IND vs ENG: શ્રેયસ અય્યરના નામે શરમજનક રેકોર્ડ, સતત પાંચ ટી20 મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો
Shreyas Iyer, India vs England : શ્રેયસ અય્યર કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનો ડાઉનફોલ સતત ચાલુ છે. હવે તો ભારતીય ક્રિકેટમાં એવું થયું જે છેલ્લા 7 વર્ષથી થયું ન હતુ.

Team India Under Shreyas Iyer : જાણે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન મેચ જીતવાનું ભુલી ગયો છે. આવું શ્રેયસ અય્યરને લાગે છે. ત્યારે તો ટીમ ઈન્ડિયા ખરાબ રીતે એકબાદ એક મેચ હારી રહી છે. હવે તો એવું થયું છે જે છેલ્લા 7 વર્ષમાં થયું ન હતુ. આવું બ્રિસ્ટલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મળેલી હાર બાદ થયું છે.

ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી ચોથી 20 મેચ હારી છે. આ સાથે સીરિઝ પણ ગુમાવી છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં આવું બીજી વખત થયું છે. જ્યારે ટીમ ઈન્ડિયા સતત 2 ટી20 સીરિઝ હારી છે. ઈંગ્લેન્ડ સામે પહેલા ટીમ ઈન્ડિયા શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી પહેલી ટી20 સીરિઝમાંથી હારી ચૂકી છે.

ટીમ ઈન્ડિયાની સાથે છેલ્લી વખત આવું વર્ષ 2019માં થયું હતુ. ત્યારબાદ બેક ટુ બેક ટી20 સીરિઝ હારી હતી. ત્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પહેલા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઘર આંગણે રમાયેલી ટી20 સીરિઝ ગુમાવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ટીમની હાર થઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં 7 વર્ષ આ જૂના રેકોર્ડની બરાબરી થઈ છે.

આમ તો શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં બીજું પણ ઘણું બધુ થયું છે. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 12 વર્ષ પછી કોઈ ટી20 સીરિઝ ગુમાવી છે. આ રેકોર્ડ તુટ્યો છે. આ સિવાય શ્રેયસ અય્યર હવે સતત 5 ટી20 મેચમાં હારનારો પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે.

આ પહેલા આ રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો. જેમણે 2009 અને 2014-15માં સતત 4 ટી20 મેચ હારી હતી.

શ્રેયસ અય્યરે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી, તેમનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે, શ્રેયસ અય્યર સતત પાંચ ટી20I મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ બન્યા. (ALL Photo: PTI)
ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
