AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજ ₹500 કે મહિને ₹15,000 ? કઈ રીતે રોકાણ કરવાથી મળશે કરોડોનું રિટર્ન ? ગણતરી જોઈને તમે પણ ચોંકી જશો

રોકાણની દુનિયામાં અત્યારે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ખૂબ જ લોકપ્રિય બન્યો છે. એવામાં ઘણા રોકાણકારોના મનમાં મૂંઝવણ હોય છે કે, દર મહિને એકસાથે 15,000 રૂપિયા રોકવા જોઈએ કે દરરોજ 500 રૂપિયાનું નાનું રોકાણ કરવું જોઈએ?

| Updated on: May 12, 2026 | 7:39 PM
Share
આજના સમયમાં રોકાણકારો વચ્ચે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે, SIP રોકાણને સરળ અને લાંબાગાળા માટે વ્યવસ્થિત બનાવે છે. બજારની રોજિંદી વધ-ઘટની ચિંતા કર્યા વગર રોકાણકારો એક નિશ્ચિત રકમ નિયમિત અંતરાલે રોકાણ કરી શકે છે. સામાન્ય રીતે લોકો મંથલી SIP કરતા હોય છે પરંતુ ડેઈલી SIP નો વિકલ્પ પણ ઝડપથી ચર્ચામાં આવ્યો છે. એવામાં મોટો પ્રશ્ન એ છે કે, શું રોજ થોડું-થોડું રોકાણ કરવું એ દર મહિને એકસાથે રોકાણ કરવા કરતાં વધુ સારું સાબિત થઈ શકે?

આજના સમયમાં રોકાણકારો વચ્ચે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે, SIP રોકાણને સરળ અને લાંબાગાળા માટે વ્યવસ્થિત બનાવે છે. બજારની રોજિંદી વધ-ઘટની ચિંતા કર્યા વગર રોકાણકારો એક નિશ્ચિત રકમ નિયમિત અંતરાલે રોકાણ કરી શકે છે. સામાન્ય રીતે લોકો મંથલી SIP કરતા હોય છે પરંતુ ડેઈલી SIP નો વિકલ્પ પણ ઝડપથી ચર્ચામાં આવ્યો છે. એવામાં મોટો પ્રશ્ન એ છે કે, શું રોજ થોડું-થોડું રોકાણ કરવું એ દર મહિને એકસાથે રોકાણ કરવા કરતાં વધુ સારું સાબિત થઈ શકે?

1 / 7
ડેઈલી SIP માં રોકાણકાર દરેક કામકાજના દિવસે મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમ રોકાણ કરે છે. ટૂંકમાં,  શનિવાર-રવિવાર અને બજારની રજાઓ સિવાયના દિવસોમાં રોકાણ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર દરરોજ 500 રૂપિયાનું રોકાણ કરે છે, તો મહિનામાં અંદાજે 20 થી 22 વખત તેના ખાતામાંથી રકમ કપાય છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ માનવામાં આવે છે કે, રોકાણ બજારના અલગ-અલગ સ્તરો પર થતું રહે છે, જેનાથી 'કોસ્ટ એવરેજિંગ'નો લાભ મળી શકે છે.

ડેઈલી SIP માં રોકાણકાર દરેક કામકાજના દિવસે મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમ રોકાણ કરે છે. ટૂંકમાં, શનિવાર-રવિવાર અને બજારની રજાઓ સિવાયના દિવસોમાં રોકાણ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર દરરોજ 500 રૂપિયાનું રોકાણ કરે છે, તો મહિનામાં અંદાજે 20 થી 22 વખત તેના ખાતામાંથી રકમ કપાય છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ માનવામાં આવે છે કે, રોકાણ બજારના અલગ-અલગ સ્તરો પર થતું રહે છે, જેનાથી 'કોસ્ટ એવરેજિંગ'નો લાભ મળી શકે છે.

2 / 7
મંથલી SIP રોકાણની સૌથી પરંપરાગત અને લોકપ્રિય રીત છે. આમાં રોકાણકાર દર મહિને એક નક્કી કરેલી તારીખે નિશ્ચિત રકમ રોકાણ કરે છે. ઉદાહરણ તરીકે, દર મહિનાની 2 કે 10 તારીખે રોકાણ આપોઆપ મ્યુચ્યુઅલ ફંડમાં જતું રહે છે. મોટાભાગના પગારદાર રોકાણકારો આ જ વિકલ્પ પસંદ કરે છે, કારણ કે તે તેમના માસિક બજેટ સાથે સરળતાથી સેટ થઈ જાય છે.

મંથલી SIP રોકાણની સૌથી પરંપરાગત અને લોકપ્રિય રીત છે. આમાં રોકાણકાર દર મહિને એક નક્કી કરેલી તારીખે નિશ્ચિત રકમ રોકાણ કરે છે. ઉદાહરણ તરીકે, દર મહિનાની 2 કે 10 તારીખે રોકાણ આપોઆપ મ્યુચ્યુઅલ ફંડમાં જતું રહે છે. મોટાભાગના પગારદાર રોકાણકારો આ જ વિકલ્પ પસંદ કરે છે, કારણ કે તે તેમના માસિક બજેટ સાથે સરળતાથી સેટ થઈ જાય છે.

3 / 7
જો કોઈ રોકાણકાર દરરોજ 500 રૂપિયાની SIP કરે છે અને તેને વાર્ષિક 12 ટકા સરેરાશ વળતર મળે છે, તો 20 વર્ષમાં તેનું કુલ રોકાણ લગભગ 36.50 લાખ રૂપિયા થશે. આ રોકાણ પર અંદાજિત વળતર અંદાજે 1.15 કરોડ રૂપિયા હોઈ શકે છે. સરળ રીતે સમજીએ તો,  મેચ્યોરિટી પર કુલ ફંડ અંદાજે 1.52 કરોડ રૂપિયાથી વધુ સુધી પહોંચી શકે છે.

જો કોઈ રોકાણકાર દરરોજ 500 રૂપિયાની SIP કરે છે અને તેને વાર્ષિક 12 ટકા સરેરાશ વળતર મળે છે, તો 20 વર્ષમાં તેનું કુલ રોકાણ લગભગ 36.50 લાખ રૂપિયા થશે. આ રોકાણ પર અંદાજિત વળતર અંદાજે 1.15 કરોડ રૂપિયા હોઈ શકે છે. સરળ રીતે સમજીએ તો, મેચ્યોરિટી પર કુલ ફંડ અંદાજે 1.52 કરોડ રૂપિયાથી વધુ સુધી પહોંચી શકે છે.

4 / 7
બીજી તરફ, જો કોઈ રોકાણકાર દર મહિને SIP દ્વારા 15,000 રૂપિયાનું રોકાણ કરે છે અને તેને પણ 12 ટકા સરેરાશ વાર્ષિક વળતર મળે છે, તો 20 વર્ષમાં તેનું કુલ રોકાણ 36 લાખ રૂપિયા થશે. આના પર અંદાજિત વળતર અંદાજે 1,01,97,860 રૂપિયા હોઈ શકે છે. ટૂંકમાં, 20 વર્ષ પછી કુલ રકમ અંદાજે 1,37,97,860 રૂપિયા સુધી પહોંચી શકે છે.

બીજી તરફ, જો કોઈ રોકાણકાર દર મહિને SIP દ્વારા 15,000 રૂપિયાનું રોકાણ કરે છે અને તેને પણ 12 ટકા સરેરાશ વાર્ષિક વળતર મળે છે, તો 20 વર્ષમાં તેનું કુલ રોકાણ 36 લાખ રૂપિયા થશે. આના પર અંદાજિત વળતર અંદાજે 1,01,97,860 રૂપિયા હોઈ શકે છે. ટૂંકમાં, 20 વર્ષ પછી કુલ રકમ અંદાજે 1,37,97,860 રૂપિયા સુધી પહોંચી શકે છે.

5 / 7
આ બંને આંકડાઓની સરખામણી કરતા સ્પષ્ટ દેખાય છે કે, ડેઈલી SIP દ્વારા બનાવવામાં આવેલ ફંડ મંથલી SIP કરતા મોટું હોઈ શકે છે. આનું એક મોટું કારણ એ છે કે, ડેઈલી રોકાણમાં પૈસા બજારમાં વહેલા અને સતત લાગતા રહે છે, જેના કારણે કમ્પાઉન્ડિંગને થોડો વધારાનો સમય મળે છે. લાંબાગાળે આ જ નાનો તફાવત મોટા ફંડમાં ફેરવાઈ શકે છે.

આ બંને આંકડાઓની સરખામણી કરતા સ્પષ્ટ દેખાય છે કે, ડેઈલી SIP દ્વારા બનાવવામાં આવેલ ફંડ મંથલી SIP કરતા મોટું હોઈ શકે છે. આનું એક મોટું કારણ એ છે કે, ડેઈલી રોકાણમાં પૈસા બજારમાં વહેલા અને સતત લાગતા રહે છે, જેના કારણે કમ્પાઉન્ડિંગને થોડો વધારાનો સમય મળે છે. લાંબાગાળે આ જ નાનો તફાવત મોટા ફંડમાં ફેરવાઈ શકે છે.

6 / 7
રોકાણનો સાચો વિકલ્પ હંમેશા વ્યક્તિની આવક, કેશ ફ્લો અને સુવિધા પર નિર્ભર કરે છે. બીજું કે, જે લોકોની નિયમિત આવક છે અને જેઓ દરરોજ નાના રોકાણને સરળતાથી મેનેજ કરી શકે છે, તેમના માટે ડેઈલી SIP એક સારો વિકલ્પ બની શકે છે. જો કે, મોટાભાગના રોકાણકારો માટે મંથલી SIP આજે પણ સૌથી અનુકૂળ અને વ્યવહારુ રસ્તો છે.

રોકાણનો સાચો વિકલ્પ હંમેશા વ્યક્તિની આવક, કેશ ફ્લો અને સુવિધા પર નિર્ભર કરે છે. બીજું કે, જે લોકોની નિયમિત આવક છે અને જેઓ દરરોજ નાના રોકાણને સરળતાથી મેનેજ કરી શકે છે, તેમના માટે ડેઈલી SIP એક સારો વિકલ્પ બની શકે છે. જો કે, મોટાભાગના રોકાણકારો માટે મંથલી SIP આજે પણ સૌથી અનુકૂળ અને વ્યવહારુ રસ્તો છે.

7 / 7

મોકો ચૂકતા નહીં! આ સ્ટોકમાં આંખ બંધ કરીને રોકાણ કરી લો, એક્સપર્ટે આપ્યું ‘BUY’ રેટિંગ

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">