કાનુની સવાલ: શું પોલીસ તમારો કોલ રેકોર્ડ કરી શકે? જાણો કાયદા અને તમારા હકો
ભારતમાં પોલીસ અથવા તપાસ એજન્સીઓ કોઈ વ્યક્તિના ફોન કોલ રેકોર્ડ કરવા માટે સીધી રીતે મનમાની કાર્યવાહી કરી શકતી નથી. તેના માટે ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવી પડે છે. ફોન ટૅપિંગ અથવા કોલ રેકોર્ડિંગ માટે સત્તાવાર મંજૂરી જરૂરી હોય છે, જે સામાન્ય રીતે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

ભારતમાં પોલીસ અથવા તપાસ એજન્સીઓ કોઈ વ્યક્તિના ફોન કોલ રેકોર્ડ કરવા માટે સીધી રીતે મનમાની કાર્યવાહી કરી શકતી નથી. તેના માટે ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવી પડે છે. ફોન ટૅપિંગ અથવા કોલ રેકોર્ડિંગ માટે સત્તાવાર મંજૂરી જરૂરી હોય છે, જે સામાન્ય રીતે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

ભારતમાં ટેલિફોન ઇન્ટરસેપ્શન (Phone Tapping) માટેનો કાયદો મુખ્યત્વે ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ આવે છે. આ કાયદા મુજબ માત્ર જાહેર સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અથવા ગુનાખોરી રોકવા માટે જ ફોન ટૅપિંગ કરી શકાય છે. એટલે કે કોઈ વ્યક્તિ પર ગંભીર શંકા હોય અથવા રાષ્ટ્રીય હિતને જોખમ હોય ત્યારે જ આ પ્રકારની કાર્યવાહી થાય છે.

સુપ્રીમ કોર્ટે પણ પ્રાઈવસીના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિની પરવાનગી વગર તેના ફોન કોલ્સ રેકોર્ડ કરવું સામાન્ય પરિસ્થિતિમાં ગેરકાયદેસર છે. પોલીસ અથવા એજન્સીઓએ યોગ્ય કારણ અને મંજૂરી વગર એવું કરે તો તે કાયદાનો ભંગ ગણાય છે.

એક મહત્વની વાત એ પણ છે કે ફોન ટૅપિંગ માટેની મંજૂરી સમયબદ્ધ હોય છે. સામાન્ય રીતે 60 દિવસ માટે પરવાનગી આપવામાં આવે છે અને તે વધારવા માટે ફરીથી સમીક્ષા કરવી પડે છે. આથી સિસ્ટમમાં દુરુપયોગને રોકવા માટે નિયંત્રણ રાખવામાં આવ્યું છે.

આમ, સામાન્ય નાગરિકને ડરવાની જરૂર નથી. જો તમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી તો તમારા કોલ્સને રેકોર્ડ કરવાની શક્યતા ખૂબ ઓછી છે.

ડિજિટલ યુગમાં સાવચેત રહેવું અને પોતાના હકો વિશે માહિતગાર રહેવું જરૂરી છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
