TMKOC: ‘દયાબેન’ બાદ હવે ‘જેઠાલાલે’ પણ છોડ્યો તારક મહેતા શો? અભિનેતાએ કર્યો ખુલાસો
ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી શો છોડી રહ્યા છે. હવે અભિનેતાએ પોતે નિર્માતા અસિત મોદી સમક્ષ સત્ય કહી દીધું છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટેલિવિઝન શો રહ્યો છે. જેઠાલાલ અને બબીતાજી દર્શકોના પ્રિય પાત્રો છે, જેમના વિશે કોઈને કોઈ સમાચાર આવતા રહે છે.

ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી શો છોડી રહ્યા છે. હવે અભિનેતાએ પોતે નિર્માતા અસિત મોદી સમક્ષ સત્ય કહી દીધું છે.

અભિનેતાને પૂછવામાં આવ્યું કે તમારા વિશે એક હેડલાઇન હતી કે તમે શો છોડી દીધો છે? ટેલિ ચક્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તમને શું લાગે છે?

'એપિસોડ પણ હવે પ્રસારિત થઈ ગયા છે. આ દરમિયાન જેઠાલાલ કહે છે કે મને ખબર નથી કે સોશિયલ મીડિયા પર કોણ અફવાઓ ફેલાવી રહ્યું છે. આમાં હું શું કહી શકું.'

'આ પહેલી વાર નથી. જ્યારે આવી અફવા સામે આવી છે. આ પહેલા પણ જ્યારે હું ભારતની બહાર ગયો હતો ત્યારે પણ આ જ વાત કહેવામાં આવી હતી. જ્યારે પણ હું કોઈ એપિસોડમાં જોવા મળતો નથી, ત્યારે એ જ વાત કહેવામાં આવે છે.'

'મને ખબર નથી કે એવા કયા લોકો છે જેમને આ બધું કરવામાં મજા આવે છે. જ્યાં સુધી તારક મહેતા છે, ત્યાં સુધી હું તેમાં કામ કરતો રહીશ.' આસિત મોદીએ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લો હવે તો બિજું શું કહી શકે છે. આટલું કહીને તે દિલીપ જોશી સાથે આગળ વધે છે.
TMKOC: ગોકુલધામ સોસાયટીમાં કેટલા રૂમ છે? ક્યાં શૂટ થયા છે સીન્સ? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
