Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપાલા વિવાદ ભાજપ માટે બન્યો ગળાંની ફાંસ, ઉમેદવાર બદલે તો પાટીદારોની વહોરવી પડે નારાજગી, ના બદલે તો ક્ષત્રિયો રૂઠે

રૂપાલા વિવાદમાં ભાજપ ક્ષત્રિયો અને પાટીદારો વચ્ચે ફસાયું હોય તેવુ લાગે છે. જો ઉમેદવાર બદલે તો પાટીદારો નારાજ થાય અને જો ઉમેદવાર ના બદલે તો રાજપૂતો નારાજ થાય આ સ્થિતિમાં સવાલ એ કે ભાજપ શું કરશે ?

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 03, 2024 | 12:13 AM

ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન થવાનું છે અને હવે આ મતદાનને 5 અઠવાડિયા જેટલો જ સમય બાકી છે…ત્રણેય પાર્ટીઓ તૈયારીઓમાં છે પરંતુ ભાજપ માટે રૂપાલાના વિવાદે સમસ્યાઓ સર્જી નાંખી છે. જે પ્રકારની સ્થિતિ હાલ ઉદ્ભવી રહી છે તેને જોતા કહી શકાય કે આવનારા દિવસોમાં જો વિવાદનો અંત ના આવ્યો તો પછી ભાજપની લોકસભા ચૂંટણી પહેલા સ્થિતિ ડામાડોળ થઈ શકે છે અને તેમાં કોઈ બેમત નથી.

બે સમાજ વચ્ચે અવઢવમાં મુકાઈ ભાજપ ?

રૂપાલા વિવાદમાં એવું લાગી રહ્યુ છે કે ભાજપમાં બરાબરની અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. આ અવઢવ એટલા માટે કારણ કે ચૂંટણી ટાણે વિરોધ મોટો થઈ રહ્યો છે. રાજકીય રીતે ભાજપ વિવાદને પતાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિયોની એક જ માગ છે કે કોઈપણ ભોગે ઉમેદવાર બદલાય અને જો આમ થશે તો જ તેઓ સમાધાન માનશે અને જો ઉમેદવાર નહી બદલવામાં આવે તો વિરોધની આગ આવનારા દિવસોમાં પણ જોવા મળશે

રૂપાલા વિવાદનું સમાધાન શું ?

ભાજપ માટે રાજકોટ બેઠકમાં સમસ્યા સતત વધી રહી છે. ભાજપ એટલા માટે પણ ફસાઈ છે કારણ કે હવે પાર્ટી કરે તો કરે શું ? આ સવાલ એટલા માટે કારણ કે  ઉમેદવાર નહી બદલે તો રાજપૂતોની નારાજગી ભાજપે વહોરવી પડશે. રાજપૂતોનું કહેવું છે કે રાજ્યમાં 8 બેઠકો પર ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત રાજપૂતોની છે અને ભાજપ માગ નહી સ્વીકારે તો આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ક્ષત્રિયો પડકાર સર્જશે.

આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?

ઉમેદવાર બદલે તો પાટીદારો નારાજ

આ તો વાત થઈ ક્ષત્રિયોની કે જેઓ પોતાની માગ પર અડગ છે તો બીજી તરફ સમસ્યા એ છે કે જો ભાજપ રૂપાલાને બદલી નાંખે તો પાટીદારોની નારાજગી વહોરવી પડે. એટલે એક તરફ રાજકીય રીતે રાજપૂતો તો બીજી તરફ પાટીદારો છે. ભાજપ જાણે છે કે પાટીદારોની નારાજગી તો બિલકુલ નહી પોષાય. આવું એટલા માટે પણ કારણ કે પાટીદારોને નારાજ કરીને એક વાર પાર્ટીએ પરિણામ જોઈ લીધું છે. વર્ષ 2017ની વિધાનસભામાં પાર્ટી 3 ડિઝિટની બેઠકો પણ પ્રાપ્ત નહોતી કરી શકી અને 99 સીટો સુધી વિધાનસભામાં પાર્ટી સીમીત રહી હતી. એટલે પાર્ટી ફરી એ અનુભવ કરવા નહી જ માગે

ઉમેદવાર ના બદલે તો ક્ષત્રિયો નારાજ

ખાસ કરીને સૌરાષ્ટ્રના ગણિતને જોઈએ તો સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિયો બંન્ને રાજકીય તાકાત ધરાવે છે, એટલે કે બહોળી સંખ્યામાં બંન્ને સમાજના મતદારો છે. ત્યારે ભાજપ કઈ દિશામાં શું નિર્ણય લે છે તે જોવું જાણવુ અને સમજવું મહત્વનું છે. એક વાત ચોક્કસ છે કે આ વિવાદ માત્ર રાજકોટ પુરતો નથી રહ્યો પરંતુ આખા સૌરાષ્ટ્ર અને રાજ્યનો થઈ ગયો છે. અને તેમાં પણ જે બેઠકનો આ વિવાદ છે તે રાજકોટ બેઠકમાં તો જાતિગત સમીકરણમાં ભાજપ બરાબરની ફસાઈ છે.

આ પણ વાંચો: ભાજપની માફીની અપીલ બાદ પણ ક્ષત્રિયોમાં રોષ યથાવત, અનેક શહેરોમાં ઉગ્ર દેખાવો, રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ચીમકી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
g clip-path="url(#clip0_868_265)">