Breaking News: ઈંગ્લેન્ડ પહોંચતા જ ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ODI શ્રેણીમાંથી થયો બહાર?
આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરીઝમાં 2-0 થી મળેલી કારમી હાર બાદ હવે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 શ્રેણી પછી ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જોકે ઈંગ્લેન્ડ પહોંચતા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર આ શ્રેણીમાં નહીં રમે.

આયર્લેન્ડ સામે T20 શ્રેણી હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે, જ્યાં 1 જુલાઈથી પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ODI શ્રેણી પણ રમશે. જોકે સિરીઝ શરુ થાય એ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ODI શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે. 14 જુલાઈથી શરૂ થનારી ODI શ્રેણી માટે આ ખેલાડી ફિટ થવાની શક્યતા ઓછી છે.

અહેવાલો અનુસાર, નીતિશ કુમાર રેડ્ડી હજુ પણ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે, જ્યાં તેમનું રિહેબિટેશન હજુ શરૂ થયું નથી. ખેલાડીને પગમાં ઈજા થઈ હતી જેના કારણે તે ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

નીતિશ કુમાર રેડ્ડી હવે ઝિમ્બાબ્વે શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની T20 શ્રેણી માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે.

પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણીમાં નીતિશ રેડ્ડીની જગ્યાએ કોને તક આપશે? હાર્દિક પંડ્યા પણ આ શ્રેણીમાં નહીં રમે, તેથી સૂર્યાંશ શેડગેને વનડેમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. (PC-PTI)
ENG vs NZ: ગર્લફ્રેન્ડની ટીમને ઈંગ્લેન્ડે વર્લ્ડ કપમાંથી કરી બહાર, હવે ન્યૂઝીલેન્ડના બોલરે લીધો બદલો
