AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આ મંદિરના જુના મકાનમાંથી મળ્યા 40થી વધુ વાઘના ચામડા અને 133 નખ, જુઓ Video

રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી 37 વાઘના ચામડાં અને 133 નખ મળતાં ચકચાર મચી છે. IB અને વનવિભાગે સઘન તપાસ શરૂ કરી છે. મહારાજ માધવાનંદ સ્વામીના અમેરિકા કનેક્શનની શંકા છે.

ગુજરાતમાં આ મંદિરના જુના મકાનમાંથી મળ્યા 40થી વધુ વાઘના ચામડા અને 133 નખ, જુઓ Video
| Updated on: Jan 09, 2026 | 10:58 PM
Share

રાજપીપળા શહેર નજીક આવેલા ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી વાઘના નખ અને ચામડા મળવાના મામલાએ ભારે ચકચાર મચાવી છે. આ ગંભીર પ્રકરણમાં આજે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને વનવિભાગ દ્વારા સંયુક્ત રીતે ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સામે આવતા જ કાયદા અમલકારી એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે અને સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.

તપાસ દરમિયાન મહારાજ માધવાનંદ સ્વામીનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. પાસપોર્ટના વિગતો મુજબ તેઓ 12-02-1977ના રોજ અમેરિકા (USA) ગયા હોવાનું સામે આવ્યું છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે તેઓ કોની સાથે સંપર્કમાં હતા અને આ સંપર્કોનો કોઈ સંબંધ વન્યજીવ તસ્કરી સાથે છે કે કેમ.

કોઈ નેટવર્ક કાર્યરત નથી ને..

પ્રાથમિક માહિતી અનુસાર મહારાજ માધવાનંદ સ્વામી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. આથી વનવિભાગે મધ્યપ્રદેશ સુધી તપાસનો વ્યાપ વિસ્તરાવ્યો છે અને મળેલા વાઘના ચામડાં તથા નખોના સ્ત્રોત વિશે માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. અન્ય રાજ્યો સાથે સંકળાયેલ કોઈ નેટવર્ક કાર્યરત છે કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.

આ ઘટના ગુજરાતમાં પ્રથમવાર એટલી મોટી માત્રામાં વાઘના ચામડાં અને નખ મળ્યાનો કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે. તપાસ દરમિયાન કુલ 37 આખા વાઘના ચામડાં, 4 ચામડાના ટુકડા અને અંદાજે 133 જેટલા વાઘના નખ મળ્યા હોવાનું અધિકૃત રીતે જાણવા મળ્યું છે. વન્યજીવ સંરક્ષણ કાયદા મુજબ આ અત્યંત ગંભીર ગુનો ગણાય છે.

IB અને વનવિભાગ દ્વારા વિસ્તૃત તપાસ

મંદિરના ટ્રસ્ટી દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમે મંદિર ખાતે પહોંચી સ્થળ તપાસ કરી અને તમામ સામગ્રી જપ્ત કરી છે. હાલ સમગ્ર મામલે IB અને વનવિભાગ દ્વારા વિસ્તૃત તપાસ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

સુરતના ડાયમંડ કિંગ, 180 રૂપિયા હતો પગાર, આજે કરોડોનો છે કારોબાર

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">