Breaking News: નવા માલિક બાદ નવું નામ… IPL 2026 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નામ અને લોગો પણ બદલાશે?
IPL ટીમ RCBના વેચાણ બાદ તેના નામમાં ફેરફાર થશે કે નહીં તે અંગે ચર્ચા તેજ બની હતી. હવે આ પ્રશ્નનો અંત આવ્યો છે. આદિત્ય બિરલા ગ્રુપ સાથે જોડાયેલી અનન્યા બિરલાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તાજેતરમાં અંદાજે રૂ.16,700 કરોડમાં વેચાઈ ગઈ છે. આ મોટો સોદો આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવ્યો છે.

ટીમના નામમાં ફેરફાર અંગે ઉઠેલા સવાલો વચ્ચે અનન્યા બિરલાએ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ફરીથી શેર કરી, જેમાં સ્પષ્ટ લખાયું હતું કે RCBનું નામ બદલાશે નહીં અને તે તેના મૂળ નામ સાથે જ આગળ વધશે.

આર્યમાન વિક્રમ બિરલાને ટીમના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. સાથે જ સત્યન ગજવાની વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે, જે ટીમના મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ કન્સોર્ટિયમમાં અન્ય મહત્વપૂર્ણ નામોમાં ડેવિડ બ્લિટ્ઝર અને વિરલ પટેલનો પણ સમાવેશ થાય છે. આ ભાગીદારી ટીમને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

RCBનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ રહ્યો છે. ટીમને સૌપ્રથમ વિજય માલ્યાએ ખરીદી હતી. તે સમયે યુવાન વિરાટ કોહલીને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, જે આજે પણ ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી અને પોસ્ટર બોય છે.

પછીથી, ડિયાજિયો PLCએ યુનાઇટેડ સ્પિરિટ્સનો કંટ્રોલ મેળવતા RCBની માલિકી પણ પોતાના હાથમાં લીધી હતી. હવે નવા માલિકો સાથે ટીમ નવા અધ્યાયમાં પ્રવેશી રહી છે, પરંતુ તેનું નામ અને ઓળખ એ જ રહેશે. (PC:PTI/X)
Breaking News: હર્ષિત રાણાની જગ્યાએ આ ભારતીય ખેલાડીનો KKRમાં સમાવેશ, જાણો કેટલો મળશે પગાર
