો હતા. તેના સિવાય પાર્ટ ટાઈમ સ્પિનર ​​સલમાન અલી આગા પણ ટીમમાં સામેલ હતો.

હવે સવાલ એ છે કે પાકિસ્તાનની આ જીતની ફોર્મ્યુલા શું છે, જેને કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીર પૂણે ટેસ્ટમાં અમલમાં મૂકી શકે છે? હકીકતમાં મુલ્તાનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા બાદ પાકિસ્તાને તે જ મેદાન અને પિચ પર બીજી ટેસ્ટ પણ રમી હતી. પાકિસ્તાની ટીમ માત્ર 4 મુખ્ય બોલરો સાથે મેદાનમાં ઉતરી, જેમાં માત્ર એક ઝડપી બોલર હતો જ્યારે 3 મુખ્ય સ્પિનરો હતા. તેના સિવાય પાર્ટ ટાઈમ સ્પિનર ​​સલમાન અલી આગા પણ ટીમમાં સામેલ હતો.

3 / 8
હવે બધા જાણે છે કે પાકિસ્તાને પોતાના બે સ્પિનરો નોમાન અલી અને સાજિદ ખાનના બળ પર આ મેચ સરળતાથી જીતી લીધી હતી. બંને સ્પિનરોએ મળીને ઈંગ્લેન્ડની તમામ 20 વિકેટ ઝડપી હતી. ત્રીજા અને પાર્ટ-ટાઈમ સ્પિનરની બહુ જરૂર નહોતી, જ્યારે ફાસ્ટ બોલરનો ભાગ્યે જ ઉપયોગ થયો હતો. ટીમ ઈન્ડિયા પણ આ જ ફોર્મ્યુલા અપનાવી શકે છે. ભારત છેલ્લી ટેસ્ટ બેંગલુરુમાં અને હવે પુણેમાં મેચ રમશે, એવામાં પિચનો સમાન ના હોય, છતાં પ્લેઈંગ ઈલેવનમાં પાકિસ્તાનની પદ્ધતિ અજમાવી શકાય છે.

હવે બધા જાણે છે કે પાકિસ્તાને પોતાના બે સ્પિનરો નોમાન અલી અને સાજિદ ખાનના બળ પર આ મેચ સરળતાથી જીતી લીધી હતી. બંને સ્પિનરોએ મળીને ઈંગ્લેન્ડની તમામ 20 વિકેટ ઝડપી હતી. ત્રીજા અને પાર્ટ-ટાઈમ સ્પિનરની બહુ જરૂર નહોતી, જ્યારે ફાસ્ટ બોલરનો ભાગ્યે જ ઉપયોગ થયો હતો. ટીમ ઈન્ડિયા પણ આ જ ફોર્મ્યુલા અપનાવી શકે છે. ભારત છેલ્લી ટેસ્ટ બેંગલુરુમાં અને હવે પુણેમાં મેચ રમશે, એવામાં પિચનો સમાન ના હોય, છતાં પ્લેઈંગ ઈલેવનમાં પાકિસ્તાનની પદ્ધતિ અજમાવી શકાય છે.

4 / 8
જો અહેવાલોનું માનીએ તો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં જે પિચ પર આ મેચ યોજાશે તે કાળી માટીની છે. જેના પર ધીમા અને નીચા ઉછાળાની અપેક્ષા છે, જે સ્પિનરોને મદદ કરશે. આવી સ્થિતિમાં ઝડપી બોલરોનો વધુ ઉપયોગ નહીં થાય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મોહમ્મદ સિરાજને ડ્રોપ કરી શકે છે, જે કોઈપણ રીતે છેલ્લી મેચમાં વધુ પ્રભાવ પાડી શક્યો નથી. માત્ર જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. પ્રથમ ટેસ્ટની જેમ માત્ર 3 સ્પિનરો જ પસંદ કરી શકાય છે. એટલે કે ટીમ માત્ર 4 મુખ્ય બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે, પરંતુ અહીં પણ ફેરફાર થઈ શકે છે.

જો અહેવાલોનું માનીએ તો પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં જે પિચ પર આ મેચ યોજાશે તે કાળી માટીની છે. જેના પર ધીમા અને નીચા ઉછાળાની અપેક્ષા છે, જે સ્પિનરોને મદદ કરશે. આવી સ્થિતિમાં ઝડપી બોલરોનો વધુ ઉપયોગ નહીં થાય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા મોહમ્મદ સિરાજને ડ્રોપ કરી શકે છે, જે કોઈપણ રીતે છેલ્લી મેચમાં વધુ પ્રભાવ પાડી શક્યો નથી. માત્ર જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. પ્રથમ ટેસ્ટની જેમ માત્ર 3 સ્પિનરો જ પસંદ કરી શકાય છે. એટલે કે ટીમ માત્ર 4 મુખ્ય બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે, પરંતુ અહીં પણ ફેરફાર થઈ શકે છે.

5 / 8
ટીમ ઈન્ડિયા કુલદીપ યાદવની જગ્યાએ અક્ષર પટેલ અથવા વોશિંગ્ટન સુંદરને સામેલ કરી શકે છે. બંને ખેલાડીઓ કુલદીપ કરતા સારા બેટ્સમેન છે. સુંદરને અહીં વધુ ફાયદો થઈ શકે છે કારણ કે શ્રેણીની મધ્યમાં તેને અચાનક ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને કોચ ગૌતમ ગંભીરે પણ કહ્યું છે કે ન્યુઝીલેન્ડની ટીમમાં ડાબા હાથના બેટ્સમેનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઓફ સ્પિનર ​​વધુ અસરદાર સાબિત થઈ શકે છે.

ટીમ ઈન્ડિયા કુલદીપ યાદવની જગ્યાએ અક્ષર પટેલ અથવા વોશિંગ્ટન સુંદરને સામેલ કરી શકે છે. બંને ખેલાડીઓ કુલદીપ કરતા સારા બેટ્સમેન છે. સુંદરને અહીં વધુ ફાયદો થઈ શકે છે કારણ કે શ્રેણીની મધ્યમાં તેને અચાનક ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને કોચ ગૌતમ ગંભીરે પણ કહ્યું છે કે ન્યુઝીલેન્ડની ટીમમાં ડાબા હાથના બેટ્સમેનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઓફ સ્પિનર ​​વધુ અસરદાર સાબિત થઈ શકે છે.

6 / 8
આ ફોર્મ્યુલા ટીમ ઈન્ડિયાની મોટી મૂંઝવણ પણ ઉકેલી શકે છે. આ મૂંઝવણ સરફરાઝ ખાન કે કેએલ રાહુલમાંથી એકની પસંદગી કરવાની છે. વાસ્તવમાં, પ્રથમ ટેસ્ટમાં સરફરાઝ ખાને સદી ફટકારી હતી, જ્યારે કેએલ રાહુલ નિષ્ફળ ગયો હતો. પરંતુ સરફરાઝને ટીમમાં સ્થાન મળ્યું કારણ કે શુભમન ગિલ ઈજાના કારણે ટેસ્ટ રમી શક્યો ન હતો. ગિલ હવે ફિટ છે અને બીજી ટેસ્ટમાં વાપસી કરશે, જ્યારે રાહુલને કોચ ગંભીરનું સંપૂર્ણ સમર્થન છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો હતો કે શું સરફરાઝ સદી હોવા છતાં બહાર થશે? જો તમે માત્ર 4 બોલરો સાથે જશો અને ત્રણેય બેટ્સમેન એક જ પ્લેઈંગ-11માં સામેલ થઈ જશે તો આવું કંઈ કરવાની જરૂર રહેશે નહીં.

આ ફોર્મ્યુલા ટીમ ઈન્ડિયાની મોટી મૂંઝવણ પણ ઉકેલી શકે છે. આ મૂંઝવણ સરફરાઝ ખાન કે કેએલ રાહુલમાંથી એકની પસંદગી કરવાની છે. વાસ્તવમાં, પ્રથમ ટેસ્ટમાં સરફરાઝ ખાને સદી ફટકારી હતી, જ્યારે કેએલ રાહુલ નિષ્ફળ ગયો હતો. પરંતુ સરફરાઝને ટીમમાં સ્થાન મળ્યું કારણ કે શુભમન ગિલ ઈજાના કારણે ટેસ્ટ રમી શક્યો ન હતો. ગિલ હવે ફિટ છે અને બીજી ટેસ્ટમાં વાપસી કરશે, જ્યારે રાહુલને કોચ ગંભીરનું સંપૂર્ણ સમર્થન છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો હતો કે શું સરફરાઝ સદી હોવા છતાં બહાર થશે? જો તમે માત્ર 4 બોલરો સાથે જશો અને ત્રણેય બેટ્સમેન એક જ પ્લેઈંગ-11માં સામેલ થઈ જશે તો આવું કંઈ કરવાની જરૂર રહેશે નહીં.

7 / 8
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11 : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ. (All Photo Credit : PTI / Getty Images)

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11 : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ. (All Photo Credit : PTI / Getty Images)

8 / 8
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">