AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૃત્યુ પામેલા સ્વજનના સપના આવવા શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?

શું તમને પણ તમારા દિવંગત સ્વજન કે નજીકના મિત્ર સ્વપ્નમાં દેખાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર મૃત્યુ પામેલા સ્વજન જો ઉદાસ, સ્વસ્થ, બીમાર કે મૌન દેખાય એ માત્ર એક સંયોગ નથી. તેની પાછળ એક ખાસ અને મોટો સંકેત રહેલો હોય છે. શું હોય છે આ સંકેત આવો જાણીએ.

મૃત્યુ પામેલા સ્વજનના સપના આવવા શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
| Updated on: Aug 03, 2026 | 1:38 PM
Share

જો તમે પણ તમારા નજીકના કોઈ સ્વજન, પ્રિયજન કે મિત્રને ગુમાવ્યા હોય અને તે દિવંગત સ્વજનોના તમને સપના આવતા હોય તો એ કોઈ સામાન્ય બાબત નથી. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમને એ સપનામાં કેમ દેખાઈ રહ્યા છે. અથવા તો એમના સ્વપ્ન શા માટે આવી રહ્યા છે?

હિન્દુ શાસ્ત્રોમાં દરેક સ્વપ્નનો એક ચોક્કસ અર્થ જણાવવામાં આવ્યો છે. ત્યાં સુધી કે સ્વપ્ન પર આધારીત એક આખુ શાસ્ત્ર વિદ્રાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેને સ્વપ્ન શાસ્ત્ર (સ્વપ્નનું વિજ્ઞાન) કહેવામાં આવે છે. આ શાસ્ત્રની અંદર સપનુ આવવા પાછળનો સંકેત અને તેનો હેતુ તેમજ અર્થ વિસ્તારથી જાણવા મળે છે.

મૃત વ્યક્તિને સપનામાં સ્વસ્થ જોવી

જો બીમારીને કારણે મૃત્યુ પામેલી કોઈ વ્યક્તિ તમારા સ્વપ્નમાં સ્વસ્થ દેખાય, તો તે સૂચવે છે કે તેનો પુનર્જન્મ કોઈ અનુકૂળ જગ્યાએ થયો છે. આને આશ્વાસન આપનાર સ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે; તમારે તમારી ચિંતાઓને બાજુ પર રાખીને આગળ વધવું જોઈએ.

અકાળે મૃત્યુ પામેલી વ્યક્તિને બીમાર જોવી

જો કોઈ સ્વસ્થ વ્યક્તિનું અચાનક મૃત્યુ થયુ હોય અને તેસપનામાં બીમાર દેખાય, તો તેનો અર્થ એ છે કે તેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. જો તમને મૃતાત્માની એ ઈચ્છા વિશે ખ્યાલ હોય કે તે ઇચ્છા શું હોઈ શકે છે, તો તમારે ચોક્કસપણે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આમ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

જીવિત વ્યક્તિને મૃત જોવી

જો તમે સ્વપ્નમાં કોઈ જીવંત વ્યક્તિને મૃત જોશો, તો ગભરાવાની જરૂર નથી. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, તેનો અર્થ ઉલટો થાય છે. તે દર્શાવે છે કે વ્યક્તિનું આયુષ્ય ખરેખર વધી રહ્યું છે.

મૃત વ્યક્તિનું સપનું આવે પરંતુ તે કંઈ બોલે નહીં

જો મૃતક સંબંધીઓ સ્વપ્નમાં દેખાય છે પણ મૌન રહે છે, તો તે એક સંકેત છે કે તેઓ તમને કોઈક વાત બાબતે સાવચેત કરવા માગે છે. શક્ય છે કે તમે કોઈ ખોટું પગલું ભરવા જઈ રહ્યા હોય. એવા સમયે આ પ્રકારનું સપનુ તમને એ કરતા અટકાવવાનો સંકેત હોઈ શકે.

આશીર્વાદ આપવા અથવા ઉદાસ દેખાવા

જો મૃતક સંબંધીઓ સ્વપ્નમાં આશીર્વાદ આપે છે, તો તે સફળતાની નિશાની છે. જો કે, જો તેઓ ઉદાસ કે ગુસ્સે દેખાય છે, તો સમજો કે તમે જે નિર્ણય લીધો છે અથવા લેવાના છો – તે ખોટો હોઈ શકે છે.

સ્વપ્નમાં વસ્તુઓ માંગવી

જો તમને લાગે કે મૃતક સંબંધીઓ ભૂખ્યા છે અથવા તેમની પાસે ચંપલ નથી તો તેનો અર્થ એ છે કે તેઓ તમારી પાસેથી કંઈક માંગી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમની ગર્ભિત ઇચ્છા અનુસાર જરૂરી વસ્તુનું દાન કરો અને મનોમન તેમને સમર્પિક કરો.

મૃતક વ્યક્તિનું ઘરની આસપાસ દેખાવુ

જો તેઓ તમારા ઘરની અંદર અથવા નજીક દેખાય છે, તો તે સૂચવે છે કે તેઓ પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આ કિસ્સામાં, અમાસના દિવસે તમારા પૂર્વજોના નામે દાન કરો અને ગાયને રોટલી ખવડાવો.

અંતિમ સંસ્કાર જોવો

સ્વપ્નમાં અંતિમ સંસ્કાર જોવા અશુભ માનવામાં આવતું નથી. આ સૂચવે છે કે તમારી ઇચ્છાઓ પૂર્ણ થવાની છે.

મૃતકને ગુસ્સે કે રડતા જોવા

જો મૃતક ગુસ્સે દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારી પાસેથી કંઈક ઇચ્છે છે. ભલે તેઓ રડતા દેખાય, તે એક શુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે તે તમારા જીવનમાં આવનારા સારા સમય તરફ નિર્દેશ કરે છે.

રીલ્સથી લઈને જંતરમંતર સુધી, Gen-Zએ બદલ્યું વિરોધનું વ્યાકરણ, હવે સરકાર પણ બોલી રહી છે તેમની ભાષા!

Follow Us
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
g clip-path="url(#clip0_868_265)">