IND vs NZ : રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સતત ખરાબ ફોર્મ, ભારતીય ટીમની વધી મુશ્કેલી

રોહિત શર્મા અને વિરાટ કોહલી. ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર. એક છે ભારતીય ક્રિકેટનું દિલ, તો બીજો છે ધડકન. પરંતુ, સમસ્યા એ છે કે દિલ અને ધડકન બંને સારી રીતે કામ કરી રહ્યા નથી. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ઘરઆંગણે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ હારવાની કગાર પર છે. પરંતુ, ખતરો માત્ર ન્યુઝીલેન્ડ સામે સિરીઝ હારવાનો જ નથી, પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવાનો પણ છે. તેથી, હવે રોહિત અને વિરાટ બંને માટે કોઈ પણ ભોગે મોટી ઈનિંગ રમી ફોર્મમાં આવવાનો સમય આવી ગયો છે.

| Updated on: Oct 25, 2024 | 3:54 PM
ભલે ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઘરઆંગણે બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ જીતી લીધી હોય, પરંતુ તે જીતના કવર હેઠળ લાલ બોલની ક્રિકેટમાં રોહિત અને વિરાટના ચાલી રહેલા સંઘર્ષને અવગણી શકાય નહીં. ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષ દરમિયાન તેમનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

ભલે ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઘરઆંગણે બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝ જીતી લીધી હોય, પરંતુ તે જીતના કવર હેઠળ લાલ બોલની ક્રિકેટમાં રોહિત અને વિરાટના ચાલી રહેલા સંઘર્ષને અવગણી શકાય નહીં. ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષ દરમિયાન તેમનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

1 / 5
રોહિત અને વિરાટ બંને ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ છે અને જો તેઓ નબળા થઈ જશે તો ટીમ ઈન્ડિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો ભારતીય ટીમ કોઈક રીતે ઘરઆંગણે જીતી જાય તો પણ ઓસ્ટ્રેલિયામાં જીતનો તાજ બચાવવો ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે.

રોહિત અને વિરાટ બંને ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ છે અને જો તેઓ નબળા થઈ જશે તો ટીમ ઈન્ડિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો ભારતીય ટીમ કોઈક રીતે ઘરઆંગણે જીતી જાય તો પણ ઓસ્ટ્રેલિયામાં જીતનો તાજ બચાવવો ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે.

2 / 5
જો કેપ્ટન રોહિત શર્માના આંકડા પર નજર કરીએ તો તેણે આ વર્ષે અત્યાર સુધી રમાયેલી 18 ટેસ્ટ ઈનિંગ્સમાં 32.41ની એવરેજથી 551 રન બનાવ્યા છે. તેણે 18 ઈનિંગ્સમાં 6 વખત સિંગલ ડિજિટનો સ્કોર બનાવ્યો છે. તેણે 2 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે.

જો કેપ્ટન રોહિત શર્માના આંકડા પર નજર કરીએ તો તેણે આ વર્ષે અત્યાર સુધી રમાયેલી 18 ટેસ્ટ ઈનિંગ્સમાં 32.41ની એવરેજથી 551 રન બનાવ્યા છે. તેણે 18 ઈનિંગ્સમાં 6 વખત સિંગલ ડિજિટનો સ્કોર બનાવ્યો છે. તેણે 2 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે.

3 / 5
વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે વર્ષ 2024માં રમાયેલી 9 ટેસ્ટ ઈનિંગ્સમાં 28.5ની એવરેજથી 228 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ સમયગાળા દરમિયાન એક પણ સદી ફટકારી નથી. ફરી એકવાર સદીની તેની રાહ લાંબા સમય સુધી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેણે આ વર્ષે ટેસ્ટમાં માત્ર 50 પ્લસ સ્કોર કર્યા છે. આ વર્ષે રમાયેલી ટેસ્ટની 9 ઈનિંગ્સમાં વિરાટ 3 વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે.

વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે વર્ષ 2024માં રમાયેલી 9 ટેસ્ટ ઈનિંગ્સમાં 28.5ની એવરેજથી 228 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ સમયગાળા દરમિયાન એક પણ સદી ફટકારી નથી. ફરી એકવાર સદીની તેની રાહ લાંબા સમય સુધી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેણે આ વર્ષે ટેસ્ટમાં માત્ર 50 પ્લસ સ્કોર કર્યા છે. આ વર્ષે રમાયેલી ટેસ્ટની 9 ઈનિંગ્સમાં વિરાટ 3 વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે.

4 / 5
આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે રોહિત અને વિરાટ બંને કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે. વિરાટની હાલત રોહિત કરતા થોડી ખરાબ છે. આ બંનેનું એકસાથે ખરાબ પ્રદર્શન ચોક્કસપણે ન્યુઝીલેન્ડ સામે ભારતની હારનું કારણ બની રહ્યું છે. તેમજ તેમને આ રીતે રમતા જોઈને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને ડરી વધી રહ્યો છે. વાસ્તવમાં, 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત અને વિરાટની ભૂમિકા ખૂબ જ મહત્વની બનવાની છે. (All photo Credit : PTI / GETTY )

આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે રોહિત અને વિરાટ બંને કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે. વિરાટની હાલત રોહિત કરતા થોડી ખરાબ છે. આ બંનેનું એકસાથે ખરાબ પ્રદર્શન ચોક્કસપણે ન્યુઝીલેન્ડ સામે ભારતની હારનું કારણ બની રહ્યું છે. તેમજ તેમને આ રીતે રમતા જોઈને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને ડરી વધી રહ્યો છે. વાસ્તવમાં, 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત અને વિરાટની ભૂમિકા ખૂબ જ મહત્વની બનવાની છે. (All photo Credit : PTI / GETTY )

5 / 5
Follow Us:
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
g clip-path="url(#clip0_868_265)">