Vastu Tips: શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના કરો આ 5 ભૂલો! ઘરની સુખ સમૃદ્ધિ ખોરવાશે અને….
શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સૌથી શુભ અને પાવન સમય માનવામાં આવે છે. હવે આ પવિત્ર સમયમાં જો વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો થાય છે, તો સમજવું કે ભોળાનાથ તેમના આશીર્વાદ આપણી પર વરસાવશે નહી. આથી શ્રાવણ માસમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે.

શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ અને આશીર્વાદ મેળવવા માટેનો સૌથી શુભ અને પવિત્ર સમય માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં ભક્તો ઉપવાસ રાખે છે, જળાભિષેક કરે છે અને ભક્તિભાવથી શિવની પૂજા કરે છે.

હવે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક ભૂલો એવી છે કે, જે શ્રાવણ મહિનામાં કરવામાં આવે તો આપણે ભગવાન શિવના આશીર્વાદથી વંચિત રહી જઈએ છીએ અને ઘરમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થવા લાગે છે. તો ચાલો જાણીએ કે, શ્રાવણ મહિનામાં વાસ્તુ સંબંધિત કઈ 5 ભૂલો ટાળવી જોઈએ.

ખંડિત શિવલિંગ કે તસવીરની પૂજા ન કરો: શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરતી વખતે ઘરમાં રાખેલા શિવલિંગ કે તસવીરની સ્થિતિ યોગ્ય હોવી જોઈએ. જો શિવલિંગ ખંડિત હોય કે તસવીર ખંડિત ગઈ હોય, તો તેને તાત્કાલિક બદલી નાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ખંડિત મૂર્તિ સાથે પૂજા કરવાથી શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો મળે છે.

મંદિરમાં જૂતા કે ચંપલ પહેરીને પ્રવેશ ન કરો: ઘરમાં પૂજા સ્થળ કે મંદિરમાં જૂતા અને ચંપલ પહેરીને ક્યારેય ન જવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આને ભગવાન શિવનું અપમાન માનવામાં આવે છે, જે ઘરની સકારાત્મક ઉર્જા પર નકારાત્મક અસર નાખે છે.

રસોડામાં ગંદકી ન ફેલાવો અને અસ્તવ્યસ્ત વસ્તુઓ ન છોડો: શ્રાવણ મહિનામાં રસોડાને સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડામાં ગંદકી અને અવ્યવસ્થા નકારાત્મક ઉર્જા ફેલાવે છે, જે ઘરની સમૃદ્ધિ અને શાંતિ પર સીધી અસર કરે છે.

સ્નાન કર્યા વિના શિવજીની પૂજા ન કરો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, શ્રાવણ મહિનામાં સ્નાન કર્યા વિના ક્યારેય પૂજા ન કરવી જોઈએ. સ્નાન કર્યા વિના પૂજા કરવાથી શિવની પૂજા અધૂરી રહી જાય છે, જેનાથી તમે પુણ્યને બદલે પાપના ભાગીદાર બની જાઓ છો.

શ્રાવણ મહિનામાં ઘરની ઉત્તર બાજુને ખરાબ ન રાખો: વાસ્તુમાં, ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે અને તે શિવજી સાથે સંકળાયેલી છે. આ દિશામાં કોઈ ભારે વસ્તુઓ, કચરો કે શૌચાલય ન હોવું જોઈએ. શ્રાવણ મહિનામાં આ દિશાને સ્વચ્છ અને ખુલ્લી રાખો, જેથી ઉર્જાનો યોગ્ય પ્રવાહ રહે અને આર્થિક પ્રગતિ જળવાઈ રહે.
ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.
